Saturday, 3 December 2022

ઝીરો કાર્બન એમિશન પેસેન્જર પ્લેન: વૈજ્ઞાનિકો માટે “મિશન ઈમ્પોસિબલ”?

Published on : 04-10-2020


લોકડાઉનના પિરિયડમાં એક સમાચાર ખોવાઈ ગયા. લોકોનું ધ્યાન એના ઉપર ગયું નહિ. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને જાહેર કર્યુંકે “બ્રિટન હવે વાતાવરણનું પ્રદૂષણ ઘટાડવા માટે કટિબદ્ધ બન્યું છે. બ્રિટનની એવિએશન ઇન્ડસ્ટ્રી 2050 “જેટ ઝીરો” નામના વૈશ્વિક કાર્યક્રમ હેઠળ, વિશ્વનું પ્રથમ ઝીરો કાર્બન મુક્ત કરતું પેસેન્જર પ્લેન બનાવવાની દિશામાં આગળ વધશે. આ સમાચાર રજુ થયા, એના 30 દિવસ પહેલા, વોશિંગ્ટનના આસમાની આકાશમાં દુનિયાનું પ્રથમ વિશાળ એરપ્લેન 30 મિનિટ માટે ઉડ્યું હતું. તેના દ્વારા મુક્ત થતું કાર્બન પ્રદૂષણ ઝીરો હતું. કારણકે એરોપ્લેન, ઈલેક્ટ્રીક એન્જિન ધરાવતું હતું. આ રીતે, બ્રિટનના બોરિસ જોન્સનના વિશ્વના પ્રથમ ઝીરો કાર્બન એમિશન પ્લેન બનાવવાના સ્વપ્ના ઉપર ઠંડુ પાણી ફરી વળ્યું છે. લાગે છે બોરિસ જોન્સનનું સ્વપ્ન ઈલેક્ટ્રીક એન્જિન ધરાવતું પેસેન્જર પ્લેન નહીં પરંતુ, અલગ પ્રકારનું પેસેન્જર પ્લેન છે. વૈજ્ઞાનિકો કાર્બન એમિશન ઝીરો પેસેન્જર પ્લેનને આજની તારીખે તો “મિશન ઈમ્પોસિબલ” તરીકે ઓળખાવે છે. ભવિષ્યમાં કદાચ આ વાત શક્ય બને તો નવાઈ નહિ. એરોપ્લેન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો, આજની તારીખે લગભગ ૭૦ જેટલા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જેમનો મુખ્ય હેતુ સો ટકા ઇલેક્ટ્રિક પાવર દ્વારા ઉડતું પ્લેન બનાવવાનો છે અથવા બળતણ દ્વારા પહેલા તું કાર્બન પ્રદૂષણ ઝીરો લેવલ સુધી લાવવાનો છે.. શું ખરેખર આ કામ શક્ય બને તેમ છે. આ કાર્યક્રમમાં કેવા પ્રકારના વિઘ્નને રુકાવટ આવી રહી છે?

“જેટ ઝીરો - નેટ જીરો”: શા માટે?

                
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનના નિવેદન પહેલા, વોશિંગ્ટનના આકાશમાં ઉડેલ ઈલેક્ટ્રીક એરક્રાફ્ટનું નામ “સેસના 208 બી ગ્રાન્ડ કારવાં છે. આ એરક્રાફ્ટને પ્રોપલ્શન કંપની “મેગ્નિક્સ”દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. એરક્રાફ્ટની પેસેન્જર લઈ જવાની ક્ષમતા 9 થી 14 લોકોની છે. મધ્યમ કદના વિમાનની લંબાઈ આશરે ૧૩ મીટર જેટલી છે. તેની મહત્તમ ઝડપ કલાકના 340 કિલો મીટર જેટલી છે.સવાલ એ થાય કે બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સને, પ્રદૂષણ ઘટાડવા અને વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ, ઝીરો લાવવા માટે શા માટે જાહેરાત કરવી પડી હતી?
                એક સર્વે મુજબ દર વર્ષે વિશ્વની તમામ વ્યાપારી ઉડ્ડયનોનો સરવાળો કરીએ તો, તેમના દ્વારા વાતાવરણમાં ૯૨૦ કરોડ મેટ્રિક ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે છે. સરળ અર્થમાં કહીએ તો 10.60 કરોડ લોકોના ઘરમાં આખું વર્ષ વીજળી પૂરું પાડીએ, તેટલી ઊર્જા વિશ્વની તમામ વ્યાપારી ઉડ્ડયનો વાપરે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ એસોસિએશનનો ડેટા બતાવે છેકે, હવાઇ ઉડ્ડયન કરનાર 12 વ્યક્તિમાં એક વ્યક્તિ બ્રિટિશ નાગરિક હોયછે. જેનો મતલબ સાફ છેકે અમેરિકન અને ચાઇનીઝ લોકો કરતાં પણ બ્રિટિશ લોકો હવાઈયાત્રાને વધારે પસંદ કરેછે.
                બ્રિટનની એવિએશન ઇન્ડસ્ટ્રી, દર વર્ષે 37 કરોડ ટન કાર્બન-ડાયોક્સાઈડને વાતાવરણમાં ઠાલવેછે. વિશ્વના 920 કરોડ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડના પ્રદૂષણ સામે, ચાર ટકા જેટલો હિસ્સો બ્રિટનનો છે. દર વર્ષે આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષમાં બ્રિટન દ્વારા વ્યાપારી ઉડ્ડયનો થકી વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ બમણું થઇ ગયું છે. વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણનો, ૨.૫ ટકા હિસ્સો વિશ્વની એવીએશન ઇન્ડસ્ટ્રીના ફાળે જાય છે. ભલે આ આંકડો ટકાવારીમાં નાનો લાગતો હોય પરંતુ, મેટ્રીક ટનના હિસાબે ગણવા જઈએ તો આંકડો કરોડો મેટ્રિક ટન પર પહોંચે છે. આ કારણે બ્રિટનના વડાપ્રધાન ને “જેટ ઝીરો-નેટ જીરો” સ્લોગન આપવાની જરૂર પડી છે બ્રિટનના આયોજન મુજબ 2050 સુધીમાં એવીએશન ઇન્ડસ્ટ્રીના કાર્બન પ્રદૂષણને ઝીરો લેવલે લાવવાની ગણતરી છે.

