Monday 11 December 2017

હિમ માનવનું ખરૃ રહસ્ય હવે ખૂલે છે !

Pub. Date : 10.12.2017

ક્રિપ્ટોઝુલોસ્ટોને પડેલ મોટો ફટકો...


બ્રિટનમાં એક મ્યુઝીયમ દ્વારા જુના અશ્મીઓની હરાજી કરવામાં આવી હતી.તેમાં પ્રાચીન હાથીનાં વિશાળકાય હાડપીંજર પણ હતાં. જેને 'મામોથ' તરીકે જીવવિજ્ઞાની ઓળખે છે. મામોથની ઉંચી બોલી લાગશે એવું લાગતું હતું પરંતુ મામોથનાં અશ્મીઓની હરાજીમાં મોટી બોલી લાગી નહીં પરંતુ ''નેસી'' તરીકે ઓળખાતાં વિશાળકાય 'લોચનેસ'નાં સંપૂર્ણ હાડપીંજરની ખૂબ જ ઉંચી બોલી લાગી અને અશ્મીઓ ૯૨ હજાર પાઉન્ડમાં વેચાયા હતાં. હરાજી કરનારને ૩૦ હજાર પાઉન્ડ મળવાની આશા હતી. બ્રિટનનાં સ્કોટલેન્ડ પાસે લોચનેસ સરોવર છે. જ્યાં વર્ષોથી ડાયનોસોર જેવું વિશાળ રાક્ષસી જનાવર જોયું હોવાના ઘણા લોકોએ દાવો કર્યો હતો. આ વર્ષે પણ નવ જેટલી વાર 'લોચનેસ મોન્સ્ટર' દેખાયો હોવાની ખબરો છપાઈ હતી. મુળ વાત એ છે કે 'નેસી' તરીકે ઓળખાતું પ્રજ્ઞાાઐતિહાસીક પ્રાણી એ ક્રિપ્ટોઝુલોજીનું લોકપ્રિય જનાવર છે. આવા ક્રિપ્ટોજુલોજીનાં કેન્દ્ર સ્થાને બેઠેલ સૌથી વધારે લોકપ્રિય પ્રાણી હિમાલયનાં પહાડોમાં જોવા મળેલ ''યેતિ'' છે. જેને લોકો હિમ માનવ પણ કહે છે. વૈજ્ઞાાનિકોએ હિમ માનવ ઉર્ફે ''યેતિ'' ઉર્ફે બિગ ફુટનું રહસ્ય ખોલી નાખ્યું છે. જેના કારણે ક્રિપ્ટોજુલોજીને મોટો ફટકો પડયો છે. ક્રિપ્ટોજુલોજી શું છે. ''યેતિ''નું આખરી રહસ્ય શું છે ? 

ક્રિપ્ટોજુલોજી એટલે શું ? 

