Thursday 30 April 2020

પ્લાસ્ટિક પ્રદુષણ: કચરામાંથી 'પાવર' પેદા થશે !


૧૮૫૬ની સાલ હતી. બ્રિટિશ કેમિસ્ટે અર્ધ કૃત્રિમ એટલે કે સેમી-સિન્થેટીક કહેવાય એવા પદાર્થની શોધ કરી. જેને નામ આપ્યું પોર્કસીના. દેખાવમાં એ હાથીદાંત જેવું દેખાતુ હતું. પોર્કસીના પદાર્થમાંથી તેણે અવનવા રમકડા, વાસણ અને ચીજવસ્તુઓ બનાવી. ૧૮૬૨માં પોતાની શોધને લંડનનાં ઇન્ટરનેશનલ એકિઝબીશનમાં રજુ કરી. ફરીવાર ૧૮૬૭માં પેરીસમાં ભરાયેલા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મુકીને વિશ્વ આખાનું ધ્યાન નવા પદાર્થ પર કેન્દ્રીત કરાવ્યું. આ વાતને આજે ૧૬૩ વર્ષ વિતી ગયા છે.
આ પદાર્થ પર અમેરિકન ટાઇપોગ્રાફર જ્હોન વેસ્લે હયાટની નજર પડી. તેણે તેના પર અનેક પ્રયોગો કર્યા. સુધારેલો નવો પદાર્થ બનાવ્યો. જેને સેલ્પલોઇડ નામે પેટન્ટ કરાવ્યો. આ શોધનાં કારણે આપણને ફિલ્મ ઉદ્યોગ મળ્યો. ફિલ્મોને સેલ્યુનોઇડ પર ઉતારવામાં આવી.લોકોને મનોરંજન માટેનું નવું માધ્યમ મળ્યું. સેલ્યુલોઇડ બાદ, તેમાં અનેક સુધારા વધારા થઇને જે પદાર્થ, વિશ્વ સમક્ષ આવ્યો. તેને દુનિયાએ પ્લાસ્ટિકનું નામ આપ્યું. આજે પ્લાસ્ટિક વિશ્વ માટે માથાનો દુખાવો થઇ ગયું છે. તેનું પ્રદુષણ માઝા મુકી ચુકયું છે. પ્લાસ્ટિક એટલે મજબુત પદાર્થ છે. જે જલ્દી વિસર્જન પામતો નથી. આ કારણે તેનો કુદરતી રીતે વિનાશ થતો નથી. હવે આ પ્રદુષણ હટાવવાનો નવો માર્ગ મળી આવ્યો છે.

પ્લાસ્ટિક: ઓળખ આપવાની જરૂર નથી !

પ્લાસ્ટિક એ કાર્બન અને અન્ય તત્વોથી બનેલ કાર્બનીક એટલે કે ઓર્ગેનિક સંયોજન છે. જે સિન્થેટીક પદાર્થ છે. પ્લાસ્ટિકની શોધ બાદ, વિશ્વ આખામાં પ્લાસ્ટિક ફેલાઇ ચુકયું છે. જમીનને પ્લાસ્ટિકે પ્રદુશિત કર્યું છે. પરંતુ મહાસાગરનાં પેટાળ સુધી પ્લાસ્ટિક પહોંચી ગયું છે. ત્યાંની જળસૃષ્ટિ માટે પ્લાસ્ટિક જીવલેણ સાબીત થઇ રહ્યું છે. સરકાર સફાળી જાગી છે.પ્લાસ્ટિકની કેટલીક ચીજવસ્તુઓ, ખાસ કરીને પાતળી પ્લાસ્ટિકની થેલીઓ જેને વેપારી ઝભલા કહે છે. તેનાં ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર જ્યારે કડક બને છે ત્યારે થોડો સમય પ્લાસ્ટિકની કોથળીઓ અદ્રશ્ય થઇ જાય છે. અને.. થોડા સમય પછી પાછી દેખા દે છે.પ્લાસ્ટિક એ ઔદ્યોગિક ઉત્પાદનો માટે એક આવશ્યકતા બની ગયું છે. આવા સમયે જલ્દી વિનાશ પામે તેવો ડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો વપરાશ વધારવાની જરૂર ઉભી થઇ છે. પ્લાસ્ટિક શબ્દનો અર્થ થાય. એવો પદાર્થ જેને આસાનીથી કોઈ પણ પ્રકારનાં આકારમાં સહેલાઇથી ઢાળી શકાય. પ્લાસ્ટિક ખરેખર તો એક પ્રકારનાં પદાર્થની વિશાળ રેન્જ એટલે કે શ્રેણી માટે ભેદભાવ કર્યા વગર વપરાય છે. જેને વિજ્ઞાાન જગત 'પોલીમર' તરીકે ઓળખે છે.
પોલીમરનો અર્થ થાય અનેક ભાગોથી બનેલ પોલીમર હકીકતમાં અલગ અલગ કાર્બનીક પદાર્થોનાં રેસાઓની બનેલ લાંબી સાકળ છે. જો કે કુદરતમાં આવા પોલીમર સેકડોની સંખ્યામાં મળી આવે છે. વનસ્પતિ કોષોની બાહ્ય દિવાલ જે પદાર્થની બનેલ હોય છે તેને 'સેલ્યુલોઝ' કહે છે. સેલ્યુલોઝ એ કુદરતી રીતે બનાવેલ પોલીમર-પ્લાસ્ટિક છે. મુખ્ય સમસ્યા કુદરતી રીતે પેદા થયેલ પોલીમર નહીં પરંતુ પ્રયોગશાળા, ફેકટરીમાં બનતા સિન્થેટીક પ્લાસ્ટિક વિશ્વ માટે સૌથી મોટી સમસ્યા બની ગયેલ છે.પ્લાસ્ટિકને બાળીને તેનો વિનાશ કરવાનું કાર્ય કરીએ તો, કાર્બન ડાયોકસાઇડ અને અન્ય ઝેરી પદાર્થ વાયુ સ્વરૂપે પેદા થઇને, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. પૃથ્વી પર જળ, વાયુ, જમીન આમ ત્રણેયને પ્લાસ્ટિકે પ્રદૂષિત કર્યું છે. સજીવો પ્લાસ્ટિક ખાય છે ત્યારે વળી મોટી સમસ્યા પેદા થાય છે. પ્લાસ્ટિકનો સરળતાથી, ઓછો ખર્ચ અને પર્યાવરણને નુકસાન ન કરે, તેવી રીતે નિકાલ કરવાનો કોઇ ઉપાય નથી. પરંતુ બ્રિટીશ વૈજ્ઞાાનિકે એક નવો આવિષ્કાર કરીને પ્લાસ્ટિકનો નાશ કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે.

પોલીમર ભૂતકાળ દર્શન

પ્લાસ્ટિકનાં પ્રદુષણનો ઉકેલ લાવનાર બ્રિટીશ વૈજ્ઞાાનિકનાં નવાં આવિષ્કારની વાત કરતાં પહેલાં પ્લાસ્ટિકનાં ભુતકાળ ઉપર એક નજર નાખી લઇએ. પ્લાસ્ટિક જેવો પદાર્થ બનાવવાની પ્રેરણા કુદરતે જ મનુષ્યને આપી છે. કુદરતી રબ્બર અને વનસ્પતિ કોષ દિવાલનું 'સેલ્યુલોઝ' એ કુદરતી પોલીમર પદાર્થ છે. જેને સુધારા વધારા કરીને વૈજ્ઞાાનિકોએ સિન્થેટિક પ્લાસ્ટિક બનાવ્યાં છે. પ્લાસ્ટિકનાં પુર્વજો તરીકે રબર, પૃથ્વીનાં પેટાળમાંથી મળતાં અશ્મીજના બળતણ વગેરેને ગણી શકાય. પ્લાસ્ટિકની દુનિયાનું પહેલુ પગલુ, બ્રિટીશ વૈજ્ઞાાનિકે ભર્યું હતું. એલેકઝાન્ડ પોર્કેસે નવો પદાર્થ બનાવ્યો. જેની અટક પરથી દુનિયાએ તેને પાર્કેસીના અને પાર્કેસીન નામ આપ્યું.
પહેલાં બિલીયર્ડ બોલ તરીકે હાથીદાંતનો ઉપયોગ થતો હતો. જ્હોન વેસની હયાને સેલ્યુલોઇડની શોધ કરીને વિશ્વને ફિલ્મ ઉતારવા માટેની ફિલ્મ પટ્ટી આપી. તેનો વિચાર બિલીયર્ડ બોલ બનાવવા સેલ્યુલોઇડનો ઉપયોગ કરવાનો હતો. પરંતુ તે મજબુત ન'હતું. તેમાં કપુર ઉમેરીને ગમે તેવો આકાર આપી શકાય તેવું પ્લાસ્ટિક બનાવ્યું. ૧૯૦૦ની શરૂઆત થતાં ફિલ્મોની બોલબાલા વધી, અને સેલ્યુલોઇડની માંગ પણ વધવા મંડી.વૈજ્ઞાાનિકોએ દુધમાં રહેલ પ્રોટીન 'કેસીન'નો ઉપયોગ સેલ્યુલોઇડ નાઇટ્રેટમાં ઉમેરવા માટે કર્યો જેથી હાથીદાંત જેવી ચમક મળે. ૧૮૯૯માં ફેનોલ ફોર્સીસ્કીહાઇડ રેસીન માટે આર્થર સ્મીથે પેટન્ટ હક્ક પણ મેળવ્યો. હવે વિશ્વ જેનાથી કંટાળી જાય તેવો મજબૂત પદાર્થ વિશ્વ સમક્ષ આપવાનો હતો. ૧૯૦૭માં લીઓ હેન્ડ્રીક બેકેલેન્ડે ફેનોલ- ફોર્માલ્ડીહાઇડની રીએકશન પ્રક્રિયા સુધારવાની કોશીશ કરી. પરિણામે દુનિયાને વિશ્વનું પ્રથમ ૧૦૦ ટકા સિન્થેટીક કહેવાય તેવું પ્લાસ્ટિક મળ્યું.
જેને 'બેકેલાઇટ' જેવું સુંદર વ્યાપારી નામ મળ્યું. ત્યારબાદ વિશ્વનાં વૈજ્ઞાાનિકોએ પાછુ વળીને જોયું જ નહીં. ૧૯૨૬માં વિનાઇલ PVC, ૧૯૩૩માં PVDC, ૧૯૩૫માં વોડિન્સીટી પોલીથીલીન LDPE, ૧૯૩૭માં પોલીયુરેથીન, ૧૯૩૮માં પોલીસ્ટાઇરીન, ૧૯૩૯માં નાઇલોન અને નિઓપ્રીન જેવાં અનેક પ્લાસ્ટિક પોલીમર શોધ્યા. આજે વિશ્વમાં ૨૦૦ કરતાં વધારે પ્રકારનાં પ્લાસ્ટિક પોલીમર અસ્તિત્વમાં છે.

ઈનોવેટીવ આઈડિયા: પાવર જનરેશન

બ્રિટનનાં વૈજ્ઞાાનિકે એક નવી ક્રાંતિકારી શોધ કરી છે. જેનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને 'પ્લાસ્ટીક પોલ્યુશન'થી મુક્ત કરી શકાય તેમ છે. યુનિવર્સિટી ઓફ ચેસ્ટર, દ્વારા એવા પ્લાસ્કીટનો નિકાલ કરવાની વ્યવસ્થા શોધી છે. જે પ્લાસ્ટીકને રિ-સાયકલ કરીને ફરી વાપરવા યોગ્ય બનાવી શકાય તેમ નથી. આવા પ્લાસ્ટીકમાં મુખ્યત્વે ફુડ પેકેજીંગમાં વપરાતું પ્લાસ્ટીક આવે છે. દરિયા કિનારેથી ભેગુ કરેલ પ્લાસ્ટીક એમાં સમાયેલું છે.યુનિ ઓફ ચેસ્ટરનાં થોર્નટન એનર્જી રિસર્વ ઈનસ્ટીટયુટના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર પ્રો. જો હોવેની ટીમે નવો આવિષ્કાર કર્યો છે. તેમણે પ્લાસ્ટીકનો ઉપયોગ પાવર બનાવવા માટે કર્યો છે. વિશ્વની આ પ્રથમ શોધ છે. જે પ્લાસ્ટીક બાળીને 'પાવર' પેદા કરે છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનું વાયુ પ્રદૂષણ કે ઘન પદાર્થ પ્રદૂષણ ફેલાતું નથી.બ્રિટીશ વૈજ્ઞાાનિક કહે છે કે તેમનાં મશીનમાં કોઈપણ પ્રકારનાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બળતણ માટેનો હાઈડ્રોજન વાયુ અને બાય-પ્રોડ્કટ તરીકે વિજળી પેદા કરી શકાય છે. પેદા થયેલ વિજળીને ઈલેક્ટ્રીક કારને ચલાવવા માટે અને રહેઠાણમાં વિવિધ ઉપકરણો ચલાવવા માટે કરી શકાય છે. પ્લાસ્ટીકમાંથી પાવર પેદા કરવાની ટેકનોલોજી વિશ્વભરમાં વાપરવી જોઈએ. નવી ટેકનોલોજી જો લોકપ્રિય બને તો વિશ્વનું થિમ બદલાઈ જશે.
આજે પ્લાસ્ટીકને કચરો ગણવામાં આવે છે તે પ્લાસ્ટીક પાવર પેદા કરવા માટેનો કિંમતી પદાર્થ બની જશે. પ્લાસ્ટીકનું પ્રદૂષણ પણ ઘટી જશે. મોટા શહેરો અને શહેર નજીક આવેલા ગામની ઈલેક્ટ્રીક માંગને પણ પૂરી કરી શકાશે. મુખ્ય મહત્ત્વની વાત એ છે કે દરિયા અને મહાસાગરમાં જે પ્લાસ્ટીક વહી જાય છે તેને રોકી શકાશે. વૈજ્ઞાાનિકો છેલ્લા બે વર્ષથી પ્રોટોટાઈપ મશીન ચલાવી રહ્યાં છે. આ પ્લાન્ટનું મોટું મશીન થોર્નટન સાયન્સ પાર્કમાં આવતા વર્ષે બાંધવામાં આવશે. આટલું વાંચ્યા પછી તમને એક સવાલ જરૂર થશે કે પ્લાસ્ટીકમાંથી પાવર/ઉર્જા કઈ રીતે પેદા કરવામાં આવશે?

પ્લાસ્ટિકમાંથી ઊર્જા કઈ રીતે મળશે?