“ઈલેક્ટ્રીક પેસેન્જર પ્લેન”: મિશન ઈમ્પોસિબલ 


 
જો વિશ્વની એરલાઇન્સને કાર્બન પોલ્યુશન ઝીરો લેવલ આવવું હોય તો, તેનો પ્રથમ ઉપાય છે. “ઈલેક્ટ્રીક પેસેન્જર પ્લેન”. આજની તારીખે વિશાળકાય જેટ પ્લેનની માફક સેંકડો ઉતારુંને લાંબા અંતરની હવાઈ મુસાફરી કરાવવા માટેનું “ઇલેક્ટ્રિક પેસેન્જર પ્લેન” મિશન ઈમ્પોસિબલ સમાન છે. વિમાનને આકાશમાં ઉપર ચડાવવા માટે અને ભૂમિ ઉપર ઉતારતી વખતે વધારે પ્રમાણમાં બળતણ વપરાય છે. આ કારણે વિમાન ઉત્પાદન કરતી કંપનીઓ, નાના પેસેન્જર પ્લેન માટે પણ હાઇબ્રીડ પ્રકારના ઇલેક્ટ્રિક એન્જિન તૈયાર કરી રહી છે. જેમાં વિમાનને આકાશમાં ચડતા અને ઉતરતા વખતે પરંપરાગત કેરોસીન બળતણ વાપરનાર જેટ એન્જિન વાપરવામાં આવે છે. જ્યારે આકાશમાં અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી, વિમાન ઇલેક્ટ્રિક પાવર વાપરી શકાય તેવા બેટરી આધારિત જેટ એન્જિન ગોઠવવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાયકે મર્યાદિત અંતરની, મર્યાદિત લોકોની હવાઈ યાત્રા માટે, સો ટકા ઈલેક્ટ્રીક એન્જિન આધારિત એરોપ્લેન ઉત્પાદન કરવું આવનારા દાયકામાં શક્ય બનશે. પરંતુ એક દેશથી બીજા દેશ સુધી જનારી ઇન્ટરનેશનલ ઉડ્ડયનો ધરાવનાર વિશાળકાય જેટ પ્લેનને “સો ટકા ઈલેક્ટ્રીક પ્લેન”માં ફેરવવામાં હજી બીજા ત્રણ-ચાર દાયકા લાગી જાય તેમ છે. એટલે જ, આજની તારીખે ઝીરો કાર્બન એમિશન ધરાવનાર ઈલેક્ટ્રીક એરોપ્લેન મિશન ઇમ્પોસિબલ છે. એટલે એવિએશન ઇન્ડસ્ટ્રી આવે હાઇબ્રીડ એન્જિન તરફ નજર દોડાવે છે.
                
હાઇબ્રીડ ઈલેક્ટ્રીક પાવર આધારિત પેસેન્જર પ્લેન બનાવવા માટે, રોલ્સ રોયસ, એરબસ અને સિમેન્સ કંપનીએ એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જેનું નામ ઇ-ફેન-એક્સ રાખવામાં આવ્યું છે. 2015માં કંપનીના ડેમો એરોપ્લેન દ્વારા બ્રિટનની ઇંગલિશ ચેનલ ઉપર ઉડ્ડયન કરીને, પ્રોજેક્ટની સફળતાની દિશામાં કદમ આગળ વધાર્યા હતા. હવે કંપની હાઇબ્રિડ ઇલેક્ટ્રિક એન્જિનમાં વ્યાપારી ધોરણે વપરાતા બીએઈ 146 ડિઝાઇન. પ્રકારના એન્જીન બનાવવા આગળ વધી રહી છે. ઇલેક્ટ્રિક પેસેન્જર પ્લેન ડિઝાઇન કરવામાં સૌથી મોટી સમસ્યા, વિદ્યુત પાવર સ્ટોર કરનારી સ્ટોરેજ બેટરી છે. લાંબા અંતરના વિમાન પ્રવાસ માટે ખુબ જ વિશાળકાય બેટરીની જરૂર પડે છે. આ ઉપરાંત ટેક્-ઑફ અને લેન્ડિંગ વખતે પણ, પરંપરાગત બળતણ ધરાવતા જેટ એન્જિન વાપરવા પડે છે.

ઝીરો કાર્બન પોલ્યુશન : એક સમસ્યાનો ઉકેલ, બીજી સમસ્યા પેદા કરે છે.

                કુદરતી રીતે મળતા અને વિમાનમાં બળતણ તરીકે વપરાતા કેરોસીનમાં એક ખાસ પ્રકારનું રસાયણ હોય છે. જે જેટ એન્જિનમાં એક સમસ્યા પેદા કરેછે. આ રસાયણ જેટ એન્જિનમાં વપરાતા રબર સીલના સાથે સંપર્કમાં આવે છે ત્યારે, રબર ફૂલી જાય છે. કડક બની જાય છે. જેથી એન્જિન 100% કાર્ય ક્ષમતા સાથે કામ કરી શકતું નથી. આ સમસ્યાના હલરૂપે, વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં નિર્મિત કુત્રિમ કેરોસીન ઉમેરવાનું નક્કી કર્યું છે. જેમાં સમસ્યા પેદા કરનાર રસાયણ હોય નહીં. અહીં બીજી સમસ્યા પેદા થાય છેકે, પ્લેનમાં વપરાતા કુલ બળતણમાં 50% કુત્રિમ કેરોસીન વાપરવામાં આવે તો. બળતણની કિંમત બમણી થઇ જાય છે. છેવટે તેને મેસેન્જર ઉપર વધારાના બોજ તરીકે નાખવો પડે છે.
                