આપણી પ્રાચીન દંતકથાઓ ઘણીવાર વિચિત્ર આકારનાં પ્રાણીઓનો ઉલ્લેખ આવે છે. આવા પ્રાણીઓનાં વર્ણનમાં વિજ્ઞાાન, પ્રકૃતિ અને પેરા નોર્મલ એટલે કે પરાવિજ્ઞાાનનો સમાવેશ થાય છે. જેનું અસ્તિત્વ કે પુરાવા મળ્યા નથી એવા કાલ્પનિક પ્રાણીઓ વિશે સંશોધન કરનારી વિદ્યાશાખા એટલે ક્રિપ્ટોજુલોજી. જેનો અર્થ થાય ગુપ્ત, છુપાએલું કે વણઓળખાયેલ પ્રાણીનો અભ્યાસ. હવે સવાલ એ થાય કે જે પ્રાણીનાં અભ્યાસ માટે અશ્મીકો કે જૈવિક પુરાવા મળ્યા નથી તેને પ્રાણીશાસ્ત્ર સાથે કઈ રીતે સાંકળી શકાય. આ અર્થમાં ક્રિપ્ટોજુલોજીમાં કોઈ પદ્ધતિસરનું પ્રાણીશાસ્ત્ર નથી એટલે વૈજ્ઞાાનિકો ક્રિપ્ટોજુલોજીને વિજ્ઞાાનની વિદ્યાશાખા માનતા નથી. આમ છતાં ક્રિપ્ટોજુલોજી, તેનો અભ્યાસ અને લોકપ્રિયતા સામાન્ય લોકોમાં પણ વધારે છે કારણકે સામાન્ય પ્રજાને કાલ્પનીક પ્રાણીઓની રહસ્યમય દંતકથામાં વધારે રસ પડે છે. બિગફુટ, યેતિ, હિમ માનવ, લોચનેસ મોન્સ્ટર ઉર્ફે 'નેસી' વગેરે આ ક્રિપ્ટોજુલોજીનાં પાત્રો છે. જેના પુરાવા, સાબીતી કે શરીર અવશેષો મળ્યા નથી, માત્ર લોકોએ તેને જોયા હોવાનાં દાવા કર્યા છે. તાજેતરમાં 'યેતિ' એટલે કે હિમ માનવ કે બિગફુટનાં કહેવાતા અવશેષોનું ડિએનએ પરીક્ષણ કરીને, ક્રિપ્ટોજુલોજીની કાલ્પનિક દુનિયાનાં સૌથી લોકપ્રિય પાત્ર 'યેતિ'નું રહસ્ય ખોલીને, લોકોની કલ્પના ભરેલ ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે. ક્રિપ્ટોજુલોજીને UFO રસીયા સાથે પણ ઘણીવાર સાંકળવામાં આવે છે. કારણ કે આવા પ્રાણીઓ સાથે ક્યારેક પેરાનોર્મલ - શક્તિઓ સંકળાએલી હોવાનાં દાવા પણ કરવામાં આવે છે. ક્રિપ્ટોજુલોજીનાં કેટલાંક પ્રાણીઓનાં વર્ણન વાસ્તવિક પ્રાણીઓને મળતા આવે છે. આવા પ્રાણીઓને નામશેષ થઈ ગયાને હજારો વર્ષ થઈ ગયા હોવાનું વૈજ્ઞાાનિકો માને છે. કેટલાંક પ્રાચીન ડાયનોસૌરનાં વર્ણનો અને ક્રિપ્ટોજુલોજીનાં પ્રાણીઓ વચ્ચે સામ્ય જોવા મળે છે. 'નેસી' કે લોચનેસ મોન્સર આવું જ પ્રાણી છે. વૈજ્ઞાાનિકો નેસીને 'પ્લેસીયોસોર' નામનાં પાણીમાં રહેનારાં ''પ્લેસીયોસોર'' સાથે સરખાવે છે. બિગફુટ કે યેતીને નિષ્ણાંતો, જાયજેન્ટોપિથેક્સ બ્લેકી તરીકે ઓળખાવે છે. જેનું નિકંદન નિકળી ગયું છે. ઓરાંગ પેનેક નામનું પ્રાણી સુમાત્રાનાં જંગલોમાં દેખાયું હોવાનું કહેવાય છે. જેનો અર્થ ટુંકો કે ઠીંગણો માનવ થાય. ઈન્ડોનેશીયામાંથી જ ''હોમોફલોરેન્સીસ''નાં અશ્મીઓ મળી આવ્યા છે. જે ઓરાંગ પેનેકનાં વર્ણનો મળતા આવે છે. આમ ક્રિપ્ટોજુલોજીમાં કલ્પના અને હકીકતોની એવી ગુંથણી છે કે અલગ તારવવું મુશ્કેલ પડે. આમ છતાં કાલ્પનીક પ્રાણીઓમાંથી વાસ્તવિક માહિતીને અલગ કરવાનું કામ ક્રિપ્ટોજુલોજી કરે છે.