યુનિ. ઓફ ચેસ્ટરનાં નિષ્ણાતોએ જે સંયંત્ર વિકસાવ્યું છે. તે પર્યાવરણપ્રિય સાબિત થાય તેમ છે. નોન-રિસાયકલેબલ પ્લાસ્ટીકમાંથી હાઈડ્રોજન ફ્યુઅલ અને ઈલેક્ટ્રીસીટી પેદા કરી શકાય છે. મહત્વની વાત એ છે કે આ પ્રક્રિયામાં છેલ્લે કોઈ સોલીડ કચરો કે પદાર્થ બચતો જ નથી. એટલે કે પ્લાસ્ટીક ૧૦૦% નાશ પામે છે. આખરે વૈજ્ઞાાનિકોએ આવો કમાલ કઈ રીતે કર્યો છે? લો આગળ વાંચો...
ધોયા વગર અને છણાવટ કર્યા વગરનાં પ્લાસ્ટિકના, પ્રથમ તબક્કામાં બે ઇંચ લાંબી પટ્ટીઓમાં કાપી નાંખવામાં આવે છે. તેને ગોળ ગોળ ફેરવીને તેમાં રહેલ સોલીડ કચરો દૂર કરવામાં આવે છે. ત્યાર બાદ કાપેલા કચરાને એક ભઠ્ઠીમાં મોકલવામાં આવે છે. ભઠ્ઠીમાં કાચનાં સીલીન્ડર હોય છે. જે ગોળ ગોળ ફરે છે. ભઠ્ઠીને ૧૦૦૦ ડિગ્રી તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ તેમ પ્લાસ્ટીક ઓગળતું જાય છે અને વિવિધ પ્રકારનાં વાયુ મુક્ત થાય છે. આ વાયુને ત્યારબાદ ઈલેક્ટ્રીસીટી/પાવર પેદા કરવા માટે ગેસ ટર્બાઈનમાં મોકલવામાં આવે છે.પેદા થયેલ વાયુને વૈજ્ઞાાનિકો સીનગેસ કહે છે. જેમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ખુબ જ હોય છે. એટલે કે વાતાવરણનું પ્રદૂષણ વધતું નથી. સીનગેસને ઔદ્યોગિક સ્ટાન્ડર્ડ પ્રમાણે, પ્રેસર સ્વીંગ એબસોર્બશન (PSA) પધ્ધતિ વાપરીને એક જ દિવસમાં બે ટન જેટલો હાઈડ્રોજન વાયુ અલગ કરવામાં આવે છે.
જે હાઈડ્રોજન વાપરતા યંત્ર, રોકેટ, કાર, ઉદ્યોગો માટે ઉપયોગી બની શકે છે. બાકી વધેલો વાયુ ગેસ એન્જીનમાં ધકેલવામાં આવે છે. ગેસ એન્જીન વિદ્યુત પેદા કરે છે. આ પધ્ધતિમાં હાઈડ્રોજન મુખ્ય પેદાશ તરીકે મળે છે. જ્યારે વિદ્યુત બાય-પ્રોડક્ટ તરીકે મળી આવે છે. હાલમાં પ્રયોગશાળાનો નવો આવિષ્કાર પ્લાસ્ટીકનું ભવિષ્ય બદલી નાખે તેમ છે.યુનિ. ઓફ ચેસ્ટર, પાવર હાઉસ એનર્જી સાથે ભાગીદારી કરીને, ૫૪ એકરમાં પ્લાસ્ટીક પ્રદૂષણ દૂર કરવાનો પ્લાન્ટ નાખશે. જે એસ્લમેર પોર્ટ, ચેસાપરમાં બનશે. તેમાં પેદા થયેલ વિજળી ૭૦૦૦ ઘરની જરૂરિયાત પૂરી કરશે. ઉપરાંત ૭૦૦૦ હાઈડ્રોજન કારને હાઈડ્રોજન વાયુની જરૂરીયાત પૂરી કરશે.

મનુષ્યની આંખ: જેમાં વસે છે અનોખી દુનિયા


''યે આંખે દેખકર હમ સારી દુનિયા ભુલ જાતે હૈ !'

કદાચ તમને ખ્યાલ હશે કે મનુષ્યનાં આંતરડા, ચામડી, મુત્રમાર્ગ, યોનીમાર્ગ વગેરે સ્થાન, સુક્ષ્મ જીવાણુઓનું આશ્રય સ્થાન ગણાય છે. શરીરના આ ભાગની તંદુરસ્તી માટે સુક્ષ્મ જીવાણુઓ આવશ્યક પણ છે. જો તમને એમ કહેવામાં આવે કે તમારી આંખ પણ વિવિધ ફુગ, બેકટેરીયા, અને વાયરસ પણ વસવાટ કરતાં હોય છે તો તમને અવશ્ય આશ્ચર્ય થશે જ. શરીરમાં જે પર્યાવરણમાં સુક્ષ્મ જીવાણુઓ વસવાટ કરતાં હોય છે એ સમગ્ર પર્યાવરણને ''માઈકોબાયોમ'' કહે છે.
જો માઈક્રોબ્સનું સંતુલન બગડે તો, શરીરનાં વિવિધ ભાગને 'રોગ' થાય છે. કોન્ટેક્ટ લેન્સની શોધ પછી આંખનાં ઈન્ફેકશન/સંક્રમણમાં વધારો થયેલ જોવા મળે છે. હિન્દી ગીતની કેટલીક પંક્તિઓ છે - ''યે યે આંખે દેખકર હમ સારી દુનિયા ભુલ જાતે હૈ !'' ગીતકારને ગીત લખતી વખતે કલ્પના પણ નહીં હોય કે આ 'આંખો'માં સુક્ષ્મ સજીવોની એક અનોખી દુનિયા વસે છે. જેને વૈજ્ઞાાનિકો, 'બેશક' ક્યારેય ભુલી શકે તેમ નથી.

આંખ: અનોખી દાસ્તાન

આંખને આત્માની બારી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યક્તિ સાથે લાગણીમય જોડાણની તક 'આંખ' આપે છે. ભૌતિક દુનિયાનાં ૩D દર્શન માટે 'આંખ' હોવી એ પ્રથમ આવશ્યકતા છે. મનુષ્યને ઉત્ક્રાંન્તિ દરમ્યાન 'આંખ' જેવું અંગ મળ્યું છે, છતાં ઉત્ક્રાંન્તિનાં સિદ્ધાંતને સમજવામાં ''આંખ'' અવરોધ પેદા કરે છે. વૈજ્ઞાાનિકો કહે છે કે આંખ જેવી જટીલ રચના, ઉત્ક્રાંન્તિની પ્રક્રિયામાં કઈ રીતે પેદા થઈ એ સમજવું ખૂબ જ અઘરૂં કામ છે.

જો આપણે પ્રાણીજગતમાં વસનાર પ્રાણીઓનો આંખની લાક્ષણિકતાઓ જાણીશું તો, લાગશે કે વિવિધ પ્રાણીઓની આંખ, કાર્યશૈલીમાં મનુષ્યની આંખને પાછળ મુકી દે તેવી હોય છે. મનુષ્યની આંખ ૧૮૦ ડીગ્રીનો વ્યુ મેળવી શકે છે. જેની સામે ડ્રેગન ફલાયની આંખો ૩૬૦ ડીગ્રી વાળો વ્યુ અને વિઝન મેળવી શકે છે. તેની આંખોમાં ષષ્ટકોણાકાર નાની નાની આંખોનો સમુહ ગોઠવાયેલો હોય છે.
શાર્ક માછલી અને મનુષ્યની આંખની કીકી મળતી આવે છે. જેનાં કારણે 'કોર્નીયા' ટ્રાન્સપ્લાંન્ટ માટે શાર્ક માછલીની કીકી, તબીબો વાપરે છે. ગીની પીંગ નામનું પ્રાણી ખુલ્લી આંખે જ જન્મ લે છે. ધુ્રવ પ્રદેશમાં રહેનારા રીંછની આંખો અલ્ટ્રાવાયોલેટ કિરણોને ફિલ્ટર કરે તેવી હોય છે. સાપની આંખો જોવા ઉપરાંત, ગરમીનું પ્રમાણ અને વિવિધ પ્રકારનું હલનચલન પકડી પાડે છે. પક્ષીઓમાં માત્ર ઘુવડ પક્ષી જ વાદળી રંગને નિહાળવાની ક્ષમતા ધરાવે છે. બકરીની આંખની કીકી લંબચોરસ હોય છે જે તેને સિનેમાસ્કોપ જેવું વિશાળ દ્રશ્ય પેદા કરી આપે છે.
અંધારામાં જોઈ શકે તેવી આંખો ધરાવનાર ચીબરી અને ઘુવડ તેની કીકીઓને ફેરવી શકતા નથી. આ કારણે તેઓ વારંવાર ડોક ચારે બાજુ ફેરવતા રહે છે. શાહમૃગની આંખ તેનાં મગજ કરતાં પણ વધારે વિશાળ હોય છે. પૃથ્વી પર વસનાર બધા સજીવો કરતાં કબુતરની આંખ વધારે સારૂ 'વિઝન' ધરાવે છે. તે લાખો કલર વચ્ચેનો ભેદ પારખી શકે છે. મનુષ્યનાં દ્રષ્ટિપટલનાં એક મીલીમીટર વિસ્તારમાં બે લાખ પ્રકાશ સંવેદનશીલ કોષો હોય છે. જ્યારે બાજ પક્ષીની આંખમાં એક ચોરસ મીલીમીટર વિસ્તારમાં દસ લાખ પ્રકાસ સંવેદનશીલ કોષો હોય છે. પરંતુ મનુષ્યની આંખોમાં આનાથી વધારે સુક્ષ્મ જીવાણુઓ જીવતા હોય છે.

કોર બાયોમ: બેકટેરીયા જરૂરી છે

જ્યારે વૈજ્ઞાાનિકો 'માઈક્રો-બાયોમ'ની ચર્ચા કરતાં હોય છે ત્યારે મોટાભાગે તેમનું ફોક્સ ચામડી, ફેફસા, યોની, આંતરડા જેવા ભાગ મુખ્ય હોય છે. હવે સાયનીસ્ટ પદ્ધતિસર 'આંખ'નો માઈક્રો બાયોમ પણ ચકાસવા લાગ્યા છે. છેલ્લાં દસ વર્ષમાં આ ક્ષેત્રમાં ખૂબ જ સંશોધનો થઈ રહ્યાં છે.

બેએક દાયકા પહેલાં 'આંખની તંદુરસ્તીનો સંબંધ માઈક્રો-બાયોમ સાથે છે.' એ વિદ્યાન વિવાદાસ્પદ ગણાતું હતું. હવે એ વાદ-વિવાદનાં સ્થાને સર્વ સ્વીકૃત હકીકત બની ચૂક્યું છે. અભ્યાસ દર્શાવે છે કે હવા, હાથ, આંખની પાપણો અને આંખ અને પોપચા વચ્ચેની જગ્યામાં વિવિધ પ્રકારનાં બેકટેરીયા રહેતા હોય છે. આંખોને સ્વચ્છ રાખવા માટે આંખોમાં પ્રવાહી/પાણી નિકળે છે. આંસુ નિકળે ત્યારે અથવા આંખોને ધોઈએ છીએ ત્યારે બેકટેરીયા પણ ધોવાઈ જાય છે અથવા નાશ પામે છે.

વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું છે કે ચાર પ્રકારનાં બેક્ટેરીયા આંખ માટે ખૂબ જ જરૂરી છે. જેમાં સ્ટેફાયલોકોકી, વિથેરીઓઈડ, પ્રોપિયોની બેક્ટેરીયા અને સ્ટેપયેકોકીનો સમાવેશ થાય છે. આ બેકટેરીયાનો 'બાયોમ' વૈજ્ઞાાનિકો ''કોર'' બાયોમ તરીકે ઓળખે છે. આ ઉપરાંત ટોર્ક ટેનો વાયરસ કેટલાંક આંખોનાં રોગ માટે જવાબદાર છે. તેનો પણ 'કોર' માઈક્રો બાયોમમાં સમાવેશ થાય છે.

તંદુરસ્ત વ્યક્તિમાંથી ૬૫ ટકા લોકોની આંખમાં આ 'કોર' બાયોમ હાજર જ હોય છે. દુનિયાભરમાં વસનાર વિવિધ ભૌગોલિક સ્થાન મુજબ, આંખોનો માઈક્રો-બાયોમ બદલાતો રહે છે. ભૌગોલિક સ્થાન, વિવિધ વંશનાં લોકો, વ્યક્તિની ઉમર પ્રમાણે માઈક્રો બાયોમમાં ફેરફાર જોવા મળે છે.

વૈજ્ઞાાનિકો કહે છે કે તબીબો જ્યારે આંખનાં સંક્રમણ માટે વિવિધ એન્ટી-બાયોટેક દવાઓની ભલામણ દર્દીને કરે છે ત્યારે ખાસ વિચારવું જોઈએ. ચોમાસા અને ભેજવાળાં વાતાવરણમાં થતો ચેપી રોગ 'કન્જકટીવાઈટીસ' એટલે કે આંખો આવવાની બિમારીનું મુખ્ય કારણ 'વાયરસ' હોય છે અને વાઈરસ ઈન્ફેકશન સામે એન્ટી-બાયોટીક દવાઓ બેઅસર સાબીત થાય છે.

આવા કિસ્સામાં એન્ટી-બાયોટીક દવાઓ દર્દીને લેવાની ભલામણ કરવી એ નિર્થક બાબત છે. બેકેટરીઆનાં સક્રમણ સામે પણ એન્ટી-બાયોટીકની ભલામણ કરવી જોઈએ નહીં કારણ કે ૭-૧૦ દિવસમાં આંખોને લાગેલ બેકેટરીયાનો ચેપ, શરીરની રોગ પ્રતિકારક પ્રણાલી આપમેળે ઠીક કરી આપે છે.

ઈન્ફેકશન: જેને ધોઇ નાખે છે ''આંસુ''

આંખોમાં સુક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે. પરંતુ ચામડી પર વસવાટ કરનાર સુક્ષ્મ જીવાણુઓ કરતાં આંખોમાં રહેનાર જીવાણુની સંખ્યા સો ગણી ઓછી હોય છે. આંખોમાંથી જે આંસુ નિકળે છે તેમાં ખાસ પ્રકારનાં એન્જાઇમ્સ / ઉત્સેચકો હોય છે. જે બેકટેરીયાની સંખ્યા વધતી રોકે છે. આંખોમાં રહેલ બેકટેરીયાનો સફાયો બોલાવવા આંખમાં આવતાં 'આંસુ' ખુબ જ મહત્વનાં છે.

આંસુમાં રહેલ એન્જાઇમ્સ બેકટેરીયાની કોષ દિવાલ તોડી નાખે છે. જેનાં કારણ તેઓ પોતાનાં જેવા બીજા બેકટેરીયા પેદા કરી શકતા નથી. બેકટેરીયાની સંખ્યાનું સંતુલન બગડે ત્યારે 'ડ્રાય આઇ' સુકાઇ નથી. એન્ડો ઓપ્થલ મીટીસ, જોગ્રેન સિન્ડ્રોમ, કોર્નીઅલ સ્કેરીંગ જેવાં રોગ થાય છે. વૈજ્ઞાાનિકોને આશા છે કે આવા રોગોનાં નિયંત્રણ માટે જીનેટીકલી મોડીફાઇડ બેકટેરીયા વાપરવામાં આવશે, જે આંખોનાં વિવિધ રોગોની સારવાર માટે ખાસ તબીબી પધ્ધતિનો વિકાસ કરવા માટે ઉપયોગી બનશે.

આંખોનાં કૉર માઇક્રોબાયોમ ઉપરાંત કેટલાંક નાના નાના સુક્ષ્મ જીવાણુઓની હાજરી પણ આંખોમાં જોવા મળી છે. જેમનાં નામ છે.. ક્લેમીડીયા ટ્રેફોમેટીસ, ક્લેમાઇડોફીલા ન્યુમોનીઆ, હેમોફીલસ એજીપ્ટીયસ હેમોફેલસ ઈન્ફ્લુએન્જા, મોરેક્ષેલા, નેઇસીરીયા, આંખોને હંમેશા ભીની રાખવા માટે, આંખોને સ્વચ્છ રાખવા માટે જે અલ્પ માત્રામાં પ્રવાહી આંખમાં ઝરે છે. તેમાં લાઇસોઝોમની હાજરી હોય છે. લાઇસોઝોમની હાજરીનાં કારણે બેકટેરીયાની સંખ્યા વૃધ્ધિ અટકી જાય છે.