વૈજ્ઞાનિકો કહે છેકે પ્રદૂષણ ઘટાડવા માટે, આજે તારીખે વપરાતા પરંપરાગત પેસેન્જર પ્લેનની ડિઝાઇનની જગ્યાએ નવી ડિઝાઇન તૈયાર કરવી પડે જેના કારણે વિમાનને લાગતુ “ડ્રેગ” બળ ઘટાડી શકાય. આ ઉપરાંત કાર્બન ફાઇબર આધારિત વધારે મજબૂત અને વજનમાં હલકી એરફ્રેમ વાપરવામાં આવેતો, પેસેન્જર માટે વધારાની સીટો ગોઠવી શકાય. બીજો એક વિકલ્પ હાલના કાર્બન આધારિત, પરંપરાગત ફોસિલ ફ્યુઅલની જગ્યાએ, અન્ય રસાયણ ધરાવતા બળતણ વાળા એન્જિન તૈયાર કરવાનો છે. એન્જિન તૈયાર કરતા પહેલા બળતણ તરીકે વાપરવામાં આવનાર નવા રસાયણની કાર્યક્ષમતા અને તે બેરલ દીઠ કેટલા પ્રમાણમાં ઉર્જા પેદા કરેછે? તેની ચકાસણી કરવાનો પણ છે. પરંપરાગત ફોસીલ ફ્યૂઅલની જગ્યાએ, પ્રયોગશાળામાં બનેલ સિન્થેટિક રસાયણો વાપરવા માટે પણ વૈજ્ઞાનિકો પ્રયોગો કરી રહ્યા છે. આમ છતાં, કુદરતી કેરોસીન ની સામે વધારે કાર્યક્ષમ હોય તેવું રસાયણ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. બ્રિટનના વૈજ્ઞાનિકો, કુદરતી રીતે મળી આવતા કેરોસીનની જગ્યાએ એમોનિયાને બળતણ તરીકે વાપરવાના પ્રયોગોમાં આગળ વધી રહ્યા છે. આ રીતે ઝીરો કાર્બન પ્રદૂષણ વાળા, પેસેન્જર પ્લેન કે પ્લેનના એન્જિનની નવી ડિઝાઈન તૈયાર કરવામાં અનેક સમસ્યાઓ આવી રહી છે. આ બધી સમસ્યાઓનો હલ કાઢવાનો હોય તો ખર્ચ વધી જાય. આ કારણે વૈજ્ઞાનિકો નવી ટેકનોલોજીનો વિકાસ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

એમોનિયા: જેટ ફ્યુઅલનો નવો વિકલ્પ

            ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કેરોસીનની જગ્યાએ એમોનિયા વાપરવાના પ્રયોગો કરી રહ્યા છે. એમોનિયાને બળતણ તરીકે વાપરવા માટે ખાસ પ્રકારના એન્જિન અને ટેકનોલોજી બ્રિટિશ વૈજ્ઞાનિક અને “રિએક્શન એન્જિન” નામની કંપની તૈયાર કરી રહી છે. પ્રયોગોની શરૂઆતની સફળતા જોઇને, બ્રિટિશ વડાપ્રધાન ઝીરો કાર્બન એમિશન વાળા એરોપ્લેન વિકસાવવાની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટક પદાર્થ એમોનિયમ નાઈટ્રેટ કરતા એમોનિયા કંઈક અંશે અલગ પડે છે. કેરોસીન કરતા તે વધારે સલામત છે અને ઝડપથી આગ પકડતું નથી. જેના કારણે આકસ્મિક રીતે લાગતી આગ ઉપર નિયંત્રણ કરી શકાય તેમ છે. મહત્વની વાત એછેકે જ્યારે એમોનિયા બળે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નામનું પ્રદૂષણ પેદા થતું નથી.
                
વૈજ્ઞાનિકોએ પ્રકારની સિસ્ટમ ઊભી કરવા માંગે છેકે જ્યારે એમોનિયાને બળતણ તરીકે વાપરવામાં આવે ત્યારે, બે ભાગમાં વિભાજન પામે. એક હાઇડ્રોજન અને બીજો નાઈટ્રોજન. હાઈડ્રોજનએ બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવે છે. એમોનિયાને બળતણ તરીકે ઉપયોગમાં લઇ ઉર્જા પેદા કરતી વખતે, હાઈડ્રોજનની જરૂર ઉદ્દીપક તરીકે જરૂર પડે છે. વૈજ્ઞાનિકો એમોનિયાને હીટ ટ્રીટમેન્ટ આપી ગરમ કરશે, જેથી કરીને “ટ્રેકિંગ રીએક્ટર”માં નાઇટ્રોજન અને હાઈડ્રોજન વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદ હાઇડ્રોજનને એન્જિનમાં જ્યાં એમોનિયાનું દહન થતું હોય છે ત્યાં ઉદ્દીપક તરીકે પહોંચાડવામાં આવે છે. એન્જિનમાં દહન પ્રક્રિયા દરમ્યાન, કચરા અથવા ઉપ-પેદાશ તરીકે પાણીની વરાળ, અને નાઈટ્રોજન ઓક્સાઈડ પેદા થાય છે. જેને એન્જિનમાંથી  બહાર નીકળવાના માર્ગમાં ફરીવાર, એમોનિયા વાપરીને દૂર કરી શકાયછે.
                એમોનિયા આધારિત જેટ એન્જિન વિકસાવવામાં પરંપરાગત જેટ એન્જિનમાં મામૂલી ફેરફારો કરવા પડશે તેવું કંપની જણાવી રહી છે. એક વાત સાચી છે એક સમાન બળતણનો જથ્થો ધરાવતા કેરોસીન અને એમોનિયાની સરખામણી કરવામાં આવેતો કેરોસીનની સરખામણીમાં, એમોનિયા ઓછી ઉર્જા પેદા કરે છે. હાલમાં એમોનિયાનું ઉત્પાદન કુદરતી રીતે મળી આવતા મિથેન ગેસ અને વાતાવરણમાં મળતાનાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ભવિષ્યમાં ઈલેક્ટ્રોલીસીસ પદ્ધતિ વાપરીને નાઇટ્રોજનનું ઉત્પાદન કરવું શક્ય બની શકેછે. બળતણ તરીકે એમોનિયા અને કેરોસીનનો પડતર કિંમત લગભગ એકસરખી છે.