કલ્પના અને હકીકત વચ્ચે અટવાતાં - 'ક્રિપ્ટીડ' 

ક્રિપ્ટોજુલોજીમાં પ્રાચીન પ્રાગ-ઐતિહાસીક કાળથી કાલ્પનિક પ્રાણીઓની વાત આવે છે પરંતુ ક્રિપ્ટોજુલોજી માત્ર બે-એક સદી પ્રાચીન વિદ્યાશાખા છે. ૧૮૯૨માં ડચ જીવવિજ્ઞાાનીએ ''ધ ગ્રેટ સી સરપન'' નામની હસ્તપ્રતો પ્રકાશીત કરી હતી. આ પ્રાણી સમુદ્રમાં થતી વિશાળકાય સીલ માછલી માનવામાં આવે છે પરંતુ હજી સુધી કોઈને આ પ્રાણી મળ્યું નથી. આમ ૧૮૯૨થી ડચ જીવવિજ્ઞાાની એન્થની કોર્નેલીસ ઓડેમાન્સે ક્રિપ્ટોજુલોજીની અનઓફીસીઅલ વાત શરૃ કરી કહેવાય. ૧૯૫૫માં બર્નાડ હેવેલમાન્સ નામનાં વ્યક્તિએ ''બોન ધ ટ્રેક ઓફ એનીમલ્સ'' નામનું પુસ્તક પ્રકાશીત કર્યું હતું. તે પુસ્તકની લોકપ્રિયતાએ બર્નાડ હેવેલમાન્સને ક્રિપ્ટોજુલોજીનાં ''ક્રાધર''નું ઉપનામ મળ્યું હતું. ક્રિપ્ટોજુલોજીમાં આવતાં કાલ્પનિક પ્રાણીને ''ક્રિપ્ટીડ'' કહે છે. બર્નાડનાં પુસ્તકમાં વિશ્વભરમાંથી રહસ્યમય ''ક્રિપ્ટીક''નાં વર્ણનો એકઠાં કરવામાં આવ્યાં છે. ક્રિપ્ટીડની લોકપ્રિયતા એટલી છે કે માસ મીડીયા પણ તેને અવાર નવાર ચમકાવતી રહે છે. એનિમલ પ્લેનેટવાળાં ફાઈનીંગ બીગફુટ, સાયફાય ચેનલ ''ડેસ્ટીનેશન ટ્રુથ'' અને નેશનલ જ્યોગ્રાફીક ચેનલ બીસ્ટ હંટર જેવાં કાર્યક્રમો રજુ કરી ચુકી છે. જે ક્રિપ્ટોજુલોજીનાં વિવિધ ''ક્રિપ્ટીડ'' પર આધારીત છે. ક્રિપ્ટોજુલોજી શબ્દ બર્નાડ હેવેલમાને મિત્ર ઈવાન ટી સેન્ડરસન સામે પ્રયોજ્યો હતો. જ્યારે ''ક્રિપ્ટીડ'' શબ્દ ૧૯૮૩માં જે.ઈ. વોલે આપ્યો હતો. એક્ષ્ફોર્ડ ડિકશનરીમાં પણ ''ક્રિપ્ટીડ''ની વ્યાખ્યા આપવામાં આવી છે. ૨૦૦૩માં પ્રાચીન પ્રાણી વિશારદ હેનરી જી ને હોમોફલોરેન્સીસ નામનાં ઠીંગણાં મનુષ્ય પ્રજાતીનાં અવશેષો મળ્યા ત્યારે ક્રિપ્ટોજુલોજીમાં આનંદ છવાઈ ગયો હતો કે તેમનાં એક ક્રિપ્ટીડનાં પુરાવાઓ 'વિજ્ઞાાન'ને આપી શક્યા છે. ફોરટીયન ટાઈમ્સ નામનાં પેરાનોર્મલ/પેરાસાયકોલોજીનાં મેગેજીનમાં ક્રિપ્ટોજુલોજી વિશેષણ અવારનવાર છપાય છે. મજાની વાત એ છે કે ડિસેમ્બર- ૨૦૧૭ના ફોર્ટીઅન ટાઈમ્સનાં અંકની કવર સ્ટોરી છે. શુટીંગ બિગફુટ ૫૦. જીઓ-મેગ નામની જીઓ એપ દ્વારા આ મેગેજીનની ડીજીટલ કોપી પણ ઉપલબ્ધ છે. આજથી પચાસ વર્ષ પહેલાં, રોજર પેટરસન અને બોબગીમ્બલીનનો ભેટો બિગફુટ એટલે હિમ માનવ 'યેતિ' સાથે થયો હતો. તેમણે ફિલ્મ પણ બનાવી હતી. 'યેતિ'નાં જે ફોટોગ્રાફ મીડીયામાં જોવા મળે છે તે આ ફિલ્મનો સ્ટીલ ઈમેજ હોય છે. આખરે વૈજ્ઞાાનિકોએ બીગફુટ ''યેતિ''નું રહસ્ય ખોલીને ક્રિપ્ટોજુલોજીની દુનિયામાં મોટો બોમ્બ વિસ્ફોટ કર્યો છે.