લાઇસોઝોમની હાજરીમાં બેકટેરીયા માટે પોતાનાં જેવાં સુક્ષ્મ જીવોને જન્મ આપવા કોષ વિભાજન પ્રક્રીયા કરવી મુશ્કેલ બની જાય છે. નવજાત શીશુની રોગ પ્રતિરક્ષા પ્રણાલી ખૂબ જ નબળી હોય છે. તેમની આંખોને ઝડપથી રોગ લાગે તેવી શક્યતા હોય છે. પરંતુ તેઓ રડે છે અને આંસુ બહાર આવે છે. જેનાં કારણે બેકટેરીયા ધોવાઇ જાય છે. આંસુમાં રહેલ એન્જાઇમ્સ અને લાઇસોઝોસ, બાળકોની આંખોને રોગ લાગવાથી  બચાવે છે.

જીનેટીકલી મોડીફાઇડ બેકટેરીયા: આવતીકાલની સારવારમાં વપરાશે

શું બેકટેરીયાની હાજરી, અન્ય નુકસાનકારી બેકટેરીયાને કાબુમાં રાખી શકે ? આ સવાલનો જવાબ મેળવવા વૈજ્ઞાાનિકો નવા સંશોધનો કરી રહ્યાં છે. એક વાર વૈજ્ઞાાનિકો સમજી લે કે બેકટેરીયા અન્ય બેકટેરીયાનાં ચેપને કઇ રીતે અટકાવે છે ? આ સવાલનાં જવાબમાં વૈજ્ઞાાનિકો, બેકટેરીયાનાં જેનો મને મોડીફાઇડ કરી શકે તેમ છે.

મોડીફાઇડ જેનોમવાળા બેકટેરીયા, આંખની વિવિધ સારવાર માટે ઉપયોગી બની શકે તેમ છે. ૨૦૧૬માં રચેલ કાસ્પી અને ટોની બેગરે જોયું કે ''આંખોમાં રક્ષાત્મક ભુમિકા ભજવે તેવાં બેકટેરીયા પણ વસવાટ કરે છે. કોર્નીબેકટ્રીયસ માસ્ટીટીડીસ નામનાં બેકટેરીયા રોગપ્રતિકાત્મક કોષોને સચેત કરે છે. જેનાં કારણ આ કોષો એન્ટી માઇક્રોબીયસ કારકોને તે મુક્ત કરે છે. ઉંદર ઉપર કરવામાં આવેલ પ્રયોગો એ તેમનાં સંશોધનને સાચા ઠેરવ્યા છે.

ઉંદરમાં અંધાપો લાવે તેવા બે બેકટેરીયાની હાજરી તેમની આંખોમાં જોવા મળી છે. જે કેન્ડીડા એલ્બીકન્સ અને સ્પુડો મોનાસ એરીજીનોસા નામે ઓળખાય છે. તેમની સામે પ્રોટેક્ટીવ ઈમ્યુન રિસ્પોન્સ એટલે કે રક્ષાત્મક રોગ પ્રતિરક્ષા સહયોગ વિકસાવવા માટે બેકટેરીયાનો ઉપયોગ થઇ શકે છે.

'ડ્રાય આઇ' જેવી આંખની વ્યાધી માટે સી. માસ્ટ બેકટેરીયાનો ઉપયોગ કરી શકાય તેમ છે કારણ કે તે આંખની રોગપ્રતિરક્ષા પ્રણાલી માટે કામ કરતાં કોષોને એક્ટીવેટ કરે છે જેનાં કારણ આંસુગ્રંથીમાંથી પ્રવાહી નિકળે છે. જે આંખોને સુકાઇ જતી બચાવે છે. અમેરીકામાં દર વર્ષે 'ડ્રાય આઇ'નાં ચાલીસ લાખ દર્દી, સારવાર માટે દવાખાને જાય છે. ભવિષ્યમાં વૈજ્ઞાાનિકો રોગ સામે કામ લાગે તેવા 'ડ્રગ્સ' પેદા કરી શકે તેવા જીનેટીકલી મોડીફાઇડ બેકટેરીયાનું પ્રયોગશાળામાં સર્જન કરવા માંગે છે.

Wednesday 29 April 2020

મીની બ્લેકહોલ: નવો અનોખો આવિષ્કાર...


Pub. Date : 10.11.2019
તાજેતરમાં એક અનોખી ઘટના બની છે. જેની નોંધ પુરતી લેવાઈ નથી. વૈજ્ઞાાનિકોએ મીનીબ્લેક હોલની શોધ કરી છે. આ વાત માત્ર થિયરી પુરતી સીમીત નથી. ખગોળ વૈજ્ઞાાનિકોએ પુરાવા સાથે સાબીત કરી છે. કહેવાનો મતલબ સાફ છે કે બ્રહ્માંડનાં નવાં નવાં રહસ્ય આપણી સામે આવી રહ્યાં છે. જે આપણી બ્રહ્માંડ વિશેની સમજ અને ભૌતિકશાસ્ત્રની થિયરીને બદલવા માટે મજબુર કરી રહ્યાં છે.
૧૯૨૭થી ભૌતિક શાસ્ત્ર અને ક્વૉન્ટસ મિકેનિક્સને સાંકળીને બ્રહ્માંડને લગતાં ભૌતિક શાસ્ત્રનાં નિયમોને એક યુગમાં બાધવાની કસરત અનેક ભૌતિકશાસ્ત્રે કરી રહ્યાં છે પરંતુ તેમને સફળતા મળી નથી. ક્વૉન્ટમ મિકેનિકલ દ્વારાં પેદા થયેલ 'ગેપ'ને સમજાવવા એક નવું પુસ્તક બજારમાં સપ્ટેમ્બર મહિનામાં આવ્યું છે. જેનું નામ 'સમથીંગ ડિપ્લી હિડન' એટલે કે કંઇક ઉંડાણમાં ન સમજાય તેવું છુપાયેલું છે. આખરે આ છુપાયેલ રહસ્ય શું છે ? મીની બ્લેક હોલ અને 'સમથીંગ ડિપ્લી હિડન'ની કોમ્બો સફર કરીએ...

બ્લેક હોલ એટલે...

વૈજ્ઞાાનિકોએ એવા બ્લેક હોલની શોધ કરી છે. જે આજ પહેલાં શોધાયો નથી. સામાન્ય રીતે ભૌતિકશાસ્ત્રનાં નિયમ મુજબ, તારાંનાં મૃત્યુ બાદ બ્લેક હોલનું સર્જન થાય છે. શરત માત્ર એટલી કે આવા તારાંનું કદ આપણા સૂર્યકરતાં પાંચગણું કે તેથી વધારે હોય ત્યારે જ તેમાંથી બ્લેક હોલનું સર્જન થઇ શકે. અત્યાર સુધી આપણા સુર્ય કરતાં પણ વધારે વિશાળ બ્લેક હોલ મળી આવ્યાં છે જેનું કદ સુર્યનાં કદ કરતાં પાંચથી ૨૦ ગણુ વધારે છે.
કેટલીક વાર યુગ્મ કે જોડીયા તારાંની સીસ્ટમનાં કારણે પણ બ્લેક હોલનું સર્જન થાય છે. બે તારાંમાંથી કોઈ એક તારાંનું 'ફ્યુઅલ' ખતમ થઇ જાય એટલે વિસ્ફોટ સાથે તે ફાટે છે. આ વિસ્ફોટ 'સુપરનોવા' વિસ્ફોટ તરીકે ઓળખાય છે. વિસ્ફોટ બાદ બે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તારાંનાં કેન્દ્ર ભાતમાં ખૂબ જ ઘનતાવાળા ન્યુટ્રોન સ્ટારની રચના થાય છે અથવા તેનાથી પણ વધારે ઘનતાવાળા બ્લેક હોલનું સર્જન થાય છે. તેની ઘનતા/ડેન્સીટી એટલી હોય છે કે તેમાંથી પ્રવાસનું કિરણ પણ પસાર થઇ શક્તું નથી.
બાયનરી સીસ્ટમવાળા સ્ટારમાં બ્લેક હોલ સર્જન થવાની શક્યતા વધારે હોવાથી વૈજ્ઞાાનિકોએ એક લાખ જેટલાં બાય નરી સ્ટાર સીસ્ટમ ચકાસી જોઈ. અને એક કિસ્સામાં નવાઈ પામવા જેવાં પરીણામ સામે આપ્યાં. તેમને એક મીની બ્લેક હોલ જોવા મળ્યો જેનો માસ સુર્ય કરતાં માત્ર ૩.૩૦ ગણો જ વધારે હતો. આ મીની બ્લેક હોલને સમજવાથી વૈજ્ઞાાનિકોને બ્લેક હોલની રચના કરનાર 'સુપરનોવા' વિસ્ફોટની અત્યાર સુધી સામે ન આવી હોય તેવી છુપાયેલી હકીકત અને માહિતી મળવાનાં ચાન્સ વધી જાય છે. આ ઘટના સમજાતી બ્રહ્માંડની ઉત્ક્રાંતિ પણ સમજી શકાશે.

ટોડ થોમસન: અનોખી સિધ્ધિ...

ટોડ થોમસન એક્સપરીમેન્ટલ એસ્ટ્રો-ફીજીસ્ટ છે. જેમણે ૨૦૦૨માં થિયોરેટીકલ એસ્ટ્રો ફીજીક્સમાં પીએચડી કરી છે. તેમનાં સંશોધનનો મુખ્ય વિષય છે. સુપર નોવા વિસ્ફોટ અને ન્યુટ્રોન સ્ટારનો જન્મ. તેઓ યુની ઓફ ઓહીયોનાં ખાસ પ્રોગ્રામ પર કામ કરી રહ્યાં છે. જેનું નામ છે. અપાચે પોઈન્ટ ઓબઝરવેટરી ગેલેક્ટીક ઈવોલ્યુશન એક્સપરીમેન્ટ. આ પ્રોગ્રામમાં તેમણે બ્રહ્માંડનાં એક લાખ તારાઓનાં પ્રવાસનાં ડેટાને એકઠો કરીને તેનું પૃથ્થકરણ કર્યું છે.
જો આવા તારાં કોઈ બ્લેક હોલની આસપાસ ફરતાં હોય તો તેનાં પ્રકાશનાં વર્ણપટ/સ્પેક્ટ્રામાં ફેરફાર જોવા મળે છે. બ્લેક હોલની સંભાવના ચકાસવા માટે ટોડ થોમસન અને ટીમે એક લાખ તારામાંથી ૨૦૦ તારાંઓને અલગ તારવ્યાં ટોડ જેની આસપાસ બ્લેક હોલ હોવાની સંભાવના વધારે હતી. ઓહીયો યુનિવર્સિટીનાં ૨૦ જેટલાં રોબોટીક ટેલીસ્કોપ વાપરીને તેઓ ઓલ સ્કાય ઓટોમેટીક સર્વે ફોર સુપર નોવા પ્રોગ્રામ ચલાવે છે.
સંશોધન અને અવલોકનમાં જોવા મળ્યું કે ર્વં ૫૨૧૫૬૫૮ નામનો વિશાળકાય રેડ જાયન્ટ/રક્ત દાનવ કોઈક બ્લેક હોલની ઓરબીટમાં ફરે છે. ડેટાનું પૃથ્થકરણ કરતાં બ્લેક હોલનો માસ સૂર્ય કરતાં માત્ર ૩.૩૦ ગણો જ વધારે હોવાનું સામે આવ્યું હતું. આ એક અનોખી ઘટના હતી. હજી સુધી કોઈએ આવો નાનો બ્લેક હોલ શોધ્યો નથી. વાત એ છે કે સૈધાંતીક રીતે પણ આવો નાનો બ્લેક હોલ હોઈ શકે તેવી ભૌતિક શાસ્ત્રીઓએ આશા પણ રાખી નથી. કે તેનાં વિશે કોઈ થિયરી પણ વિજ્ઞાાન પાસે નથી.
પ્રો. થોમસન કહે છે કે અમારુ કામ આવનારી પેઢીને બ્લેક હોલને નવી નજરે જોતાં શીખવશે. પ્રો. થોમસન સરખામણી કરતાં કહે છે કે અન્ય બ્લેક હોલ સાથે મીની બ્લેક હોલની સરખામણી કરવી હોય તો, ખગોળશાસ્ત્રીઓએ અંતરીક્ષમાં માત્ર ૫ ફૂટ નવ ઇંચના માનવીની શોધ કરવાનું કામ કર્યું છે. ત્રણ ફૂટનાં વામન મનુષ્ય શોધવાનું કામ તેમણે કર્યું જ નથી.

વિસ્તરતી ક્ષિતિજો...

ભૌતિક શાસ્ત્રની સાદી સમજ પ્રમાણે વૈજ્ઞાાનિકો માનતા હતાં કે બ્લેક હોલનો માસ/દ્રવ્ય સામાન્ય રીતે સુર્યનાં દ્રવ્ય/પદાર્થ/માસ કરતાં પાંચ ગણુ કે તેથી વધારે મહત્તમ ૧૬ ગણું હોઈ શકે. જો કે ૨૦૧૭માં લીગો નામની વેધશાળાએ અનોખી ઘટના નોંધી હતી. તેમણે બે વિશાળકાય બ્લેક હોલ એક નો માસ સુર્યથી ૩૧ ગણો અને બીજાનો માસ / સુર્યથી ૨૫ ગણો વધારે હતો.
વિજ્ઞાન જગત આશ્ચર્યથી "WOW" બોલી ઉઠયું હતું. આ બ્લેક હોલને એક બીજામાં સમાઈ જતાં 'લીગો' વેધશાળાનાં વૈજ્ઞાાનિકો જોયા હતાં. ઘટના ખુબ જ મહત્ત્વની હતી. આ ઘટના દ્વારા 'લીગો'ના વૈજ્ઞાાનિકોએ ગુરૂત્વાકર્ષણ માટે જવાબદાર 'ગ્રેવીટી વેવ્ઝ' પકડી પાડયાની જાહેરાત કરી હતી. તેમની અનોખી સિધ્ધી માટે ત્યાર બાદ તેમને 'નોબેલ' પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું.
યાદ રહે કે સુર્યથી ૩૧ થી ૨૫ ગણા વધારે માસ વાળા બ્લેક હોલ એક અનોખી ઘટના છે તો તાજેતરમાં માત્ર ૩.૩૦ ગણા વધારે માસ ધરાવતા તારાં  JO ૫૨૧૫૬૫૮ નો મીની બ્લેક હોલ પણ વિશીષ્ટ ઘટના છે. જેમણે ભૌતિકશાસ્ત્રીઓની બ્રહ્માંડ અને બ્લેક હોલને જોવાની નજર બદલી નાખી છે.બ્રહ્માંડમાં ન્યુટ્રોન સ્ટાર જોવા મળે છે તેનો માસ સુર્ય કરતાં વધારેમાં વધારે ૨.૧૦ ગણો વધારે જોવા મળ્યો છે. જો ન્યુટ્રોન સ્ટારનો માસ સુર્ય કરતાં ૨.૫૦ ગણો વધારે પહોંચે તો, તે પોતે ધ્વંસ પામીને નાનો બ્લેક હોલ સર્જી શકે છે. આમ ન્યુટ્રોન સ્ટાર અને બ્લેક હોલ વચ્ચેનો માસ 'ગેપ' એક અનોખું રહસ્ય હતું. જે તે બ્રહ્માંડમાં વાસ્તવિક રીતે નિહાળી શકાયું ન હતું. તાજેતરનાં મીની બ્લેક હોલ એક આંખો ખોલી નવંક બ્રહ્માંડ બતાવે છે.