Thursday, 26 May 2022

મૂન રોક સેમ્પલ: ૮ લાખ ડોલર થી 15 હજાર અમેરિકન ડોલર સુધીની સફર

                
50 વર્ષ બાદ અમેરિકા ફરીવાર ચંદ્ર ઉપર પોતાના નાગરિકને ઉતારવાની કવાયત કરી રહ્યું છે. અમેરિકા હવે ચંદ્ર ઉપરથી ખનીજતત્વો મેળવવા માટે, ચંદ્રના ખડકોના ટુકડા પૃથ્વી ઉપર લાવવા માટે, એક નવા જ પ્રકારનો વેપાર શરૂ કરવા માગે છે. નાસાએ ગયા નવેમ્બર મહિનામાં એપોલો મિશન દ્વારા એકઠા કરવામાં આવેલ રોક સેમ્પલને, ૪૦ વર્ષ બાદ ખુલ્લા મુક્યા હતા. આ રોક સેમ્પલ ઉપર કોઈપણ પ્રકારના પ્રયોગો થયા ન હતા. તે વૈજ્ઞાનિકોના હાથેથી અસ્પૃશ્ય રહ્યા હતા. તાજેતરમાં નાસાએ જાહેરાત કરી છેકે કોઈ પ્રાઈવેટ કંપની ચંદ્રના રોક સેમ્પલ એટલે કે પથ્થરના નમૂના એકઠા કરી આપશે, તો નાસા તેને નિશ્ચિત કરેલ રકમ ચૂકવી આપશે. હાલ તુરંત આ સેમ્પલને પૃથ્વી ઉપર પાછા લાવવાના નથી પરંતુ, ખાનગી કંપનીના અંતરિક્ષયાન દ્વારા રોક સેમ્પલ એકઠા કરવામાં આવ્યા છે, તેના ફોટોગ્રાફ્સ અને વિડિયો નાસાને સુપ્રત કરવાની રહેશે. અંતરીક્ષયુગની શરૂઆત થતાં જ અમેરિકા- સોવિયત યુનિયન વચ્ચે ચંદ્ર ઉપર પહોંચવાની અને તેના રોક સેમ્પલ એકઠા કરવાની એક રેસ ચાલી હતી. આવનારા ભવિષ્યમાં આ પ્રકારની સ્પેસ-રેસ વિશ્વની ખાનગી સ્પેસ કંપનીઓ વચ્ચે ચાલે તો નવાઈ લાગશે નહીં?

મૂન રોક સેમ્પલ:             

 
પૃથ્વીની રચના થયા બાદ, અંતરિક્ષમાં ચંદ્રની રચના થઈ હોવાની થિયરી વૈજ્ઞાનિકો આપી રહ્યા છે. પૃથ્વી અને સૂર્યમાળાની રચના થયાને વૈજ્ઞાનિકો અંદાજે 4.5 અબજ વર્ષ માને છે. માનવીઍ ચંદ્ર ઉપરથી એકઠા કરેલા ખડકના નમૂનાની ઉંમર અંદાજે 3.20 અબજ વર્ષ માનવામાં આવે છે. ભૂતકાળમાં એપોલો પ્રોગ્રામ દ્વારા નાસાએ ચંદ્રના ખડકોના નમૂના એકઠા કરીને પૃથ્વી ઉપર લાવ્યા હતા. જેમાં પથ્થરના ટુકડા ઉપરાંત ચંદ્રની માટી પણ હતી. એપોલો પ્રોગ્રામના છ મિશનમાં, અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર ઉપર ઉતર્યા હતા. ૧૨ જેટલા અંતરિક્ષયાત્રીઓએ સમગ્ર એપોલો પ્રોગ્રામ દરમ્યાન 380 કિલોગ્રામ જેટલા ચંદ્રની સપાટી પરના નમૂના એકઠા કર્યા હતા. સોવિયેત યુનિયન પણ પોતાના અંતરિક્ષયાત્રીને ચંદ્ર પર ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તેઓ નાકામિયાબ રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં અમેરિકા બાજી મારી ગયા પછી, સોવિયેત યુનિયનને માત્ર નામના મેળવવા માટે, ખોટા ખર્ચ કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યુ હતું.
                
જોકે વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે “લ્યુના” કાર્યક્રમ અંતર્ગત ૩ અંતરિક્ષયાન ચંદ્રની સપાટી પર ઉતાર્યા હતા. રોબોટીકયાન્ દ્વારા, ચંદ્રની સપાટી પરથી ખડકના નમૂના એકઠા કર્યા હતા. આ નમૂનાનું વજન ખૂબ જ ઓછુ એટલે કે માત્ર ૩૦૦ ગ્રામ જેટલું જ હતું. રશિયા માટે સંશોધન કરવા માટે આ સેમ્પલ્સ પૂરતા પ્રમાણમાં હતા.ચંદ્રના પથ્થરના ટુકડાની ૧૯૯૩માં સોવિયત યુનિયન દ્વારા હરાજી કરવામાં આવી હતી. માત્ર ૨૦૦ મિલી ગ્રામ પથ્થરનો ટુકડો 4,41,500 અમેરિકન ડોલરના ભાવે વેચાયો હતો. આજની તારીખે તેની કિંમત લગભગ ૮ લાખ ડોલર જેટલી થાય. 2018માં પણ ચંદ્રના ખડકોના નમુના વિશ્વ પ્રસિદ્ધ હરાજી કરનાર કંપની "સોથબી" દ્વારા ૮ લાખ અમેરિકન ડોલરની કિંમતે વેચવામાં આવ્યા હતા.

નાસાનો નવો કોન્ટ્રાક્ટ:

              
 
તાજેતરમાં નાસાએ એક અનોખા પ્રકારની જાહેરાત કરી છે. જે મુજબ નાસાએ ખાનગી કંપનીઓ પાસેથી ચંદ્રના ખડકના નમુના ભેગા કરવા માટેનાં ભાવ માગ્યા છે. ખાનગી કંપનીએ રોબોટિક રોવર મોકલીને ચંદ્ર ઉપરથી ખડકના નમૂના એકઠા કરવાના રહેશે. નાસા 50 ગ્રામથી માંડી 500 ગ્રામ વજન ધરાવતા ખડકના નમુના મેળવવા માગે છે. જેના માટે નાસા 15 હજારથી ૨૫ હજાર અમેરિકન ડોલર ચૂકવવા તૈયાર છે. નાસાનું આ પગલું ચંદ્રના માઈનીગ / ખાણ ઉદ્યોગને જન્મ આપશે. ખાનગી કંપની નાસાને, સેમ્પલની માલિકી આપશે. ઉપરાંત ભવિષ્યમાં અમેરિકાના જેટલા પણ ચંદ્ર અભિયાન જશે, તેમાં ખાનગી કંપની મદદરૂપ બનશે. 2024"માં નાસા અમેરિકન નાગરિકને ફરીવાર ચંદ્ર ઉપર ઉતારવા માગે છે. વિજ્ઞાન જગતમાં એપોલો મિશન બાદ નાસાનું આ વિશાળ પાયે શરૂ થયેલ "ખાનગી મિશન" હશે.
                