હિમ માનવ - ફલેશ બેક 

૧૯ સદીની શરૃઆતથી હિમાનવ ''યેતિ''ની લોકવાયકા વધારે ફેલાવા લાગી હતી. તિબેટ, નેપાળનાં બૌદ્ધ ભિક્ષુકો માનવા લાગ્યા હતાં કે હિમાલયનાં પર્વતોમાં 'યેતિ' હિમ માનવ વસવાટ કરે છે. જેમનાં વર્ણન પ્રમાણે આ પ્રાણી વાંદરાને મળતું આવે છે. પત્થરોનો તે હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને સીટી વગાડતા હોય તેવો અવાજ કાઢે છે. ૧૯૨૧માં લેફટનન્ટ કર્નલ ચાર્લ્સ હોવાર્ડ-બરી દ્વારા ''માઉન્ટ એવરેસ્ટ રેકોનીસાન્સ'' પુસ્તક પ્રકાશીત થાય છે. જેમાં ''એનોમિનેબલસ્નોમેન'' શબ્દ પ્રયોગ 'યેતિ' માટે થાય છે. વિસમી સદીમાં 'યેતિ' સાથે ભેટો કરવા માટે કેટલીય ટીમ હિમાલય ખુંદવા નિકળી પડે છે. ડેઈલી મેઈલ દ્વારા ૧૯૫૪માં પણ એક અભિયાન 'યેતી'ને શોધવા માટે મોકલવામાં આવ્યું હતું. જેનો લીડર જ્હોન એન્જેલો જેકશન હતો. તેમણે બરફ પર પડેલાં યેતીનાં પગલાંનાં ફોટોગ્રાફ લીધા હતા. ૧૮૩૨માં પ્રથમવાર બે પગે ચાલતાં વિચિત્ર પ્રાણીને જોયું હોવાનું વી.એચ. હોગોને તેના પુસ્તકમાં જણાવ્યું હતું. ત્યાર બાદ ૧૮૯૯માં લોરેન્સ વેડેલને માહિતી મળી હતી કે તેનો માર્ગદર્શકોને વાંદરાં જેવું પ્રાણી અને તેનાં પગલા જોવા મળ્યાં હતાં. હોગોનને શંકા હતી કે તેનાં ગાઈડે રીંછને નિહાળ્યું હતું. ૧૯૨૫માં પ્રથમવાર એન.એ. યેમ્બાજીએ હિમાલયમાં વિચિત્ર પ્રાણી જોયું હોવાનું નોંધ્યું. ત્યાર બાદ ૧૯૫૧માં 'યેતી'નાં પગલાંની છાપનાં ફોટા એરીક સીમ્ટને લીધા હતાં. એવરેસ્ટ શિખર પર ચડતાં, એડમંડ હિલેરીએ હિમ માનવનાં પગલાં જોયા હોવાનું જણાવ્યું હતું. યાદ રહે કે એવરેસ્ટ પર પગ મુકનારાં પ્રથમ પર્વતારોહક તરીકેનું બહુમાન, સર એડમંડ હિલેરી અને શેરપા તેનસીંગને ફાળે જાય છે. હિલેરીએ જોકે હિમ માનવ હોવા સંબંધી માન્યતાને અવ્યવહારૃ ગણી હતી. સર હિલેરીને ત્યારબાદ ક્રિપ્ટોજુલોજીમાં રસ પડયો હતો અને તેઓએ બિગફુટ/હિમ માનવ/યેતિને શોધવા માટે ખાસ અભિયાન ચલાવ્યું હતું. ૧૯૬૦ તેમણે 'યેતિ' માટે અભિયાન ચલાવ્યું હતું. જેનું પરીણામ શૂન્ય આવ્યંિ હતું. યેતીનાં કોઈ પુરાવાઓ તેમને મળ્યા ન હતાં. સર એડમંડ હિલેરી પહેલાં, ૧૯૫૯માં 'યેતિ'નાં મળના નમુનાઓ સંશોધકોએ મેળવ્યા હતાં. જેનું પૃથ્થકરણ કરવામાં આવતાં તેમાંથી વણ ઓળખાયેલા બેકટેરીયા જોવા મળ્યા હતાં. એજ વર્ષે બ્રિટીશ અભિનેતા જેમ્સ સ્ટુઅર્ટ ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે 'યેતી'નાં મળનાં નમુના ચોરીને લંડન ભેગા કર્યા હતાં. સદીઓ પહેલાં બ્રિટીશરો ભારતનો કિંમતી ખજાનો લુંટી ગયા હતાં. ભારત આઝાદ થયા બાદ, જેમ્સ સ્ટુઅર્ટ ''યેતી''નાં મળના નમુનાં ચોરી ગયા હતા.