આગામી પડાવ: મલ્ટીવર્સ...

એક સદી પહેલાં વૈજ્ઞાાનિકો એવું માનવા લાગ્યા હતાં કે ભૌતિક શાસ્ત્રની સીમા રેખા સુધી માનવી પહોંચી ગયો છે. હવે નવું કંઈ જ શોધવાનું બાકી રહેતું નથી. આમ છતાં વૈજ્ઞાાનિકોએ બ્લેક હોલ, ક્વૉન્ટમ મિકેનીક્સ, ગ્રેવીટી વેવ્ઝ અને અનેક સુક્ષ્મ કણો ઉપરાંત 'હિગ્સ બોસોન'ની શોધ કરી બતાવી છે.આ ભુતકાળ કહે છે કે ભૌતિક શાસ્ત્રની સીમા રેખા હજી આવી નથી. વૈજ્ઞાાનિકોએ બ્રહ્માંડનાં અનેક રહસ્યો હજી સમજવાના બાકી છે. એવું જ એક રહસ્ય છે મલ્ટીવર્સ એટલે કે એવી દુનિયા જ્યાં આપણા બ્રહ્માંડ જેવું એક નહી અનેક બ્રહ્માંડ છે. આપણા 'વેદ' પણ આ વાતની સાબીતી શ્લોકો દ્વારા આપે છે.
તાજેતરમાં સીન કેરોલ નામનાં ભૌતિક શાસ્ત્રીએ 'મલ્ટી વર્સ'ને લગતો એક કાર્યક્રમ NBC પર આપ્યો હતો. તેઓ ખ્યાતનામ 'કેલટેક'નાં ભૌતિક શાસ્ત્રી છે અને 'સમથીંગ ડિપ્લી હિડન' નામનું લેટેસ્ટ પુસ્તક લખ્યું છે. જે ન્યુયોર્ક ટાઈમ્સનાં બેસ્ટ સેલર પુસ્તકોની યાદીમાં આવી ગયું છે. તેઓ (સીન કેરોલ) કહે છે કે ''આપણે માત્ર એક જ પ્રકારનાં ભૌતિકશાસ્ત્રનાં નિયમો જાણીએ છીએ.'' એક કરતાં વધારે બ્રહ્માંડ અથવા અનંત બ્રહ્માંડ હોઈ શકે ખરા? આપણે જાણતા નથી.
તમે કોઈ પદાર્થ જુઓ છો ત્યારે તેનાં પરમાણુંમાં રહેલ ઈલેક્ટ્રોનનું કોઈ સ્થાયી લોકેશન હોતું નથી. આપણે જન્મથી મૃત્યુ અને વધારેમાં વધારે પુન:જન્મ સુધી કલ્પના દોડાવીએ છીએ. અનેક બ્રહ્માંડમાં આપણા જ નવા અવતાર અલગ અલગ રીતે વર્તતા હશે એવી આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે માનીએ છીેએ કે 'હું' એક માત્ર છું. મારા જેવો બીજો કોઈ ન હોઈ શકે.માર્ટીન રીસ જેવા ખ્યાતનામ ખગોળશાસ્ત્રી કહે છે કે ભૌતિક શાસ્ત્રનો નવો 'બ્રેક થુ્ર' આવિષ્કાર હશે 'મલ્ટી વર્સ' એટલે કે સ્પેસ-ટાઈમનાં આપણા જ બ્રહ્માંડમાં કોઈ નવું બ્રહ્માંડ જોવા મળશે?


ડાયરેક્ટ ફ્યુઝન ડ્રાઇવ: પ્રયોગશાળાની બહાર નીકળી કમાલ કરશે !


ભવિષ્યનાં સ્પેસ ક્રાફ્ટ માટે આધુનિક પ્રપલ્ઝન સિસ્ટમનાં વિકલ્પ વિશે વિચારવાનો સમય આવી ગયો છે

બ્રહ્માંડ માત્ર બે સ્વરૂપે જોવા મળે છે. એક તેમાં રહેલ પદાર્થ એટલે કે મેટર અને બીજું સ્વરૂપ એટલે ઉર્જા એનર્જી. ઉર્જા એ સજીવ અને નિર્જીવ બંને વસ્તુને ચલાવવા માટે જરૂર પડે છે. આજથી લગભગ ૧૬ વર્ષ પહેલાં પ્રિન્સ્ટન પ્લાઝમા ફિજીકલ લેબોરેટરીનાં સેમ્યુઅલ એ. કોહેને નવો કોન્સેપ્ટ આપ્યો હતો. જેનું નામ હતું ડાયરેક્ટ ફ્યુઝન ડ્રાઇવ. આ ટેકનોલોજી એક નવતર પ્રયોગ હતો. જેમ પદાર્થનાં પરમાણુનું વિભાજન એટલે કે 'ફિશન' કરવાથી પુષ્કળ ઉર્જા મળે.

એવી જ રીતે બે પરમાણુનું જોડાણ કરવામાં આવે તો, એમાંથી પણ ઉર્જા મેળવી શકાય. આ પાયાનો સિધ્ધાંત, પ્રિન્સ્ટન પ્લાઝમા ફિજીક્સ લેબોરેટરીએ આપેલ ડાયરેક્ટ ફ્યુઝન ડ્રાઇવનો પાયો નાખતો હતો. સંશોધન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. તાજેતરમાં આ લેબોરેટરીએ જાહેર કર્યું છે કે 'જો સ્પેસ ક્રાફ્ટમાં આધુનિક ટેકનોલોજી એટલે કે ડાયરેક્ટ ફયુઝન ડ્રાઇવ સિસ્ટમ વાપરવામાં આવેને ક્રાફ્ટની ઝડપ બમણી કરી શકાય અને મુસાફરીનો સમય ઘટાડી શકાય. હાલમાં મનુષ્યને પ્લુટો ગ્રહ પર સ્પેસ ક્રાફ્ટ પહોંચાડતા, નવ વર્ષ લાગે છે. તેના  માટે માત્ર પાંચ વર્ષ જ લાગે.

પ્રસ્તાવના: પ્રપલ્ઝન પ્રણાલી...

આયન ડ્રાઇવ, સોલાર સેઇલ, ન્યુક્લીઅર ફ્યુઝન અને ફિશન એ સાયન્સ ફિકશનમાં આવતાં સ્પેસ ક્રાફ્ટમાં વપરાતાં જોવા મળે છે. અત્યાર સુધી સ્પેસ ક્રાફ્ટની પ્રયલ્ઝન સિસ્ટમ તરીકે તેને બહુ સીરીયસલી 'ન્યુ ટેકનોલોજી' તરીકે લેવામાં આવી નથી. જોકે હવે નાસાને રહી રહીને 'બ્રહ્મજ્ઞાાન' પ્રાપ્ત થયું છે. 'સ્પેસ પ્રપલ્ઝન' સિસ્ટમને નવો 'અવતાર' આપવા તેણે નાણા કોથળી ઢીલી મૂકી છે. આપણા સમાનવ અંતરીક્ષ યાનને હવે, ચંદ્રથી દૂર અને મંગળ ગ્રહ સુધી પહોંચાડવાના છે.

માનવ રહીત સ્પેસ ક્રાફ્ટને સુર્યમાળા વટાવીને અતિદૂરના અંતરીક્ષમાં ધકેલવાનાં છે. જો આ કાર્યમાં એટલે કે સ્પેસ ક્રાફ્ટ ધીમી, મંથર ગતિએ અંતરીક્ષમાં વહેતું હોય તો કામ ચાલે નહીં. હાલની વર્તમાન પ્રણાલીમાં હવે વધારે નવા સુધારા-વધારા કરવાનો અવકાશ બચ્યો નથી. આ કારણે વૈજ્ઞાાનિકો હવે પરંપરાગત પ્રણાલીથી ફરીને ખરેખર એકવિસમી સદીની કહેવાય તેવી આધુનિક ટેકનોલોજી વિકસાવવા માંગે છે.

અત્યાર સુધીમાં રોકેટ એન્જીનમાં પરંપરાગત રીતે રસાયણો વપરાય છે. જે મુખ્યત્વે ઘન સ્વરૂપે અથવા વાયુ સ્વરૂપે રહેલાં હોય છે. તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જા એટલે કે કેમિકલ એનર્જી, બીજી વિશ્વયુધ્ધ દરમ્યાન પાવરફુલ રોકેટ બનાવવા માટે વૉનર વૉન બ્રાઉને પ્રયોગો દ્વારા નવિન ડિઝાઇનવાળા ફ-૨ રોકેટ તૈયાર કર્યા હતાં. ત્યારથી માંડીને અત્યાર સુધી રોકેટ-મિસાઇલ કેમિકલ એનર્જી આધારીત રહ્યાં છે. તેમાં હવે એક સિમારેખા આવી ગઇ છે. રોકેટ એન્જીન કે સ્પેસક્રાફ્ટ - સેટેલાઇટ પ્રપલ્ઝન સિસ્ટમમાં હવે મોડીફીકેશન કરી વધારે ઝડપી એન્જીન બની શકે તેમ નથી એટલે સ્પેસક્રાફ્ટ માટે નવી ટેકનોલોજી વિકસાવવાનો સોનેરી સમય આવી ગયો છે.

માત્ર નાસા નહીં વિશ્વની સૌથી પાવરફુલ સત્તાઓ જેવાં કે રશિયા, ચીન, ભારત, યુરોપ વગેરે પણ નવી સ્પેસ પ્રપલઝન સિસ્ટમ વિકસાવવા પ્રયત્નો કરી રહ્યાં છે. આવનારાં સમયમાં સુપર-હિટેડ પ્લાઝમાં વાપરીને વૈજ્ઞાાનિકો ઈલેક્ટ્રો-થર્મલ એનર્જી આધારીત પ્રપલઝન વિકસાવશે. અમેરિકાની પ્રિન્સ્ટન પ્લાઝમા ફિજીકસ લેબોરેટરી આ માર્ગે ચાલવા લાગી છે.

ડાયરેક્ટ ફ્યુઝન ડ્રાઇવ: કમાલની કરામત...

તાજેતરમાં ડાયરેક્ટ ફયુઝન ડ્રાઇવનાં સંશોધકોએ તેમનાં સંશોધનને મિડીયા સમક્ષ રજુ કર્યું છે. જ્યાં શનિ ગ્રહ સુધી જતાં સાત વર્ષ લાગે છે અને પ્લુટો તરફ જતાં નવ વર્ષ લાગે છે. આ મુસાફરી અનુક્રમે માત્ર બે વર્ષ અને પાંચ વર્ષમાં પુરી કરી શકાય. પ્રિન્સ્ટન પ્લાઝમા ફિજીક્સ લેબોરેટરીએ સ્પેસ ક્રાફ્ટ એક નવું એન્જીન વિકસાવી રહ્યાં છે. જેમાં હિલીયમ અને હાઇડ્રોજન તત્વનાં સમસ્થાનિકોને ભેગા કરીને ઉર્જા ઉત્પન્ન કરશે. આ ઉર્જા સ્પેસ ક્રાફ્ટની પ્રપલ્ઝન સિસ્ટમમાં વાપરવામાં આવશે.

સ્પેસ ક્રાફ્ટનો વેગ વધારવા જે પ્રણાલી વપરાય છે તેને 'પ્રપલ્ઝન સિસ્ટમ' કહે છે. અત્યાર સુધી દસ જેટલી પ્રપલ્ઝન સિસ્ટમ વિશે વૈજ્ઞાાનિકો વિચારી ચુક્યાં છે. જેમાંની કેટલીક પ્રણાલી વાસ્તવિકતા બની ચુકી છે. પ્રિન્સ્ટન પ્લાઝમા ફીજીક્સ લેબોરેટરીની ''ડાયરેક્ટ ફ્યુઝન ડ્રાઇવ'' છે. અવનવા સોનેરી ભવિષ્યની આશા છે. ૨૦૨૮ સુધીમાં આ ટેકનોલોજીવાળું એન્જીન તૈયાર થઇને સ્પેસ ક્રાફ્ટમાં વપરાવા લાગશે. જેનાં કારણે સ્પેસ ક્રાફ્ટની મુસાફરી સમય ઘટાડીને સામાન્ય કરતાં અડધો કરી શકાશે. આખરે ડાયરેક્ટ ફ્યુઝન ડ્રાઇવ  (DFD) શું છે ?

એક નળાકારમાં હિલીયમ-૩ અને ડયુરેટીઅમ એટલે કે હાઇડ્રોજનનો એક સમસ્થાનિક વાયુ સ્વરૂપે વપરાયા છે. તેને પુષ્કળ ગરમી આપવામાં આવે છે ત્યારે હિલીયમ-૩ અને ડયુરેટીયમ હોટ પ્લાઝમા સ્વરૂપે ફેરવાય છે. પરમાણુ હવે 'આયન'માં ફેરવાઇ ચુક્યાં હોય છે. આ પ્રક્રીયામાં અતિ લો લેવલનું રેડિયેશન પેદા થાય છે. જે આ પ્રણાલીની ખાસીયત છે. છેવટે વાયુનાં એકબીજા સાથે જોડાય ત્યાં અણુઓનું સર્જન કરે છે. પ્રક્રીયાની બાય પ્રોડક્ટ તરીકે ઉર્જા ઉત્પન્ન થાય છે.

આયન ડ્રાઇવ અને સોલાર સેઇલ...

1970નાં દાયકામાં લોકહીડ માર્ટીને ઈલેક્ટ્રો-થર્મલ એનર્જીનો રોકેટ પાવર તરીકે વાપરવાનો પ્રયોગ કર્યો હતો. તેણે A૨૧૦૦  સેટેલાઇટમાં હાઇડ્રાઝીન ફ્યુઅલ વાપર્યું હતું. આ પ્રકારનું બળતણ કાર્યક્ષમ છે પરંતુ તેનાંથી પેદા થતો ધક્કો થ્રસ્ટ, ખૂબ જ ઓછો હોય છે. જેનાં કારણે તેનો ઉપયોગ માત્ર સેટેલાઇટ તેના સ્થાનેથી ખસી જાય તો, પાછા મુળ સ્થાને લાવવા પુરતો જ થાય છે. હવે આ પ્રકારનાં એન્જીનમાં સુધારા વધારા કરીને વધારે પાવરફુલ એન્જીન બનાવવા વૈજ્ઞાાનિકો આગળ વધી રહ્યાં છે.

હવે આયન ડ્રાઇવ ભવિષ્યની ટેકનોલોજી ગણાય છે પરંતુ તેનાં પ્રયોગો ચાલુ જ છે. ઝેનોન જેવા વાયુ વાપરીને થ્રસ્ટ પેદા કરવાનો નવતર આઇડીયા છે જ્યારે રોકેટ એન્જીનમાં ઘન અથવા ઋણ ચાર્જ (વિજભાર) પેદા થાય છે ત્યારે એક વિજ ચુંબકીય ક્ષેત્રની રચના થાય છે. વિજ ચુંબકીય ક્ષેત્ર, અને આયન પાર્ટીકલને ખુલ્લા માર્ગ તરફ ધકેલે છે જેનાં કારણે થ્રસ્ટ પેદા થાય છે. ફરીવાર કહીએ તો, આયન ડ્રાઇવથી પેદા થતો થ્રસ્ટ પણ ખુબ જ ઓછો ધક્કો પેદા કરે છે.