નાસા દ્વારા રજુ કરવામાં આવેલ માહિતી મુજબ , ખાનગી કંપની ચંદ્ર કોઈપણા સ્થળેથી ખડકના નમૂના એકઠા કરી શકશે. આ નમૂનાને ઉપર હાલના તબક્કે પૃથ્વી પાછા લાવવાના નથી. પરંતુ નમૂના એકઠા કર્યા છે. તેના ફોટોગ્રાફ્સ અને કંપનીએ નાસા સુપ્રત કરવાની રહેશે. નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રિડેનસ્ટિન કહે છે કે"અમે હાલના યુગમાં અનોખા પ્રકારના સંશોધન અને આવિષ્કાર થાય તે માટે પ્રયત્નશીલ છે. જેનો લાભ પૃથ્વી પરની મનુષ્ય પ્રજાતિને મળશે.” તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અંતરીક્ષ સંબંધી 196૭માં થયેલ “આઉટર સ્પેસ ટ્રીટી”ના નીતિ નિયમો ક્યારે ભંગ કરશે નહીં. વૈશ્વિક ધોરણે થયેલા કરારમાં, ચંદ્ર ઉપર કોઈપણ રાષ્ટ્ર પોતાની માલિકી હોવાનો દાવો કરી શકશો નહીં. આ કરાર દ્વારા ખાનગી કંપનીના ચંદ્ર ઉપરથી ભેગા કરેલા નમુના પૃથ્વી પર પાછા લાવવા માટે આદેશ આપવામાં નહીં આવે. નાસા ઈચ્છે છે કે ખાનગી કંપની ઓછા ખર્ચમાં વધારે કાર્યક્ષમ રોબોટિક અંતરિક્ષયાન વિકસાવે, જે ચંદ્ર ઉપર ખડકના નમુના અને અન્ય માલ સામગ્રી એકઠી કરવા માટે મદદરૂપ બની શકે.

અંતરિક્ષ કાર્યક્રમોનુ ખાનગીકરણ:

                
નાસાએ સ્પેસ શટલ યુગની સમાપ્તિ કરી, ત્યારથી તેના કાર્યક્રમમાં ખાનગી કંપનીઓને કરારબદ્ધ કરી કામ આપવાની શરૂઆત કરી છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર માલસામાન પહોંચાડવાનો હોય કે, 2024 માં ચંદ્ર ઉપર અમેરિકન નાગરિકને ઉતારવાનો હોય, દરેક કાર્યક્રમમાં અમેરિકાએ અમેરિકાની ખાનગી કંપનીને નાસા સાથે જોડવાનું કામ કર્યું છે. શક્ય છે કે નાસા, ખાનગી કંપની પાસે ધ્રુવ પ્રદેશમાં રહેલા બરફના નમૂના એકઠા કરવા માટે પણ કરાર કરે. ભવિષ્યમાં અંતરિક્ષયાત્રી ચંદ્ર પર હંગામી અથવા કાયમી ધોરણે મનુષ્ય વસાહત ઉભી કરે, ત્યારે પાણીની આવશ્યકતા ઉભી થશે, જેને ધ્રુવ પ્રદેશમાં રહેલ બરફ દ્વારા પૂરી કરવામાં આવશે. પાણીનો ઉપયોગ અંતરિક્ષયાત્રીઓ પીવા માટે અને ચંદ્ર ઉપર ખેતીવાડી કરવા માટે પણ કરી શકે છે. ભવિષ્યમાં પાણીને તેના મૂળતત્વોમાં છૂટા પાડીને મંગળ ગ્રહની અંતરિક્ષ યાત્રા માટેના ફ્યુઅલ/બળતળ તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે. નાસા માને છેકે 2030ના સમયગાળામાં ચંદ્ર ઉપરથી મંગળ તરફની અંતરિક્ષ સફર શરૂ થઈ શકે તેમ છે. એક અર્થમાં એમ કહી શકાયકે નાસા ખાનગી કંપની દ્વારા નવી ટેકનોલોજીનો વિકાસ કરાવી, પોતાના ચંદ્ર અભિયાનને આગળ વધારી રહી છે.
                
ભવિષ્યમાં આ ટેકનોલોજી તેને મંગળ મિશન માટે પણ કામ લાગે તેમ છે. કરારની શરતો મુજબ, ખાનગી કંપનીએ નાસા સાથેના વ્યવહારમાં પારદર્શિતા રાખવાની રહેશે. ચંદ્ર ઉપર અંતરિક્ષયાત્રીને કોઈપણ પ્રકારની ઈમરજન્સી થાય તો મદદ પૂરું પાડવાની રહેશે. 2024માં નાસા અમેરિકન અંતરિક્ષયાત્રીને ચંદ્ર ઉપર ઉતારવા માટે “આર્ટેમિસ.” નામનુ ચંદ્ર અભિયાન ચલાવવાની છે.યોગાનુયોગે ''આર્ટેમિસ નામે એક સુંદર સાયન્સ ફિકશન ૨૦૧૭માં પ્રકાશીત થયેલ છે. આ વાર્તાનાં કેન્દ્રમાં ચંદ્ર પર માનવીએ સ્થાપેલી નાની કોલોની ઉર્ફે ''મુન સીટી''ની વાત છે. “આર્ટેમિસ.” નામનાં ચંદ્ર અભિયાન વખતે અંતરીક્ષયાત્રી ચંદ્ર પર પગલા પાડીને, રોક સેમ્પસ એકઠા કરીને કે ધ્વજ ફરકાવીને સંતોષ માનશે નહીં. અંતરીક્ષયાત્રી દ્વારા મંગળ ગ્રહ ઉપર જવા માટે, મનુષ્યની ચંદ્રની સપાટી પર લાંબો સમય હાજરી ટકી રહે તેવા પ્રયત્ન કરશે.

''પ્રોજેક્ટ આર્ટેમિસ” અને “લ્યુનાર ગેટ વે''

              