આખરે DNA એ રહસ્ય ખોલી નાખ્યું ! 


એશિયા ખંડના તિબેટ અને નેપાળનાં પહાડોમાં ''હિમ માનવ'' 'યેતિ' જોવા મળ્યો હોય તેવી લોકવાયકાઓ સદીઓથી પેઢી દર પેઢી સાંભળવા મળતી આવી છે.  કેટલાંકને 'યેતિ'નાં અસ્થી અને વાળ મળ્યા છે. 'યેતિ'નાં વાળ ગણાતાં નવ સેમ્પલનું વૈજ્ઞાાનિકોએ ડિએનએ ટેસ્ટીંગકરતાં આઠ સેમ્પલ, એશીયન બ્લેક બેઅર, એટલે કે એશીયાઈ કાળા રીંછને મળતાં આવ્યાં છે. જ્યારે એક સેમ્પલ પહાડી કુતરાનાં ડિએનએ સાથે મેળ ખાય છે. બ્રિટીશ પ્રોડકશન કંપની ''આયકન'' ફિલ્મને ૨૦૧૬માં ''યેતી''નાં કેટલાંક નમુના મળ્યા હતાં. આયકન ફિલ્મ, એનીમલ પ્લેનેટ માટે ''યેતી ઓર નોટ'' ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યાં હતાં. આ નમુનાઓ ડૉ. શાર્લોટ લીન્ડક્વીસ્ટને સોંપવામાં આવ્યા હતાં. જેનું વૈજ્ઞાાનિક પૃથ્થકરણ પ્રોસીડીંગ ઓફ રોયલ સોસાયટી 'B'માં પ્રકાશીત થયું છે. યુનિવર્સિટી ઓફ બફેલોનાં વૈજ્ઞાાનિકોએ 'યેતિ' /હિમ માનવનાં હાડકા, દાંત, ચામડી વાળ અને મળનાં નમુનાઓનું પૃથ્થકરણ કર્યું હતું.
જેમાંથી આઠ સેમ્પલનાં ડિએનએ, હિમાલીયન બ્રાઉન બેઅર, ટીએટીઅન બ્રાઉન બેઅર અને એશીયન બ્લેક બેઅરને મળે છે. આ પહેલાં ડો. લિન્ડક્વીસ્ટ સામાન્ય ડિએનએ ટેસ્ટીંગ કરી ચુક્યા હતા. પરંતુ તે સમયે કેટલાંક પ્રશ્નોનાં જવાબ મળ્યા ન હતાં. તાજેતરમાં તિબેટની ગુફામાંથી મળી આવેલ ફેમર બોડીનાં ટુકડાનું પણ ડિએનએ એનાલીસીસ કરવામાં આવ્યું હતું જે 'તિબેટીઅન બ્રાઉન બેઅર'નું હાડકું હોવાનું સામે આવ્યું છે. ડો. લીન્ડકવીસ્ટે એશીયાઈ રીંછોનાં ઉત્ક્રાંતિ ઈતિહાસ સંબંધે પણ સંશોધન કરેલ છે. હિમાલીઅન બ્રાઉન બેઅરનાં અસ્તિત્વ માથે મોટો ખતરો રહેલો છે. જેનો બચાવ રણનીતી માટે વૈજ્ઞાાનિકોએ તેની જીનેટીક ડાયવર્સીટી તપાસી હતી. જેમાં ૨૩ જેટલાં એશીયન રિંછોની માઈટોકોન્ક્રીઅલ ડિએનએ એનાલીસીસ કરવામાં આવ્યું હતું. કોષ કેન્દ્રનાં રંગસૂત્રો ઉપરાંત કણાભસૂત્રો એટલે માઈટોકોન્દ્રીયામાં પણ માતૃત્વ પક્ષનું ડિએનએ પેઢી દર પેઢી વારસામાં ઉતરતું જોવા મળે છે. જેમાં અન્ય જનીનોની ભેળસેળ ઓછી થયેલી હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તિબેટનાં બ્રાઉન બેઅરની પૂર્વજોની શાખા, ઉત્તર અમેરીકા અને યુરોપ-એશીયાનાં રીંછો સાથે પણ મળે છે. અમેરીકાનાં પહાડોમાં પણ હિમ માનવ જોવા મળ્યાના અહેવાલ હતાં. આખરે હિમ માનવ 'યેતિ' તરીકે ઓળખાતું પ્રાણી હિમાલયનું રીંછ હોવાનું સામે આવ્યું છે.