તમારી હથોટી પર કાગળ મુકવાથી જે થ્રસ્ટ મળે એટલો મામુલી થ્રસ્ટ આ ડ્રાઇવ આપે છે. શરૂઆતમાં ઝડપ પકડવા માટે થ્રસ્ટ ઓછો ગણાય પરંતુ, લોંગ રેન્જ મિશન માટે દર કિલોગ્રામે, આ બળતણ રાસાયણીક બળતણ કરતાં દસ ગણો થ્રસ્ટ પેદા કરી આપે છે. આ કારણે સુર્યમાળા બહાર આવા સ્પેસ ક્રાફ્ટ વાપરવા સસ્તા અને યોગ્ય ગણાય. ક્રવાર્ક પ્લેનેટ સેરેસ તરફ થનારૂ ડૉન સ્પેસ પ્રોબ આયન ડ્રાઇવ વાપરનારૂં વિશ્વનું પહેલું સ્પેસ ક્રાફ્ટ છે. તે એક કરતાં વધારે અવકાશી પીંડની પ્રદક્ષીણા કરશે અને તેની ભ્રમણકક્ષા છોડી આગળ વધશે.

સોલાર સેઈલ નામની ટેકનોલોજી પણ ભવિષ્યમાં મોટા પાયે વપરાશે. પ્રકાશનાં કણોને ફોટોન કહે છે. પીંગપોંગ બોલ માફક તેઓ સપાટી સાથે અથડાઇ બાઉન્સ બેક થયે રાખે છે. જ્યારે કોઇપણ પ્રકારનું બળતણ વાપરવું ન હોય ત્યારે સુર્યમાળા સ્પેસ ક્રાફ્ટ થ્રસ્ટ પેદા કરવા સોલાર સેઇલ વાપરી શકાય. વધારે મહત્વાકાંક્ષી યોજનામાં લેસર બીમ વાપરીને આંતરતારાકીય મુસાફરી (ઈન્ટરસ્ટીલર ટ્રાવેલ) કરી શકે તેવું સ્પેસ ક્રાફ્ટ વિકસાવી શકાય.

પ્લાઝમા એન્જીન: સમસ્યાઓ નડી રહી છે

સ્પેસ ક્રાફ્ટનાં પ્રપલ્ઝન સિસ્ટમ માટે ભવિષ્યમાં વધારે ઉપયોગમાં લેવાય તેવી ટેકનોલોજી તરીકે પ્લાઝમા પ્રપલ્ઝન એન્જીન વપરાય તો નવાઇ લાગશે નહીં. આયન ડ્રાઇવનું હાઇ-ઓકટેન વર્ઝન એટલે પ્લાઝમા પ્રપલ્ઝન સીસ્ટમ.આ પ્રણાલી તેનો થ્રસ્ટ કવાસી ન્યુટ્રલ પ્લાઝમા દ્વારા પેદા કરે છે. પ્લાઝમા સોર્સ દ્વારા આયન એટલે કે ચાર્જડ કણોનો પ્રવાહ મેળવી શકાય છે. પ્રવાહને ગ્રીડ અથવા એનોડ દ્વારા પ્રવાહમાં પ્રવેશ મળવી શકાય. જેના કારણે સ્પેસ ક્રાફ્ટ વધારે વેગથી મુસાફરી કરી શકે છે. ૨૦૧૧માં નાસાએ ટેકસેટ-૨ સેટેલાઇટ માટે આ પ્રકારનું એન્જીન / પ્રપલ્ઝન  પ્રણાલી વાપરી હતી.

આઇડીયા જોકે અડધી સદી જેટલો જુનો છે પરંતુ સ્પેસ ક્રાફ્ટ માટે હજી વાપરવામાં આવ્યો નથી. દુનિયાનું સૌથી પાવરફુલ પ્લાઝમા રોકેટનું નામ વેરીએબલ સ્પેસીફીક કમ્પલ્સ મેગ્નેટો પ્લાઝમા રોકેટ છે. જે  VASIMR તરીકે ઓળખાય છે. ટેક્સાસની એડ એસ્ટ્રા રોકેટ કંપનીએ આ રોકેટ એન્જીન વિકસાવ્યું છે. કંપનીનો દાવો છે કે પ્લાઝમા એન્જીન વાપરવામાં આવે તો 'મંગળ' ગ્રહની મુસાફરી માત્ર ૩૯ દિવસમાં કરી શકાય. હાલમાં વપરાતાં રોકેટ દ્વારા આ મુસાફરી માટે લગભગ ૨૦૦ જેટલાં દિવસ થાય.

પ્લાઝમા એન્જીન અડધો ડઝન પ્રકારનાં છે. જે હજી લેબોરેટરીની બહાર નિકળ્યા નથી. એન્જીન એક પ્રકારનું ઈલેક્ટ્રીક એન્જીન જ છે. જેમાં ઈલેક્ટ્રીક ફિલ્ડ, મેગ્નેટીક ફિલ્ડ, લોરેન્ઝ ફોર્સ, જેવા બળ વાપરીને થ્રસ્ટ પેદા કરે છે. પ્લાઝમા એન્જીનની મોટી મર્યાદા છે. જેને વાસ્તવિકતા બનવા દેતી નથી. ખુબ જ પ્રમાણમાં વિદ્યુત પેદા કરી શકાય ત્યારે જ તેનાં ઉપયોગથી વાયુનાં પરમાણુને 'પ્લાઝમા' તરીકે ફેરવી શકાય. સ્પેસ ક્રાફ્ટમાં વિશાળ માત્રામાં વિદ્યુત ઉત્પાદન કરવું મુશ્કેલ કામ છે.

વૈજ્ઞાાનિકો માને છે કે પ્લાઝમા સીસ્ટમ વાળુ રોકેટ સ્વયંમ નુકસાન પામીને નાશ પામી શકે છે. રોકેટ એન્જીનનું 'પ્લાઝમા' રોકેટની દિવાલોને નબળી પાડે તેને તોડી નાખવાની શક્યતા રહેલી છે. જો 'માર્સ' મિશન માટે આવું એન્જીન વાપરવામાં આવે તો 'માર્સ' સુધી પહોંચતા પહેલાં જ રોકેટ ખતમ થઇ જાય. સ્પેસ પ્રપલ્ઝનની અનેક પ્રણાલી છે. ભવિષ્યમાં તેની મર્યાદા દૂર થશે અને  સોનેરી સવાર થશે.

નાઝકા લાઇન્સ રહસ્ય ઉકેલાશે ખરૂં ?


પેરૂના રણપ્રદેશ અને ખડકાળ જમીન પર થયેલ ભૂમિ ચિત્રો..

Pub Date: 30-06-2016
૨૦૧૪માં ગ્રીનપીસ સંસ્થાને લાગ્યું કે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉપર જોખમ ઉભું થયું છે આ સાઇટને બચાવવા માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર છે. આ જરૂરિયાતના પગલે વૈજ્ઞાનિકો અને પુરાતત્ત્વવિદોની ટીમ 'ડ્રોન' વિમાન દ્વારા તપાસ કરી રહ્યા હતા. ડ્રોન વિમાન દક્ષિણ પેરુ પાસે આવેલા 'લીસા' શહેરથી દૂર ઉડી રહ્યું હતું. પાલ્યા વિસ્તાર ઉપર ઉડી રહેલ ડ્રોન વિમાન અને વૈજ્ઞાનિકોની ટીમના વિમાને જોયું કે તેમની નજર સામે ૫૦ જેટલા નવા 'જીઓ-ગ્લીવૂસ' જોવા મળી રહ્યા છે. જેને આ પહેલા કોઈએ જોયા ન હતા. સમય હતો મે- ૨૦૧૮નો બીજા દિવસે મિડીયામાં જાહેર કરવામાં આવ્યું કે પાલ્પા વિસ્તારમાંથી ૫૦ કરતા વધારે જમીન પર ખોતરેલા ચિત્રો જોવા મળ્યા છે વિજ્ઞાન જગત આ ચિત્રોને 'નાઝકા લાઇન' તરીકે ઓળખે છે. આખરે જમીન અને ખડક પર કોતરાયેલા 'નાઝકા' લાઇનનું રહસ્ય શું છે ?

ઇતિહાસની અટારીએથી:

૨૦૧૮માં ડ્રોન વિમાન દ્વારા શોધાયેલ જીઓગ્લીફ્સ (ભૂમિ ચિત્ર)ની રેખાઓ આકાશમાંથી નરી આંખે ન દેખી શકાય તેટલી પાતળી હતી. જો કે આજથી લગભગ સો વર્ષ પહેલાં લોકો સમક્ષ પ્રથમવાર નજરે પડેલ 'નાઝકા લાઇન' નરી આંખે આકાશમાંથી જોઈ શકાય તેવા ચિત્રો છે. આખરે આ ચિત્રો કોણે દોર્યા હતા ? ચિત્ર દોરવા પાછળનો તેમનો મકસદ શો હતો ? આ બધા સવાલોના જવાબ ઇતિહાસ આપી શકતું નથી વિજ્ઞાન પણ આર્કિયોલોજીના નાઝકા ક્ષેત્રમાં પા પા પગલી ભરી રહ્યું છે. આ કારણે 'નાઝકા લાઇન' ઇતિહાસ અને વિજ્ઞાન બંને ક્ષેત્ર માટે એક મોટું રહસ્ય બની ચૂકી છે. વૈજ્ઞાનિકો માને છે કે 'નાઝકા લાઇન'નું રહસ્ય ટૂંક સમયમાં ખૂલી શકે છે. વૈજ્ઞાનિકો રહસ્યની વધારે નજીક પહોંચી ચૂક્યા છે. નાઝકા લાઇનનું રહસ્ય ખૂલે એ પહેલાં નાઝકા લાઇનની ઐતિહાસિક સફર માણીએ.
ઇ.સ. પૂર્વે ૧૦૦ની આસપાસ બ્રાઝિલ અને બોલીવીઆની સરહદે આવેલ પેરુ દેશમાં નાઝકા સભ્યતાનો વિકાસ થઈ ચૂક્યો હતો. આ સમયે ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય લગભગ ખતમ થઈ ચૂક્યું હતું. ભારતની સમૃદ્ધિ મેળવવા મધ્ય એશિયામાંથી વેક્ટ્રીબન, પર્શીઅન અને શક- કુષાણના આક્રમણ ભારત પર થઈ રહ્યા હતા. દક્ષિણ ભારતમાં ચૌલ, ચેર અને પાંડય રાજ પરિવાર શાસન કરી રહ્યો હતો. ભારતમાં અજંતા અને ઇલોરાની ખ્યાતનામ બૌદ્ધ ગુફાઓ કોતરવાનું કામ ચાલી રહ્યું હતું. બરાબર આ સમયે પેરુની નાઝકા સભ્યતા, પૃથ્વી પરની જમીન સપાટી પર પ્રથમવાર નાઝકા લાઇન દોરી રહ્યા હતા. વરસાદના રાજા ઇન્દ્રને મનાવવા માટેની આ પ્રક્રિયા હતી. ધાર્મિક વિધિના ભાગરૂપે 'નાઝકા લાઇન'નું સર્જન થઈ રહ્યું હતું. નાઝકા લાઇન ખરેખર શું છે ? તે ચિતરવા પાછળનો નાઝકા સભ્યતાના લોકોનો મકસદ શું હતો ?

નાઝકા લાઇન: રહસ્ય અકબંધ છે !

પેરૂના વિસ્તારમાં ઇ.સ. પૂર્વે ૧૦૦ની આસપાસ નાઝકા સભ્યતાનો વિકાસ થઈ રહ્યો હતો. આ સભ્યતા આઠ સદી એટલે કે એકસો વર્ષના સમયકાળ સુધી પૃથ્વી અને ઇતિહાસના પાનાઓ ઉપર ટકવાની હતી. પૃથ્વીવાસીઓ માટે તેઓ જમીન અને પત્થર કોતરેલા અનોખા ચિત્રો આપી જવાના હતા. બે હજાર વર્ષ બાદ યુનેસ્કો તેને વર્લ્ડ હેરીટેજ સાઇટ તરીકે જાહેર થવાની હતી. આખરે બન્યું પણ એવું જ નાઝકા સભ્યતાના લોકોએ અનોખા 'જીઓ-ગ્લીફ્ટ' ચિતર્યા જે આજે નેવુ વર્ષ બાદ પણ એક રહસ્ય બની રહ્યા છે. કેટલાક લોકો માને છે કે આ 'ચિત્રો' પરગ્રહવાસીઓએ પોતાની ઓળખ આપવાની 'સિગ્નેચર' સ્વરૂપે ચિતર્યા હતા.પેરૂના પાટનગર લીસા શહેરથી દૂર દક્ષિણ પૂર્વના વિસ્તારમાં આ ચિત્રો દોરાયેલા છે. લીસાથી ૩૦૦ કિ.મી. જેટલા દૂર છે.
આધુનિક 'નાસ્કા' શહેરની નજીક આવેલા છે. ચિત્રોમાં કુલ ૮૦૦ કરતા વધારે સીધી લાઇનો ૩૦૦ કરતા વધારે ભૌમિતિક આકાર અને ૭૦ કરતા વધારે પ્રાણી અને વૃક્ષો છોડની ડિઝાઇનો બનેલી છે જેને 'બાયો મોર્કસ' તરીકે પણ ઓળખાય છે. કેટલીક સીધી રેખાઓ ૩૨૫ કિ.મી. જેટલી લાંબી છે. બાયો માર્કસ એટલે કે 'પ્રાણી વનસ્પતિ' જેવી જૈવિક અસ્તિત્વના ચિત્રો ૫૦ ફૂટથી માંડીને ૧૨૦૦ ફૂટ લંબાઈમાં ચિતરાયેલા છે. જે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતા પણ વધારે લાંબા હતા.૧૯૨૬માં પ્રથમવાર પેરૂવિઅન આર્કીયોલોજીસ્ટ ટોરીબીયો મેજીઆ એક્સપે નાઝકા ચિત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે વિમાનની શોધ થઈ ચૂકી હતી પરંતુ 'નાઝકા લાઇન' દ્વારા બનેલા ચિત્રનો પૂરો આકાર જોવા માટે વિમાન દ્વારા 'ભૂમિ દર્શન' કરવું શક્ય ન બન્યું હતું. ૧૯૩૦ના અંતિમ સમય ગાળામાં ત્યાંથી ઉડતા વ્યાપારી વિમાનોના પાયલોટોએ નાઝકા લાઇન દ્વારા દોરાયેલા ચિત્રોની વાત લોકોમાં વહેતી મૂકી. આખરે 'નાઝકા લાઇન' લોકો અને મિડીયાના આકર્ષણનું કેન્દ્ર બનવા લાગી અને વિજ્ઞાન માટે એક નવું રહસ્ય ખોલવાનો પટારો મળી ગયો હતો.