 
નાસાએ તેનાં નવાં મિશન એટલે કે ચંદ્ર પર માનવીને ફરીવાર ઉતારવાનાં કાર્યક્રમને ''પ્રોજેક્ટ આર્ટેમિસ'' નામ આપ્યું છે. ચંદ્રનાં સંદર્ભમાં આ નામ ખુબ જ ફિટ બેસે તેમ છે. અમેરિકાનાં પ્રથમ કાર્યક્રમને 'એપોલો' નામ આપવામાં આવ્યું હતું. એપોલો ગ્રીક દંતકથાનો દેવતા (ગોડ) છે. તેને બે જોડકી બહેનો છે. જેનું નામ 'આર્ટેમિસ' છે. ''આર્ટેમિસ'' ચંદ્રની દેવી માનવામાં આવે છે. નાસાનાં ભવિષ્યનાં મુન મિશન માટે આ નામ યોગ્ય જ છે. 'આર્ટેમિસ' એ શિકારની દેવી પણ ગણાય છે. તેનો શિકારનો સાથીદાર ''ઓરાયન'' છે. નાસાનાં મુન મિશન 'આર્ટેમિસ' માટે અંતરીક્ષયાત્રીને લઇ જવા લાવવા માટે જે કેપ્સ્યુલ બનાવવામાં આવી રહી છે. તેનું નામ 'ઓરાયન' રાખવામાં આવેલ છે. આમ ચંદ્ર પર માનવીને ઉતારવા માટે એપોલો, આર્ટેમિસ અને ઓરાયન પોતાનું યોગદાન આપશે, આપી ચુક્યાં છે.
                ભવિષ્યમાં ચંદ્રની ફરતે પ્રદક્ષીણા કરે તેવું ઓરબીટીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે 'લ્યુનાર ગેટ વે' તરીકે ઓળખાશે. જેનું કદ એક રૂમ રસોડા વાળા સ્ટુડીયો / એપાર્ટમેન્ટ જેટલું હશે. જ્યારે પૃથ્વીની ફરતે પ્રદક્ષીણા કરનાર 'ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' ૬ બેડરૂમનાં ફલેટ જેટલું વિશાળ છે. 'લ્યુનાર ગેટ વે' પર અંતરીક્ષયાત્રી મહત્તમ ત્રણ મહીના રોકાણ કરી શકશે. પૃથ્વી પરથી 'ગેટ વે' સુધી પહોંચતા પાંચ દિવસ લાગશે. 'ગેટ વે' પરથી ચંદ્રનો વધારે સારી રીતે અભ્યાસ કરી શકાશે. મંગળ ગ્રહની મુલાકાતે જનારા માટે 'ગેટ વે' પ્રથમ પડાવ બનશે. મંગળ ગ્રહ માટેની સામગ્રી જેવી કે ઓક્સીજન, ફ્યુઅલ, ખોરાક અને સ્પેર પાર્ટસ વગેરે 'ગેટ વે' પરથી મેળવી શકાશે. ગેટવેમાં સ્પેસ લેબોરેટરી, રોબોટીક્સ અને આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ વાળી કોમ્પ્યુટર સિસ્ટમ પણ હશે, જે અંતરીક્ષ યાત્રીઓની ગેરહાજરીમાં તેમનાં પ્રયોગો આગળ વધારશે. નાસા માટે આ સુર્યગ્રહ માળાનાં 'એક્સપ્લોરેશન' માટેનું પ્રથમ ચરણ છે. ISS માફક ભવિષ્યમાં તેની સાથે વધારાનાં મોડયુલ જોડવામાં આવશે.

Wednesday, 25 May 2022

બ્રેઈન સેક્સ : સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ પારખવની "મગજમારી"?

                
તાજેતર બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સ્ટુઅર્ટ રિચિએ યુકે બાયોબેન્કમાંથી એમ.આર.આઈનો કેટલોક ડેટા લઈને તેની સરખામણી કરી હતી. યુકેબાયો-બેંકમાં લગભગ ૫ લાખ લોકોનો મગજનો સ્કેન કરેલો ડેટાબેઝ ઉપલબ્ધ છે. સ્ટુઅર્ટ રિચિએ 2750 સ્ત્રીઓ અને 2466 પુરુષના મગજની સરખામણી કરી હતી. સરખામણી કરવા માટે મગજના ૬૮ જેટલા વિવિધ ભાગને ચકાસવામાં આવ્યા હતા. પરિણામના અંતે જોવા મળ્યું કે પુરુષના મગજમાં ૧૪ જેટલા વિસ્તાર એવા છે જ્યાં મગજનું કદ વધારે છે. જ્યારે મગજના 10 વિસ્તારમાં સ્ત્રીઓના મગજનું કદ વધારે જોવા મળે છે. આ તફાવત જોઈને એક સવાલ જરૂર થાય કે શું કદનો આ તફાવત મનુષ્યની બૌદ્ધિક ક્ષમતા કે વર્તણૂક સાથે સંકળાયેલ છે ખરો? તાજેતરમાં થયેલા નવા સંશોધનમાં સ્ત્રી અને પુરુષના મગજના જૈવિક બંધારણથી માંડી, જૈવિક કાર્યશૈલી અને મનોવૈજ્ઞાનિક બદલાવ સુધીના વિવિધ તબક્કાઓને આધુનિક સંશોધનમાં કવર કરવામાં આવી રહ્યા છે. શું ખરેખર સ્ત્રી અને પુરુષનું મગજ અલગ પ્રકારનું હોય છે? એક જ પરિસ્થિતિમાં સ્ત્રી અને પુરુષ અલગ-અલગ નિર્ણયો લઇ લે છે? આ બધા સવાલના જવાબ આપવા વિવાદાસ્પદ છે. પરંતુ વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરુષના મગજના બંધારણ અને કેટલીક કાર્યશૈલીમાં ઊડીને આંખે વળગે તેવો તફાવત જોયો છે.

બ્રેઈન સેક્સ: સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ            

 
સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ પારખવાનું કામ ગ્રીક ફિલોસોફર સમયથી શરૂ થયું હતું. ૧૯મી સદીમાં અમેરિકન તબીબ સેમ્યુઅલ જ્યોર્જ મોર્ટનના દિમાગમાં મગજનું કદ માપવાના બીજ રોપાયા અને ત્યારથી સ્ત્રી પુરુષ વચ્ચે મગજના તફાવતને સમજવાની એક નવી દિશા ખુલી ગઈ. ત્યારબાદ ફ્રેંચ વૈજ્ઞાનિક ગુસ્તાવ લ બોન, 1895 માં લખેલ પુસ્તક "ધ ક્રાઉડ: અ સ્ટડી ઓફ ધ પોપ્યુલર માઈન્ડ"મા દર્શાવ્યું કે સ્ત્રી કરતાં પુરુષના મગજનું કદ વધારે હોય છે. આ વાતને ઉમેરો કરતા, એલેક્ઝાન્ડર બેન્સ અને જ્યોર્જ રોમેન્સ દ્વારા એવું પ્રતિપાદિત કરવાનું પ્રયત્ન થયો કે “સ્ત્રી કરતા પુરુષનું મગજ મોટુ હોવાના કારણે તે સ્ત્રી કરતાં વધારે સ્માર્ટ અને બુદ્ધિશાળી છે. જોકે આ વાત ખોટી હતી, તેથી જ્હોન સ્ટુઅર્ટ મિલે દલીલ કરી કે “જો મગજના કદના આધારે જ બુદ્ધિમત્તા અને સ્માર્ટનેસની ગણતરી કરવાની હોય તો, હાથી અને વ્હેલનું મગજ મનુષ્ય કરતાં પણ વધારે મોટું છે. તેથી આ પ્રાણી મનુષ્ય કરતાં વધારે બુધ્ધિશાળી હોવા જોઈએ.” ખરેખર આવું છે નહીં. હવે વૈજ્ઞાનિકો સ્માર્ટનેસ અને બુદ્ધિમત્તાનો ચકાસવા માટે મગજ નહીં, પરંતુ મગજમાં આવેલા વિવિધ ભાગના કદ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેમને લાગ્યું કે આ ભાગમાં આવેલ તફાવત કદાચ મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે નો ભેદ અને બુદ્ધિમત્તા પારખવામાં મદદરૂપ બની શકે તેમ છે.
              