Monday 4 December 2017

'વોટ ફોર ચેન્જ : મનુષ્યનું વૈચારિક મહાયુધ્ધ'

સામાન્ય વિચારોને જ્યારે વૈજ્ઞાનિક વિચારસરણીનો ચેપ લાગે છે ત્યારે...


ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. સમાજ અને લોકો બદલાવ ઈચ્છી રહ્યા હોય છે. આ કારણે 'વોટ ફોર ચેન્જ' એ વિશ્વ પ્રસિદ્ધ થયેલું સ્લોગન છે. વિજ્ઞાાન વિશ્વમાં કેટલીક ક્રાન્તિકારી શોધ, ઘટના કે વિચારના કારણે સમગ્ર માનવજાતિનો ઈતિહાસ અને જીવનશૈલી બદલાઈ જાય છે.ક્યારેક આવો બદલાવ માનવજાતની સગવડ સાચવવા માટેની શોધમાંથી જન્મ લે છે. ક્યારેક મનુષ્યની મહેનત બચાવવા અને એકધાર્યું બીબાંઢાળ કામમાંથી મુક્તિ મેળવવા માટે 'મશીન'ની શોધ થાય છે. મશીનને માનવ જેવો વિચારશીલ બનાવવાની પ્રક્રિયામાંથી રોબોટનો જન્મ થાય છે. કેટલાંક સામાજીક બદલાવની સાથે સાથે વિચારસરણી બદલાય છે અને વિશ્વમાં 'રેનેંસા' એટલે કે નવજાગૃતિકાળ પેદા થાય છે.
સદીઓથી ચાલી આવતી માન્યતા કે વિચારને વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી ચકાસવાની શરૃઆત થાય છે. પ્રચલીત માન્યતાઓ સામે મનુષ્ય પ્રશ્નાર્થ ચિન્હ મુકી શકે છે. પ્રકૃતિમાંથી જ્ઞાાન પ્રાપ્તિ અર્થે નિયમો અને થિયરી શોધવાનાં પ્રયત્ન થાય છે. 'વોટ ફોર ચેન્જ' ચેન્જ ફોર ઓલ મેનકાઈન્ડ સાબિત થાય છે. વિજ્ઞાાન જગતમાં એવી કેટલીય ઘટનાઓ છે જેણે મનુષ્ય જીવનશૈલી, રહેણી કરણી, વિચાર જગતમાં ક્રાન્તિકારી ફેરફારો લાવ્યા હોય એવી બે હકીકતોને વોટ ફોર ચેન્જનાં માહોલમાં માણીએ.