જાપાની વૈજ્ઞાનિકોનું તારણ

૨૦ જુન ૨૦૧૯ની જર્નલ ઓફ આર્કાઓલોજીકલ સાયન્સ: રીપોર્ટમાં એક સંશોધન લેખ પ્રકાશીત થયો છે જેનું નામ છે આઈડેન્ટીફાઈંડ બર્ડ ફિગર્સ ઓફ નાસ્કા પામ્પાસ: એન ઓર્નીથોલોજીકલ પરસ્પેક્ટીવ. સંશોધન લેખ જાપાનની ડોકાઈડો યુનિવર્સિટીનાં નાસાકી એડા, ગકેશી યામાસાકી અને માસાટો સાકાઈ નામના વૈજ્ઞાનિકોએ આ લેખ પ્રકાશીત કરાવ્યો છે. વિશાળ ચિત્રોમાં રહેલાં પક્ષીઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવાનું કામ જાપાની વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું હતું.
તેમનું માનવું છે કે ભુમિચિત્રો આજથી ૧૩૦૦ વર્ષ પૂર્વેથી ૨૯૦૦ વર્ષ પૂર્વે દોરાએલા છે. જે પેરૂનાં ખ્યાતનામ ઈન્કા રાજ્યના સ્થળ માચું પિચુંના સ્થાપના કરતા પહેલાં રચાયેલા છે.હવે મુખ્ય સવાલ એ છે કે હમીંગબર્ડ જેવું દેખાતું ભુમીચિત્ર ૧૨૦૦ ફૂટ એટલે કે ૩૭૦ મીટર જેટલું લાંબું છે. તેમણે દોરેલ ચિત્રનો ખરો આકાર અને કદ માત્ર આકાશમાંથી જ જોઈ શકાય તેમ હતું. શું નાઝકા સભ્યતાના લોકોએ વિમાન જેવી કોઈ શોધ કરી હતી? જો આવી શોધ કરી નહોતી, એમ માની લઈએ તો એનો અર્થ એ થાય કે નાઝકા લોકો ચિત્ર દોરી રહ્યા હતાં ત્યારે તેમને પણ અંદાજ નહોતો કે પૂર્ણ થયેલ ચિત્ર કેવું દેખાતું હશે. કારણ કે વિશાળ ચિત્રને યોગ્ય પરીપ્રેક્ષ્યમાં જોવા માટે આકાશમાં જવું જરૂરી હતું! જાપાની વૈજ્ઞાનિકોનું માનવું હતું કે પક્ષીઓનાં ચિત્રોમાં ખરેખર કયાં પક્ષીઓનાં ચિત્રો દોરવામાં આવ્યા છે. તેની ઓળખ પ્રસ્થાપિત થઈ જાય તો કદાચ, ચિત્રો દોરવા પાછળનો મકસદ અને ધાર્મિક વિધીઓ માટે આ પક્ષીનું મહત્ત્વ સમજાઈ શકે અને તેનું મુલ્યાંકન થઈ શકે.જાપાની વૈજ્ઞાનિકોએ ચિત્રોમાં રહેલા પક્ષીઓની ઓળખ, ચિત્રોમાં રહેલ તેમનો આકાર, કદ અને કદનાં ગુણોત્તરને ધ્યાનમાં લઈને પ્રસ્થાપિત કરે છે જે દર્શાવે છે કે મુખ્ય ચિત્રમાં દેખાતું પક્ષી 'હમીંગ બર્ડ' નહી પરંતુ હમીંગ બર્ડના ફેમિલીનું અન્ય પક્ષી 'હરમીટ' છે. જે તેની લાંબી અણીદાર પુંછડી માટે પ્રખ્યાત છે. જ્યારે આપ હમીંગ બર્ડ ફેમીલીના પક્ષીની પુંછડી પંખા આકાર કે ચિપીયા આકારની હોય છે. વૈજ્ઞાનિકોએ આમ પક્ષીઓને ઓળખીને તેનું રિ-ક્લાસીફીકેશન કર્યું છે. અન્ય ચિત્રોમાં કોન્ડોર નામનું ગીધ અને પેણ એટલે કે પેલીકન પક્ષી છે. સંશોધનની મુખ્ય બાબત એ છે કે ચિત્રોમાં દર્શાવેલા પક્ષીઓ પેરૂના સ્થાનિક પક્ષી નહી પરંતુ ઉત્તર તરફ આવેલ ઈક્વેડોર અને એન્ડીઝ પર્વતનાં જંગલોમાં રહેતા પક્ષી છે.

સવાલો હજી પણ બાકી છે

નાઝકા લોકોએ ખોરાકની શોધમાં રઝળપાટ કરતી વખતે પેલીકન હમીંગ બર્ડ અને કોન્ડોર નામનાં ગીધ પક્ષીઓને નિહાળ્યા હશે. નાઝકા લોકોએ સ્થાનિક પક્ષીની જગ્યાએ શા માટે પરદેશી ભુમીનાં પક્ષીઓને પોતાનાં ભુમિચિત્રોમાં સ્થાન આપ્યું હશે એ પણ રહસ્યમય સવાલ છે. ભુમિચિત્રોમાં સુરખાબ (ફ્લેમિંગો) પણ સામેલ છે. વૈજ્ઞાનિકો માટે એક સમસ્યા એ પણ છે કે ચિત્રોમાં દોરેલ પક્ષીઓ, હાલનાં આધુનિક પેરૂવિઅન પક્ષીઓ સાથે મેળ બેસાડતા નથી. આ કારણે 'નાઝકા લાઈન'ની આધુનિક પેરૂ સાથે સરખામણી કરવા માટે ભુમિચિત્રોનું પુનઃ નવીન મુલ્યાંકન કરવું જરૂરી છે.
વૈજ્ઞાનિકો 'નાઝકા લાઈન' વડે બનેલ ભુમીચિત્રોમાં રહેલ પક્ષીઓને, આ સભ્યતાના ખોદકામ દરમ્યાન મળેલ માટીનાં વાસણો ઉપર ચિતરવામાં આવેલ પક્ષીઓ સાથે પણ સરખામણી જરૂર દેખાઈ રહી છે. આ ઉપરાંત નાઝકા સભ્યતાની શોધ માટે કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન મળેલાં પક્ષીઓનાં હાડપીંજર સાથે પણ ચિત્રોની સરખામણી કરવી જરૂરી છે. ટુંકમાં નાઝકા લાઈનોનું ખરૂ રહસ્ય ઉકેલવું હોય તો વધારે સંશોધન કરવું જરૂરી છે.એક વાત નક્કી છે કે નાઝકા ચિત્રોને પ્રાચીન સભ્યતા સાથે ગાઢ સંબંધ છે. માત્ર ગુણ ચિત્રોની જેમ દોરેલા પ્રાણી, પક્ષીઓ કે વૃક્ષો એ સ્થાનિક કલાપ્રદર્શન નથી. ચિત્રો દોરવા પાછળનો 'નાઝકા' લોકોનો ખાસ મકસદ હોવો જોઈએ. ઈતિહાસકારો માને છે એમ નાઝકા સભ્યતાનાં ચિત્રો, નાઝકા સભ્યતા સાથે પ્રાણી-પક્ષીઓનાં સબંધોની ગહનતા દર્શાવે છે. ભુમિચિત્રો બે વિભાગી શકાય તેવા છે. એક ભાગમાં ૭૦ જેટલી કુદરતી રચના જેવાં કે પ્રાણી, પક્ષી અને જીવજંતુ દોરવામાં આવ્યા છે. બીજા ભાગમાં ભૌમિતિક આકારમાં ચિત્રો છે. જેમાં સ્પાયરલ, ત્રિકોણ અને ચોરસ-લંબચોરસ આકૃતિનો સમાવેશ થાય છે.

મોસ્કીટો: આંગળીના ટેરવે સર્જન પામતો ઇતિહાસ

Publication: 22-09-2019

વુડન વન્ડર, ટીમ્બર ટેરર અને 'મોસ્સી' તરીકે જાણીતું...મોસ્કીટો: 

ઇતિહાસ મનુષ્યને શું શીખવે છે? ભુલોનું પુનરાવર્તન ન કરવાનું કે બીજું કાંઈ ? ઇતિહાસ બહુ તટસ્થ રહીને આલેખનકાર વર્ણન કરતો હોય એવું કંઇ નથી. એક વાત નક્કી છે કે મનુષ્ય એ આવનારી પેઢીને પોતાનો ભવ્ય ભુતકાળનું દર્શન કરાવવું હોય તો તેને 'ટાઈમ ટ્રાવેલ'કરાવી ભુતકાળને તેની નજર સામે તાજો કરવો જોઇએ. સામાન્ય રીતે ઇતિહાસને લોકો પુસ્તક સ્વરૂપે વાંચે છે. પરંતુ ટેકનોલોજીનાં આ દાયકામાં એક નવિન ઘટના બનવા જઇ રહી છે. બીજું વિશ્વયુધ્ધ હવે ઇતિહાસનાં પ્રકરણોમાં સમાઈ ગયું છે. યુરોપમાં બીજા વિશ્વયુધ્ધ વખતે શું હાલત હતી. જર્મની સામે બ્રિટન કઇ રીતે લડયું હતું ? વિશ્વયુધ્ધમાં હવાઈ હુમલાએ એક નવો અધ્યાય ખોલ્યો હતો. પર્લ હાર્બર પર હવાઈ હુમલો કરીને જાપાને સુતેલા ઝેરી નાગને જગાડયો અને પરિણામ શું આવ્યું ? અમેરિકાએ પરમાણુ બોમ્બ વાપરીને જાપાનને ઘુંટણીયે પાડીને માફી માંગવી પડે તેવી સ્થિતીમાં લાવી દીધું.બ્રિટનનાં વિશ્વયુધ્ધ દરમ્યાન રોયલ એરફોર્સનાં વિમાનોએ રંગ રાખ્યો હતો. જર્મનીનાં  V-૨ રોકેટ ને તોડી પાડવા માટે બ્રિટન 'મોસ્કીટો' નામનું ફાઈટર પ્લેન વાપર્યું હતું. 'મોસ્સી' નો હુલામણા નામે ઓળખાતું ફાઈટર પ્લેન હવે ઇતિહાસને આંગળીનાં ટેરવે લાવીને મુકવાનું છે !

આખરે વાત શું હતી?

બંધ ફેકટરીમાંથી જ્યારે ડ્રોઇંગ્સ મળ્યાબ્રિટનનાં વેલ્સ પાસે તેનો મુખ્ય વિસ્તાર ફ્લીન્ટ શાયર આવેલો છે. જ્યાં બ્રોટન નામનુ મથક આવેલું છે. અહીં પ્રખ્યાત એરોસ્પેસ કંપની 'એરબસ'ની ઓફીસ અને જુની ફેકટરી આવેલી છે. ઓગષ્ટ ૨૦૧૭માં એક જુની ફેકટરીને બુલડોઝર ફેરવીને જમીન દોસ્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું. બિલ્ડીંગને તોડી પાડતાં પહેલાં એમાં શું સામાન છે એ જોવાનું નક્કી થયું. બુલડોઝર ચલાવવાનું હતું.એના એક દિવસ પહેલાં, એરબસનાં કર્મચારીને વિમાનને લગતાં ૨૦ હજાર જેટલાં ટેકનિકલ ડ્રોઇંગ્સ  મળી આવ્યા. તપાસ કરતાં ખબર પડી કે આ ડ્રોઇંગ વિશ્વયુધ્ધ - બેમાં વપરાયેલાં રોયલ એરફોર્સનાં ફાઇટર પ્લેન 'મોસ્કીટો'નાં છે. મોસ્કીટનો અર્થ થાય... મચ્છર.
લાગે છે કે વિમાનનાં ઓછા વજન અને ઓછો એન્જીન અવાજનાં કારણે 'મોસ્કીટો' નામ આપવામાં આવ્યું હશે. બિજા વિશ્વયુધ્ધમાં બે એન્જીનવાળા 'મોસ્કીટો' વિમાને અનેક પ્રકારની ભુમિકાઓ ભજવી હતી. ખાસ કરીને જર્મનીનાં V-૨  રોકેટને તોડી પાડવા માટે 'મોસ્કીટો' ફાઈટર પ્લેને ખાસ કામગીરી બજાવી હતી. જર્મનીનાં V-૨ રોકેટોએ બીજા વિશ્વયુધ્ધમાં તરખાટ મચાવી દીધો હતો. જર્મનીને ઇર્ષ્યા થતી હતી કેબ્રિટન પાસે આવાં વિમાન હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે બીજા વિશ્વયુધ્ધમાં વિમાન બનાવવા માટે એલ્યુમિનીયમ જેવી હલકી ધાતુનો ઉપયોગ શરૂ થઇ ચુક્યો હતો.છતાં આ ફાઈટર પ્લેનને બનાવવા માટે લાકડુ, પ્લાયવુડ અને લેમિનેટેડ શીટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇતિહાસમાં અમર થયેલાં ફાઇટર પોતાનાં ટેકનિકલ ડ્રોઇંગ્સ ગુમ થઇ ગયેલા કે યુધ્ધ દરમ્યાન નાશ પામેલા માનવામાં આવતાં હતાં. પરંતુ નસીબજોગે એરબસની જુની બંધ થઇ ગયેલી ઓફીસ માંથી ૨૦ હજાર કરતાં વધારે ટેકનિકલ ડ્રોઇંગ મળી આવ્યા.મોટા ભાગનાં માઇક્રો ફિલ્મ અને ૩૨ એમ.એમ.ની સ્લાઇક ફિલ્મો પર આવેલાં છે. જેનું વજન અંદાજે ૬૭ કી.ગ્રા. જેટલું છે. જો બુલડોઝર ફરી વળ્યું હોત તો ઓફીસનાં બાંધકામની સાથે જ  ડ્રોઇંગ પણ જમીનમાં દફન થઇ ગયા હોત પરંતુ સમયને કંઇક નવું કરવું હતું.એક નોન-ગર્વેન્મેન્ટ ઓર્ગેનાઇઝેશન આગળ આવ્યું અને નક્કી કર્યું કે રોયલ એરફોર્સનાં 'મોસ્કીટો' પ્લેનને નવી પેઢીમાં તે જીવંત કરશે. ટેકનીકલ ડ્રોઇગ પરથી 'મોસ્કીટો' વિમાનનું ફરીવાર એ સર્જન કરશે.

બીજા વિશ્વયુધ્ધની યાદો...