 
2015માં ડેફના જોએલ અને ટેલ-અવીવ યુનિવર્સિટીમાં તેના સહયોગીઓ દ્વારા સ્ત્રી અને પુરુષના મગજ ના વિવિધ ભાગો ની સરખામણી કરવાના અને આ હા ભાગોનું વોલ્યુમ એટલે કે કદી માપી તેમાં તફાવત શોધવાના પ્રયોગો થયા હતા. જેના સંશોધન રિપોર્ટ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન જર્નલમાં પ્રકાશિત થયા હતા. અત્યાર સુધી થયેલ મગજ પરનાં સંશોધનો કેટલો સારાંશ અહીં રજૂ કરવામાં આવ્યો છે જેથી સ્ત્રી અને પુરુષ વચ્ચેના મગજ નો ભેદ સમજવા માંગતા લોકો માટે કેટલીક વસ્તુઓ સ્પષ્ટ બને. ભલે સ્ત્રી અને પુરુષનું મગજ એકસરખું લાગતું હોય પરંતુ તેમની વર્તણૂક અને અભ્યાસ દરમિયાન તફાવત સ્પષ્ટ નજર પડે તેવો હોય છે.

વાઈટ મેટર અને ગ્રે મેટર: ન્યુરો-કેમિકલ્સની કમાલ             

 
સમાન શારીરિક બંધારણ અને વજન ધરાવનાર સ્ત્રી અને પુરુષના મગજની સરખામણી કરવામાં આવે તો પુરુષનું મગજ ૧૦ ટકા જેટલું વધારે મોટું હોય છે. પરંતુ તેને બૌદ્ધિક ક્ષમતા સાથે કોઈ જ સબંધ નથી. મગજમાં સફેદ અને રાખોડી એટલે કે ગ્રે રંગનો પદાર્થ હોય છે. જેને અંગ્રેજીમાં વાઈટ મેટર અને ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીના મગજમાં ગ્રે મેટરનું પ્રમાણ વધારે હોય છે. જયારે પુરુષના મગજમાં વાઈટ મેટરનું પ્રમાણ વધારે હોય છે. ગ્રે મેટર સ્નાયુના નિયંત્રણ અને શારીરિક સંવેદનો સાથે સંકળાયેલું છે. એક અવલોકન એવું જોવા મળ્યું છે કે સ્ત્રીની પ્રેગ્નન્સી દરમિયાન ગ્રે મેટરનું પ્રમાણ ઘટી જાય છે. સ્ત્રીના મગજમાં ગ્રે મેટરનું પ્રમાણ વધારે હોવા છતાં, સ્ત્રીઓ વાઈટ મેટરનો સૌથી વધારે ઉપયોગ કરે છે. પુરુષો સામાન્ય રીતે ગ્રે મેટરનો વધારે ઉપયોગ કરે છે.
                સ્ત્રી અને પુરુષના મગજના ન્યુરોન્સનું વાયરીંગ પણ અલગ પ્રકારે થયેલું જોવા મળે છે. પુરુષના મગજમાં જોડાણ આગળથી પાછળની દિશા તરફ હોય છે. જ્યારે સ્ત્રીના મગજમાં ડાબેથી જમણે અને જમણેથી ડાબી બાજુમાં જોડાણ જોવા મળે છે. વૈજ્ઞાનિકો જેને “સેરેબેલમ” તરીકે ઓળખે છે, તે ભાગ લઘુ મસ્તિષ્ક કે પાછલા ભાગનું મગજનું કદ પણ સ્ત્રી અને પુરુષમાં અલગ અલગ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષમાં સમાન પ્રકારના ન્યુરો કેમિકલ્સ હોવા છતાં તેનો ઉપયોગ અને પરિણામ અલગ અલગ જોવા મળે છે. સેરોટોનિન નામનું ન્યુરો-કેમિકલ મનુષ્યની આનંદ ખુશી અને હતાશા સાથે સંકળાયેલું છે. સ્ત્રીના મગજમાં સેરોટોનિનનું પ્રોસેસિંગ પુરુષના મગજ માફક થતું નથી. જેથી સ્ત્રીઓમાં ચિંતા અને હતાશાપ્રમાણ વધારે જોવા મળે છે. સ્ત્રી અને પુરુષના મગજના તફાવતના કારણે તેઓ વિશિષ્ટ પરિસ્થિતિનો ભોગ બની શકે છે. જેમકે ચિંતા અને હતાશા દરમિયાન પુરુષ દારૂનું સેવન કરવા લાગે છે. સ્ત્રી કરતાં પુરુષોમાં આ સામાજિક વ્યક્તિત્વની ખામીઓ વધારે જોવા મળે છે. સ્ત્રી કરતાં પુરુષને પાર્કિંનસન્સ નામના મગજના રોગ થવાની સંભાવના બમણી હોય છે. સ્મૃતિલોપ એટલે કે અલ્જાઈમર નામનો રોગ થવાની શક્યતા સ્ત્રીઓમાં બમણી છે.

મેન ફ્રોમ માર્સ અને વુમન ફ્રોમ વિનસ                

“લોકો કહે છે કે પુરુષોનું અવતરણ મંગળ ગ્રહ સાથે સંકળાયેલું છે. સ્ત્રીઓનું અવતરણ શુક્ર સાથે સંકળાયેલું છે, પણ મગજ એક યુનિસેક્સ શારીરિક અંગ છે. સ્ત્રીના મગજના બે ગોળાર્ધ, પુરુષો કરતાં વધુ એક બીજા સાથે સંવાદ/વાત કરે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સંશોધનકારોએ 428 પુરુષ અને 521 યુવાન સ્ત્રીઓના મગજની તસવીર સરખાવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મગજના બે અર્ધગોળાકાર પુરુષો કરતાં વધારે એક્ટિવ થઇ ને એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે. વાઈટ મેટરના બનેલા કેબલ વડે મગજના બે અર્ધગોળાકાર એકબીજા સાથે જોડાય છે. કોર્પસ કેલોઝિયમ નામનો મગજનો વાઈટ મેટરથી બનેલ ભાગ પુરૂષ કરતાં સ્ત્રીમાં મોટો હોય છે. પુરુષ અને સ્ત્રીના મગજમાં તફાવત શા માટે જોવા મળે છે. વૈજ્ઞાનિકો માને છે કે તેનો આધાર અંતઃસ્ત્રાવ ઉપર છે. સ્ત્રી અને પુરુષના શરીરના વિકાસમાં જનનીના વિકાસ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ, શરીરના અન્ય અંગોના વિકાસમાં અમુક હદે અસર કરતા જોવા મળ્યા છે.
              
 
ઉંદર ઉપર થયેલા કેટલાક પ્રયોગો માં જોવા મળ્યું કે મનુષ્ય પ્રજાતિ અને ઉંદર ના મગજ માં આવેલ હાઇપોથેલેમસસ્ત્રી અને પુરુષના તફાવત પારખવામાં કદાચ મદદરૂપ બની શકે. કારણકે મગજનો આ ભાગ, મનુષ્યને સંતાનની ઉત્પત્તિ કરવાની ક્ષમતા અને વર્તણૂક સાથે જોડાયેલ છે. 1959 પ્રકાશિત થયેલ એક સંશોધન લેખ માં જોવા મળ્યું કે જ્યારે ગર્ભવતી સ્ત્રીના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે તો, વિકસતા ગર્ભના પુરુષપ્રધાન ફેરફાર થતા જોવા મળે છે. ત્યારબાદ આ વાત મનુષ્ય ના સંદર્ભમાં પણ વૈજ્ઞાનિકોને સંશોધન દ્વારા સાચી લાગી. આવા સંશોધનોથી સ્ત્રી અને પુરુષ વચ્ચેના બાયોલોજીકલ એટલે કે જૈવિક અને શારીરિક ફેરફારો ને ચકાસવામાં તો મદદ મળી પરંતુ, સ્ત્રી-પુરુષ વચ્ચેના હાર્દિક ક્ષમતા અને સ્માર્ટ અને સમજવા માટે આજની ટેકનોલોજી અને સંશોધનો પણ ક્યાં તને ક્યાંક ઉણા ઊતરે છે. કારણકે સ્ત્રી અને પુરુષ વચ્ચે નહીં બૌદ્ધિક ક્ષમતાનો તફાવત માત્ર જૈવિક તથા વચ્ચે શારીરિક બંધારણ ઉપર આધાર રાખતો નથી.

હોર્મોન્સ: “બ્લુ બ્રેઇન, પિંક બ્રેઇન”નો તફાવત                

કેટલાક વૈજ્ઞાનિકો તેને મનુષ્યના અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ સાથે સાંકળે છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષ સબંધી અંતસ્ત્રાવ છે જેના કારણે, પુરુષ વધારે હિંસાત્મક બનતો હોવાનું વૈજ્ઞાનિકો માને છે. સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ, પોતાની લાગણીઓ અલગ અલગ રીતે વ્યક્ત કરતી હોવાથી સ્ત્રી-પુરુષની ઉગ્રતા કે ગુસ્સાને અંતઃસ્ત્રાવ સાથે જોડવો વ્યાજબી લાગતુ નથી. શિકાગો મેડિકલ સ્કૂલના ન્યુરોસાયન્સના પ્રોફેસર અને લેખિકા લિસ એલિયટ એ “બ્લુ બ્રેઇન, પિંક બ્રેઇન” નામનું પુસ્તક લખીને તેમાં સ્ત્રી અને પુરુષના મગજનો તફાવત દર્શાવવાની કોશિશ કરી છે.
                સ્ત્રીઓ સાથે એસ્ટ્રોજેન્સ અને પ્રોજેસ્ટેરોન જોડાયેલા છે જ્યારે, પુરુષ સાથે ટેસ્ટોસ્ટેરોન અને ઍન્ડ્રોજેન સંકળાયેલા છે. ગર્ભાવસ્થાના મધ્ય ભાગ દરમિયાન, પુરુષ ગર્ભના વિકાસ સમયે ટેસ્ટોસ્ટેરોનની માંગ વધી જાય છે. જે માત્ર તેના શરીર શરીરના જ નહીં પરંતુ મગજના વિકાસ માટે પણ જવાબદાર બને છે. જેનેટિક ખામીના કારણે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવની અસર પુરુષ શરીરના વિકાસ માટે ખોરંભે ચડે છે ત્યારે, આપોઆપ સ્ત્રી શરીર જેવો વિકાસ થવા માંડે છે. મનુષ્યના મગજના ભાગ જેવા કે એમિગડાલા અને હિપ્પોકેમ્પસમા સેક્સ હોર્મોન્સને પારખી શકે તેવા રિસેપ્ટર એટલે કે ગ્રાહ્ય કોષો ની સંખ્યા વધારે હોય.
                તબીબો જાણે છે કે ડીએનએ બેઝની એકાદી જોડી પણ આડીઅવળી થાય તો, તબીબી સમસ્યા પેદા થાય છે? અહીં તો સ્ત્રીના શરીરમાં પૂરેપૂરા રંગસૂત્ર ની અદલાબદલી થાય છે. સ્ત્રી પાસે બે એક્સ રંગસૂત્ર હોય છે. જ્યારે પુરુષ પાસે X અને Y નામના રંગસૂત્ર, રંગસૂત્ર 27ની જોડીમાં જોવા મળે છે. યાદ રહે કે સ્ત્રી સાથે સંકળાયેલ એક્સ રંગસૂત્ર ઉપર અંદાજે ૧૫૦૦ જેટલા જનીનો આવેલા છે. જ્યારે વાય રંગસૂત્ર ઉપર ૩૦ જેટલા જનીનો આવેલા છે. આમ શારીરિક ભેદભાવ સર્જનાર સ્ત્રીના રંગસૂત્રમાં જનીનોની સંખ્યા વધારે છે. કદાચ તેના કારણે જ મનુષ્યના શરીરના દરેક કોષની રચના સમયે થોડોક તફાવત જોવા મળતો હશે. મનુષ્યની નવી નવી ચીજ વસ્તુઓ શીખવા સાથે મગજમાં આવેલ “હિપ્પોકેમ્પસ” ભાગ મહત્વની ભૂમિકા ભજવે છે.