બીજા વિશ્વયુધ્ધમાં આમ તો ઘણા બધા એરક્રાફ્ટ આકાશમાં ઉડયા હતાં. વિશ્વયુદ્ધનાં જાણકારો એક આખુ લીસ્ટ આપી શકે પરંતુ તેમાં 'આયકન' બનેલા યુધ્ધ પંખીઓમાં સ્પીટફાયર, P-૫૧, જીરો, સ્ટુકા,  Me-૧૦૯ કોર્સ એર, લેંકેન્સ્ટર B-૨૯ મુખ્ય ગણાય. જો કે આ બધામાં એક ફાઇટર પ્લેન અનોખુ હતું. જેને ઇતિહાસકાર વુડન વન્ડર, ટીમ્બર ટેરર, લુપીંગ લમ્બરયાર્ડ કહે છે. જેનું ખરૂ નામ છે. ધ  હાવીલેન્ડ મોસ્કીટો.
બેટલ ઓફ બ્રિટન બાદ એ વિશ્વયુધ્ધમાં પ્રવેશ્યું હતું. તેનાં ૩૩ જેટલાં વર્ઝન વિશ્વયુધ્ધમાં વાપરવામાં આવ્યા હતાં. બીજાવિશ્વયુધ્ધ બાદ સાત નવાં સુધારેલાં મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુધ્ધમાં 'મોસ્કીટો'ની રેન્જ ૩૦૦૦ કી.મી.હતી. લંડનથી વોર્સો સુધી તે પાછુ આવી શક્તું હતું. બીજા વિશ્વયુધ્ધમાં બનેલો ફાઈટર પ્લેનમાં તે સૌથી ઝડપી ઉડનાર પ્લેન હતું. શરૂઆતમાં તેને જાસુસી કામ કરવા તૈયાર કરવામાં આવ્યું હતું. પાછળથી તેનો ઉપયોગ બોમ્બર વિમાન, ફાઈટર પ્લેન, અને નાઇટ ફાઈટર તરીકે કરવામાં આવ્યો હતો. વિશ્વયુધ્ધ ખતમ થયું ત્યાં સુધી 'મોસ્કીટો'નાં પાયલોટો ૬૦૦ જેટલાં દુશ્મન પ્લેન તોડી પાડી રેકોર્ડ કર્યો હતો.
વિશ્વયુધ્ધમાં D-Day તરીકે જાણીતા જુન ૧૯૪૪નાં સંગ્રામમાં પણ મોસ્કીટો એક્ટીવ રહ્યું હતું. મે-૧૯૪૫માં જર્મનીએ શરણાગતી સ્વીકારી ત્યારે પણ 'મોસ્કીટો' સક્રીય હતું. તેનાં બાંધકામ માટે કેનેડા અને ઓસ્ટ્રેલીઆને પણ લાયસન્સ આપવામાં આવ્યા હતાં. ૧૯૫૦માં બ્રિટનને ઘર આંગણે તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.
વિશ્વયુધ્ધમાં પ્લેન ૨૨૬ કી.ગ્રામનાં બોમ્બ લઇ જઈ શક્તું હતું. વિશ્વયુધ્ધ દરમ્યાન કુલ ૮૦૦૦ 'મોસ્કીટો' પ્લેનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુધ્ધમાં હરમાન ગોરીંગની જાહેર સભા ભરાવાની હતી. ત્યાં પણ તેણે બોમ્બ જીક્યા હતાં. ખુબ નીચા લેવલે ઉડીને તે બોમ્બ ફેંકી શક્તું હતું. શરૂઆતમાં બ્રિટનની એર મિનીસ્ટ્રીને એરક્રાફ્ટ બતાવવામાં આવ્યું ત્યારે તેમને શંકા હતી કે આ પ્લેન ખરેખર ઉપયોગી બનશે કે નહીં ?
લોકોનાં આશ્ચર્ય વચ્ચે બ્રિટન પર જર્મનીનાં V-૨ રોકેટ બરબાદી વરસાવી રહ્યાં હતાં અને લોકોમાં ભયનું સામ્રાજ્ય છવાયુ એવા સમયે મોસ્કીટોએ ૪૨૮ જેટલાં V-૨ રોકેટને આંતરીને તોડી પાડયા હતાં.

મોસ્કીટો: ૨૬ વર્ષ બાદ ફરીવાર આકાશમાં ઉડશે:

છેલ્લાં ૨૨ વર્ષમાં આ પ્લેન ક્યારેય આકાશમાં ઉડતું દેખાયું નથી. ૨૨ વર્ષ પહેલાં છેલ્લીવાર આ પ્લેનનું ઉડ્ડયન થયું ત્યારે તે તુટી પડયું હતું અને વિમાનમાં બેઠેલાં પાયલોટ અને નેવિગેટરનું મૃત્યુ થયું હતું. વિશ્વયુધ્ધમાં અનેક કારનામા બતાવનાર આ પ્લેનને ચાહકો 'મોસ્સી' અથવા વુડન વન્ડર તરીકે ઓળખે છે. ૨૦૧૭માં તેનાં ૨૦ હજાર જેટલાં ટેકનીકલ ડ્રોઇંગ્સ  મળી આવ્યા એટલે શોખીનો એ નક્કી કર્યું કે ઇતિહાસ બની ગયેલ RAF નાં ફાઇટર પ્લેનને બનાવીને ફરીવાર તેને આકાશમાં ઉડાડવામાં આવશે જેથી વિશ્વ આખું જોઈ શકે છે બીજા વિશ્વયુધ્ધમાં વપરાયેલ 'મોસ્કીટો' ફાઇટર પ્લેન કેવું હતું. તેનો ઇતિહાસ શું હતો ?આ મકસદ સાથે કેટલાંક લોકોએ ભેગા મળીને ધ પિપલ્સ મોસ્કીટો રિસ્ટોરેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. બીજા વિશ્વયુધ્ધનાં વિમાનને ફરીવાર બનાવવા માટે અંદાજે ૮૦ લાખ પાઉન્ડનો ખર્ચ થાય તેમ છે. આ પ્રોજેક્ટમાં વિમાનને તૈયાર કરવામાં આશરે ૪ વર્ષ જેટલો સમય લાગે તેમ છે. આ રિસ્ટોરેશન પ્રોજેક્ટમાં, એરક્રાફ્ટનું રિસ્ટોરેશન કરનારી કંપની રિટ્રોટેક પણ  કામ કરશે.
૧૯૪૧માં રોયલ એરફોર્સમાં 'મોસ્કીટો'નો પ્રથમવાર સમાવેશ થયો હતો. સિત્તેર વર્ષ બાદ હવે ફરીવાર બ્રિટનમાં 'મોસ્કીટો' પ્લેનનું પુનઃ સર્જન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ ખાનગી કંપની અને લોકો પાસેથી ડોનેશન એકઠું કરીને ફાઇટર પ્લેનને તે નવો જન્મ આપવામાં આવશે.૧૯૪૯માં નોરફોલ્કમાં 'મોસ્કીટો' પ્લેન તૂટી પડયું હતું. જેનાં અવશેષો પણ આ બાંધકામમાં વાપરવામાં આવશે. પ્રોજેક્ટ હાથમાં લેનાર સંસ્થા કહે છે કે ત્રણ જેટલાં 'મોસ્કીટો' પ્લેન હાલમાં અકબંધ હાલતમાં પ્રાચીન ચીજો નો સગ્રંહ કરનારા પાસે છે. બે પ્લેન અમેરિકામાં અને એક પ્લેન કેનેડા પાસે છે.દ હેવીલેન્ડ DH-૯૮ મોસ્કીટો FBVI જેવાં લાબાં લચક નામવાળા પ્લેન બીજા વિશ્વયુધ્ધમાં એક 'આયકન' બની ગયા હતા. એરોનોટીકલ એન્જીનીયરીંગનું એ સુંદર ઉદાહરણ ગણાય છે. પ્રોજેક્ટ કરનાર લોકોનો જીવનમંત્ર છે. એનું ઉડ્ડયન કરવું, એના વિશે શિક્ષિત કરવા અને એને હંમેશ માટે યાદ રાખવું. સાથે સાથે બીજા વિશ્વયુધ્ધમાં જે કોઈ એની સાથે સંકળાયેલા હતાં એ બધાને બિરદાવી એક અનોખી સલામી આપવી.

ઐતિહાસિક સર્જનનાં સર્જનહાર:

મોસ્કીટોનાં સર્જન પાછળ સર જ્યોફી દ હાવીલેન્ડ જવાબદાર હતો. દાદી પાસેથી મેળવેલાં નાણામાંથી તેમણે એરક્રાફ્ટ બનાવવાની અને ડિઝાઈન કરવાની શરૂઆત કરી હતી. સફળતા મળતા તેમણે દ હેવીલાન્ડ એરક્રાફ્ટ કંપની શરૂ કરી હતી. બીજા વિશ્વયુધ્ધમાં તેમણે ડિઝાઇન કરેલ 'મોસ્કીટો' પ્લેને તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતી અપાવી હતી. વિશ્વયુધ્ધ બાદ તેમણે 'કોસેટ' નામનું વિશ્વનું પ્રથમ કોમર્સીયલ જેટ એરલાઈનર તૈયાર કર્યું હતું. હાલમાં 'મોસ્કીટો'નાં ૩૦ જેટલાં એરક્રાફ્ટ વિશ્વમાં મૌજુદ છે જેમાંથી ઉડી શકે તેવી હાલતમાં માત્ર ત્રણ પ્લેન જ છે.ધ પિપલ્સ મોસ્કીટો પ્રોજેક્ટ હેઠળ વિશ્વમાં ફરી એકવાર 'મોસ્કીટો'નું બાંધકામ કરવામાં આવશે જેથી કારીગરોની આંગળીએથી ઇતિહાસનું ફરીવાર સર્જન થશે. પ્રોજેક્ટમાં મુખ્ય ડિઝાઈનર અને  ચેરમેન તરીકે નામચીન જોહન લીલી છે. જે પ્રોજેક્ટ ડિરેકટર તરીકે સેવા આપશે. તેઓ હાલમાં ચીનમાં તેમની પોતાની કંપનીનો બિઝનેસ વિકસાવવાનું કામ કરે છે.તેમનો બીઝનેસ કૂક સર્વીસ પુરી પાડવાનો છે.
 સમયસર, શીડયુલ પ્રમાણે કામ કરવું એ તેમની ખાસીયત રહી છે. ઇન્ટરનેટ અને સોશીયલ મીડીયાનાં માધ્યમથી પિપલ્સ મોસ્કીટો પ્રોજેક્ટ શરૂ થયો છે. આઈપેડ, બ્લેકબેરી, સ્કાઇપી અને ઇન્ટરનેટ કોમ્યુનિકેશનમાં કારણે તેમનાં પ્રોજેક્ટમાં લોકો જોડાતા થયા છે. IWM માટે એરક્રાફ્ટ રિસ્ટોરેશનનું કામ તેઓ છેલ્લાં દસ વર્ષથી કરી રહ્યાં છે.પ્રોજેક્ટની બીજી મહત્ત્વની કી-ફિગરનું નામ છે રોસ શાર્પ. તેઓ એક સારા બ્લોગર છે. એવીયેશન પ્રિઝરવેશન અને ક્યુરેશનનો તેમનો અનુભવ ઉપયોગી સાબીત થાય તેમ છે. તેઓ મ્યુઝીયમ અને આર્ટગેલેરી એવીએશનને લગતી ચીજવસ્તુઓની જાણવણી કરવાની સેવા આપે છે. નેશનલ મ્યુઝીયમ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પણ મહત્ત્વનાં પદ પર તેઓ બિરાજમાન છે.અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કરતાં તેઓની કારકિર્દી બદલાઈ ગઈ અને હાલ તેઓ માસાચ્યુસેટ ખાતે એવીએશન કન્સલટન્ટ ચલાવે છે. જેમાં વિન્ટેજ એરક્રાફ્ટનાં વિવિધ પાસા સંકળાયેલા છે. ચાર વર્ષ બાદ 'મોસ્કીટો'નું આધુનિક 'સર્જન' આકાશમાં ઉડશે ત્યારે જોહન લીલી અને રોસ શાર્પ ને લોકો સલામ મારશે. ઇતિહાસ તમારી આંખ સામે હશે !

Tuesday 28 April 2020

આટાકામા એલીયન : ''સીરીયસ'' ફિલ્મથી લેબ સુધીની સફર ચીલીનો રણપ્રદેશમાંથી મળી આવેલ ''છ'' ઈંચનો હાડપીંજરનું રહસ્ય હવે વૈજ્ઞાનિકો ઉકેલે છે



આજથી ૧૫ વર્ષ પહેલાં એક અફવાએ જન્મ લીધો હતો. વાયકા પ્રમાણે ચીલીનાં આટાકામા રણમાંથી પરગ્રહવાસીનું મમી મળી આવ્યું હતું. કહેવાય છે કે ધુમાડો દેખાય ત્યાં આગ હોવાની શક્યતા રહેલી હોય છે. ચીલીનાં ખંડેર થઈ ગયેલા એક ગામ, લાનોરીયામાં ઓસ્કાર મુનોઝ નામનો શોખીન પ્રાચીન વસ્તુની શોધમાં ખાંખાખોળા કરી રહ્યો હતો. એક ઘરની છાજલી પર તેને ચામડાનું એક પાઉચ મળી આવ્યું. ખોલીને જોયું તો અંદર સફેદ કપડાંમાં લપેટેલ એક 'મીની' હાંડપીંજર હતું. સૌથી મોટી ખાસીયત એ હતી કે મનુષ્ય જેવું લાગતું હાડપીંજર માત્ર છ ઈંચ એટલે કે ચશ્માની ફ્રેમ જેવડું હતું. ભારતીય ચલણની ૧૦૦ રૃા. ની નોટ પર તેને ગોઠવી શકાય તેટલું તે નાનું હતું. હાંડપીંજર પુરૃષનું હતું પરંતુ વિચિત્ર હતું. તેની ખોપરી શંકુ આકારની લાંબી હતી. આંખ માટેનાં ખોપરીનાં ખાડાં ખૂબ જ વિશાળ હતાં. સામાન્ય માણસની છાતીમાં ૧૨ પાંસળીઓ હોય છે. જ્યારે આ હાંડપીંજરમાં માત્ર દસ પાંસળીઓ હતી. દેખાવમાં તે સાયન્સ ફિકશન ફિલ્મનો ''એલીયન્સ'' એટલે કે પરગ્રહવાસી જેવું લાગતું હતું. 

શું તે ખરેખર ''એલીયન્સ''નું મમી હતું ? વિજ્ઞાને દોઢ દાયકા જુની રહસ્યકથા પરથી પડદો ઉંચક્યો છે !

સાયન્સ ફિકશન અને રિયાલીટીનો અનોખો સંગમ એટલે ''આથ'' ૧૯૬૧માં ''ધ ટ્વીલાઇટ ઝોન'' નામની સાયન્સ ફિકશન સીરીઝ સીબીએસ દ્વારા અમેરિકામાં રજુ થઈ હતી. તેના એક હપ્તાનું નામ હતું ''ધ ઈનવેડર.'' હપ્તાની વાર્તા પ્રમાણે, એક મહિલાની કેબીન પર અચાનક એક વેંતીયા જેવા હયુમનોઈડ ઘુસણખોરી કરે છે. મહીલાને જોઈને તેની પર, તેની પાસે રહેલી ટચુકડી ગનથી ફાયરીંગ કરે છે. મહીલા ભાગતાં વેંતીયાનો પીછો કરે છે. વેંતીયો મીનીએચર સ્પેસશીપમાં ઘુસી જાય છે ત્યારે, મહીલાં 'એલીયન' વેંતીયા અને સ્પેસશીપ બંનેનો નાશ કરે છે. હપ્તો પુરો થતાં દર્શકો સામે મીનીએચર સ્પેસશીપનો ભંગાર નજરે ચડે છે. તેનાં લેબલ પર લખ્યું હોય છે. ''યુ.એસ. એરફોર્સ સ્પેસ પ્રોબ-વન.'' મતલબ કે હયુમનોઈ પરગ્રહવાસી નહીં પરંતુ 'નાસા'એ પેદા કરેલ પૃથ્વીવાસી ''વેંતીયો'' મનુષ્ય હતો. આ વાર્તાનો સારાંશ, આજથી પંદર વર્ષ પહેલાં પેદા થયેલ ''આટાકામા ડેર્ઝટ એલીયન''ને પણ પુરેપુરી લાગુ પડે છે.

'એલીયનસ્કેલેટન:પરગ્રહવાસી તરીકે રજુ કરવામાં આવ્યું હતું

ચીલીનાં લા નોરીયા ગામમાંથી મળેલ ૬ ઈંચનાં કહેવાતા 'એલીયન' સ્કેલેટનને પરગ્રહવાસી તરીકે વધારે ચગાવવામાં ''સીરીયસ'' નામની ફિલ્મનો પણ મોટો હાથ છે. ૨૦૧૩માં બનેલી આ ફિલ્મમાં આટાકામા સ્કેલેટનને પરગ્રહવાસી તરીકે રજુ કરવામાં આવ્યું હતું. ચીલીનાં આટાકામા રણપ્રદેશનાં લા નોરીયા ગામમાંથી મળેલ હાંડપીંજરનું નામ ''આટા'' રાખવામાં આવ્યું છે. જે આટાકામાનું ટૂંકું સ્વરૃપ છે. તાજેતરમાં 'આટા' નામે ઓળખાતાં 'એલીયન' સ્કેલેટનનો ભેદ વૈજ્ઞાનિકોએ ખોલી નાખ્યો છે. આ હાંડપીંજર પર થયેલ વૈજ્ઞાનિક સંશોધનને ૨૨ માર્ચનાં ''જેનોમ રિસર્ચ'' જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યું છે. જેમાં ''આટા'' પરગ્રહવાસી નહીં પરંતુ, એક પૃથ્વીવાસી 'કન્યા' હોવાનું જણાવવામાં આવ્યું છે. ''સીરીયસ'' ફિલ્મ પાછળ એલીયન કોન્સીપીરસી થિયરી દર્શાવવા માટે સ્ટીફન ગ્રીર જવાબદાર છે. ગેરી નોલાન નામનાં વૈજ્ઞાાનિકે કરેલ સંશોધન વિશે વાત કરતાં સ્ટીફન ગ્રીર, નેશનલ જ્યોગ્રાફી ચેતલને કહે છે કે ''અમે એ નથી જાણતાં કે ''આટા'' કોણ છે. પણ એક વાત તો નક્કી છે કે ''આટા'' કુરૃપ, કદરૃપો અને વેંતીયો મનુષ્ય તો નથી જ ?'' તો આખરે ''આટા'' એલીયન કોણ છે ? વૈજ્ઞાનિકો પણ તેની પુરી ઓળખ મેળવી શક્યા નથી પરંતુ, 'આટા' પરગ્રહવાસી નથી એ વાત બધા જ વૈજ્ઞાનિકો લગભગ સ્વીકારી ચુક્યા છે. ત્યારે ''આટા''નું રહસ્ય ખોલવું હોય તો માંડીને વાત કરવી પડે. આખરે કેસ, સાયન્ટીસ્ટોએ સંભાળી લીધો....
ચીલીનાં આટાકામા ડેઝર્ટ પાસે આવેલા લા નોરીઆ નામનાં ઉજ્જડ ગામનો, ઉજ્જડ ચર્ચ પાછળ એક મકાન આવેલું હતું. મકાનની શોધખોળ કરતાં, ઓસ્કાર મુનોઝને ચામડાનાં પાઉચમાં રાખેલું ૬ ઈંચ એટલે કે માત્ર ૧૫ સે.મી. લાંબું હાંડપીંજર મળ્યું હતું. પ્રાથમીક શાળાનાં વિદ્યાર્થી જે કંપાસ બોક્ષ રાખે છે, તેની ફુટપટ્ટી એટલે કે રૃલર પણ માત્ર ૬ ઈંચની હોય છે. જેના પરથી હાંડપીંજરના કદની કલ્પના તમે કરી શકો છો. આ હાંડપીંજર, તેણે પ્રાચીન કલાકૃતિઓનો સંગ્રહ કરનાર, સ્પેનનાં વેપારી રેમોન નાવીઆ ઓસોરીઓને વેચ્યું હતું. ૬ ઈંચનું હાંડપીંજર મળવાનાં સમાચારે વિશ્વમાં લોકોને આશચ્રયચકિત કરી નાંખ્યા હતા. તેનાં વિચિત્ર દેખાવનાં કારણે એલીયન/પરગ્રહવાસી અને UFOમાં માનનારાં લોકોએ, તેને પરગ્રહવાસીનાં સીધા પુરાવા તરીકે વિશ્વમાં રજુ કર્યું. આગમાં ઘી હોમવાનું કામ ''સીરીયસ' નામની ફિલ્મે કર્યું જે ૨૦૧૩માં રજુ થઈ હતી. 'આટા' નામે ઓળખાતાં મમીનાં સમાચાર, સ્ટેનફોર્ડ યુનીવર્સીટીનાં ઈમ્યુનોલોજીસ્ટ ગેરી પી. નોલાનને મળ્યો હતો. તેને સમાચાર આપનાર મિત્રે એમ પણ જણાવ્યું હતું કે 'સીરીયસ' નામે ફિલ્મ બને છે. જેમાં આ 'આટા' હાંડપીંજરને એલીયન તરીકે દર્શાવવામાં આવનાર છે. ગેરી નોલાન તેને એલીયન માનતા ન'હતો. તેઓને UFOમાં પણ બહુ વિશ્વાસ હતો નહીં. આમ છતાં તેણે મિત્રને કહ્યું કે ''જો 'આટા'નાં સ્પેસીમેના નમુનો મળે તો, તે તેનો જેનોમ ઉકેલવા માંગે છે. વાત છેવટે 'સીરીયસ'નાં પ્રોડયુસર સ્ટીવન ગ્રીર પાસે પહોંચી. સ્ટીવન ગ્રીર પોતે UFOમાં માનનારાં એક યુફોલોજીસ્ટ છે. તેમણે હાઈડન ટ્રુથ, ફોરબીડન નોલેજ નામે પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનાં આધારે જ ફિલ્મ બનાવવામાં આવી હતી. ફિલ્મમાં લશ્કરી અધિકારીઓ અને સરકારી અધિકારીઓની મુલાકાત દર્શાવાઈ હતી. સ્ટીવન ગ્રીર અને 'આટા'નાં માલીક વચ્ચે વાતચીત થયા બાદ, તેઓ 'આટા'નો અતિસુક્ષ્મ હિસ્સો ગેરી નોલાનને આપવા માટે તૈયાર થયા હતા.'' સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ગેરી પી નોલાનને અન્ય વૈજ્ઞાનિકોનો સાથ અને સહકાર પણ મળ્યો. આટાનું એક્સરે સ્કેનીંગ થયા બાદ, સ્ટેનફોર્ડ યુની.નાં જ રાલ્ફ એસ. લાચમેને તેને વારસાગત અસ્થી રોગોનાં સંદર્ભમાં પુરૃ ચકાસણી પણ કરી. અમેરિકાની યુનીવર્સીટી ઓફ કેલીફોર્નીયાનાં વૈજ્ઞાનિક અતુલ બુટેનો સેકન્ડ ઓપીનીઅન પણ લેવામાં આવ્યો. ડૉ. અતુલ બુટેની પ્રયોગશાળામાં સંગીતા વટ્ટાચાર્ટ, જેનોમમાં મ્યુટેશન શોધી કાઢ્યા હતાં. આ વૈજ્ઞાનિકોની ટીમે એક સંશોધન પત્ર લખીને ''જેનોમ સ્પિર્ચમાં છેવટે પ્રકાશીત કર્યું અને 'આટા'નાં રહસ્યનું આખરી ઉદઘાટન પણ થઈ ગયું.'

 ''આટા'' પરગ્રહવાસી નહીં પરંતુ ''પૃથ્વીવાસી'' જ છે !

'આટા' નામે ઓળખાતું એલીયન હાંડપીંજર ૨૦૦૩માં મળી આવ્યા બાદ, એક વેપારી પાસે ૨૦૦૯ સુધી સચવાઈ રહ્યું. ૨૦૦૯માં બાર્સેલોનાનાં સિમ્પોઝીયમમાં પ્રથમ વાર તેને રજુ કરવામાં આવ્યું ત્યારે લોકોને ફરીવાર તેનાં દર્શન કરવા મળ્યા. ૨૦૧૨માં ગેરી પી. નોલાનને હાંડપીંજરની પાંસળીમાંથી માત્ર બાર માઈક્રોગ્રામ જેટલાં કોષો ડિએનએ એનાલીસીસ માટે આપવામાં આવ્યાં. પાંસળીમાં રહેલાં બોનમેરોમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગેરી નોલાન અને ૧૫ જેટલાં અન્ય વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષનાં સંશોધન અને જેનોમ ઉકેલ્યા બાદ રહસ્ય ખોલ્યું છે. ગેરી નોલાનનાં સંશોધન પેપર પ્રમાણે... 'આટા' હાંડપીંજર એ કોઈ પરગ્રહવાસી એલીયનનું હાંડપીંજર નથી. આ હાડપીંજર એક કન્યાનું છે. જેનાં જેનોમમાં, વિશ્વમાં અત્યાર સુધી જોવા ન મળી હોય તેવા હાડકાંનાં વિકાસ સાથે જોડાયેલા જનીનોમાં બદલાવ/ વિકૃતિ/ મ્યુટેશન જોવા મળે  છે. આ મ્યુટેશન થવા પાછળનું કારણ શું હતું ? તે જાણી શકાયું નથી. ગેરી નોલાન અંદાજ લગાવે છે કે જે ગામમાંથી આ હાડપીંજર મળ્યું હતું એ ગામમાં 'નાઈટ્રેટ'ની ખાણો આવેલી હતી. ગર્ભાવસ્થા દરમ્યાન વિકસતો ગર્ભ આ રસાયણોનાં કારણે અલ્પ વિકસીત રહી ગયો હોય અને તેનાં જનીનોમાં વિકૃતી પેદા થવાની સંભાવના કલ્પવામાં આવે છે. હાંડપીંજરની ઉંમર કેટલી છે ? કે તે કેટલું જૂનું છે ? તેનાં પર સંશોધન થયું નથી. ન્યુયોર્ક ટાઈમ્સનાં વિજ્ઞાન રિર્ખોર અને પ્રખ્યાત લેખક કાર્લ ઝીમર જણાવે છે કે હાંડપીંજર, સ્પેનમાં વસાહતોની શરૃઆત ઈ.સ. ૧૫૦૦ની આસપાસ શરૃ થઈ તે સમયનું હોવું જોઈએ. જોકે સંશોધન કરનારી ટીમ કહે છે કે હાંડપીંજર માત્ર ચાલીસેક વર્ષ જૂનું છે. એટલે કે ૧૯૭૦ની આસપાસ 'આટા'નો જન્મ થયો હોવો જોઈએ. આટાનો જન્મ મિસકેરેજ એટલે કે કસુવાવડમાં અથવા પ્રિમેચ્યોર એટલે કે અધુરા મહીને થયો હોવાની સંભાવના પણ છે. 'આટા'નું મૃત્યુ થયંડ ત્યારે તેની ઉંમર ૬ મહીના કરતાં વધારે નહીં હોય. જોકે હાંડપીંજરનાં હાડકાની બનાવટ અને અવસ્થા તે ૬ થી ૮ વર્ષનાં બાળકનું હોય તેવો અંદાજ આપે છે.

વૈજ્ઞાનિકો કહે છે કે 'આટા'ને ખૂબ જ દુર્લભ પ્રકારનાં રોગો લાગું પડયાં હતાં. જેમાં એક રોગ, સમય કરતાં પહેલાં જ કોષો વૃદ્ધ થવાની સમસ્યા પેદા થઈ હશે. 'પા' નામની ફિલ્મ તમને યાદ હશે. આ રોગને 'પ્રોમેરીયા' કહે છે. હાડપીંજરમાં હાડકાને લગતાં જનીનોમાં અનેક ખામીઓ જોવા મળી હતી. એલીયનનું રિપોર્ટ કાર્ડ જેનોમ રિસર્ચમાં પ્રકાશીત થયેલ લેખ મુજબ, શરૃઆતનાં તબક્કે 'આટા'નો જેનોમ અને ચીલીનાં એ પ્રાંતનાં લોકોનો જેનોમ ૯૨ ટકા મળતો આવતો હતો. મતલબ કે ૮ ટકા જેટલો તફાવત હતો. બીજીવાર કરવામાં આવેલ ચકાસણીમાં 'આટા'નો જેનોમ અને મનુષ્યનાં જેનોમ વચ્ચે ૯૮ ટકા જેટલી સમાનતાં છે. આ રિપોર્ટ ઉપર પણ વિવાદ થયો છે. 'આટા'ને એલીયન માનનારાં કહે છે કે મનુષ્ય અને ચિમ્પાન્ઝી બંનેનાં જેનોમમાં માત્ર બે ટકાનો તફાવત છે છતાં બંને અલગ અલગ પ્રજાતી છે. ટકાવારીનાં આ તફાવતને ધ્યાનમાં લઈએ તો, 'આટા' મનુષ્ય ગણી ન શકાય, તેવું યુફોલોજીસ્ટ માને છે. ગેરી નોલાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ તફાવત સંપૂર્ણ જેનોમનો નહીં પરંતુ જનીનોની જે સિકવન્સ ચકાસી હતી. તેમાં જોવા મળ્યો છે. 'આટા' મનુષ્ય બાળક છે એ વાત નક્કી છે. જનીનોનાં મ્યુટેશનનાં કારણે 'આટા'નાં જેનોમમાં હાડકા અને સ્નાયુને લગતી વિકૃતિઓ જોવા મળી છે. જેને મેડિકલ ભાષામાં સ્કોલીઓસીસ, સ્કેલેટન ડિસ્પ્લાસીઆ અને કોન્જીનેટલ ડાયાફ્રેમાટીક હર્નીઆ કહે છે. આટાનું નાનુ કદ, હાડકા અને ખોપરીની વિકૃતિ, પાંસળીની ઓછી સંખ્યા, વેગેરને લગતા સવાલોનાં જવાબ, તેનાં જનીનોમાં શોધવાની વૈજ્ઞાનિકોએ કોશીશ કરી હતી. અત્યાર સુધી સૌથી નાના કદનાં બાળકની લંબાઈ ૮.૮ ઈંચ નોંધાઈ છે. જ્યારે 'આટા' આના કરતાં બે ઈંચ વધારે નાનું કદ ધરાવે છે. સંચીતા ભટ્ટાચાર્યે આટાનાં જનીનોમાં ૨૭ લાખ જગ્યાએ બદલાવ જોયો છે. જેમાંના ૫૪ જેટલાં મ્યુટેશન અત્યંત દુર્લભ ગણાય તેવા છે. 'આટા'ની વિકૃતિ માટે એક નહીં અનેક જનીનો જવાબદાર છે. જેમાં ૭ જેટલા જનીનોની વિકૃતિ સીધી જ હાડકાનાં વિકાસ અને વિકૃતીને લગતાં રોગો સાથે સંકળાએલાં છે. જેનાં કારણે, 'આટા' જન્મ સમયે કે જન્મ બાદ તુર્તજ મૃત્યુ પામી હોવી જોઈએ છતાં પણ તેનાં હાંડકાની ઉંમર ૬ થી ૮ વર્ષની લાગે છે. ગર્ભાવસ્થાનાં છ મહીના બાદ, આટાનો જન્મ થયો હોવો જોઈએ. 'આટા' જેવો જ બીજો નમુનો, રશીયાનાં કાઅલીનીવી ગામમાંથી ૧૯૯૬માં મળ્યો હતો. જે એક માદા ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે નમુના સરકારને ડીએનએ ટેસ્ટીંગ માટે આપ્યા હતાં. જ્યાંથી તે ગાયબ થઈ ગયા હતાં. હોસ્પીટલમાંથી ભાગવાની કોશીશ કરનારી માનસીક બીમાર મહીલાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ આખી રશીયન ઘટના પણ એક રહસ્યમય ઘટનાં છે.