ગેલેલીઓ : મનુષ્યનાં બ્રહ્માંડના ખ્યાલોમાં આવેલ બદલાવ

જ્યારે ગેલેલીયોએ પ્રથમવાર તેનું ટેલિસ્કોપ આકાશ તરફ તાક્યું ત્યારે, તેણે મનુષ્ય જાતિનાં બ્રહ્માંડ વિશેના ખ્યાલો અને માન્યતાઓ બદલવાનું ભગીરથ કાર્ય આરંભી દીધું હતું. તેનાં ટેલીસ્કોપ અને દિમાગનાં સમન્વયે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે અનોખી વાત કહી જે, તે સમયની પ્રવર્તમાન બ્રહ્માને લગતી થિયરી સાથે મેળ ખાય તેવી ન હતી. પૃથ્વી પરથી દેખાતું રાત્રી આકાશ નિશ્ચિત અને સંપૂર્ણ માનવામાં આવતું. પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવતું હતું, ગ્રહો, તારાઓ અને આપણો સુર્ય પૃથ્વીની પ્રદક્ષિણા ફરે છે.
એવું સામાન્ય જ્ઞાાન લોકો પાસે હતું. કોપરનિક્સે હેલીયોસેન્ટ્રીક એટલે કે કેન્દ્રમાં સુર્ય અને તેની ફરતે ગ્રહો હોય તેવી થિયરી આપી. જે જુની માન્યતાઓથી વિપરીત હતી. ગેલીલીયો ગેલેલી આ થિયરીનાં સમર્થક હતા કારણ કે કોપરનિક્સનાં સુર્યમાળાનાં મોડેલ સાથે ગેલેલીયોનાં અવલોકનો મેળ બેસાડતા હતા.
ગેલેલીયોનાં કુટુંબીને ગેલેલીયોને પુસ્તક લખવા માટે મજબુર કર્યા. ૧૬૩૦માં તેમણે Two words system પ્રકાશીત કર્યું. જેનાં કારણે તેના પર મુકદમો ચલાવવામાં આવ્યો અને રોમન કેથલીક ચર્ચ તરફથી બરતરફ કરવામાં આવ્યો. ચર્ચની બ્રહ્માંડની વ્યાખ્યા અને સર્જનને, ગેલેલીઓનાં વિચારોએ ખુલ્લી ચેલેન્જ આપી હતી.અહીં વોટ ફોર ચેન્જ, વિચારસરણીનો હતો. નેપરનિક્સની વિચારસરણીને લગતો પત્ર ગેલેલીયોએ ૧૬૧૫માં લખ્યો હતો. પરંતુ, કોપરનિક્સની થિયરીને વૈજ્ઞાાનિક સમર્થન ૧૮૩૮માં મળ્યું. ક્રિશ્ચિયન ધર્મનું કેન્દ્ર બિંદુ ગણાતું વેટિકન વીસમતી સદીમાં માનવા લાગ્યું કે ગેલેલીયો સાચો તો. એક વિચારને બદલવામાં ગેલેલીયોને સદીઓ સુધી રાહ જોવી પડે છે.ખગોળ શાસ્ત્રનું ખરૃ 'રિવોલ્યુશન' ગેલેલીયોનાં સમયકાળથી શરૃ થયું. આજે ગેલીલીયો અને તેના જેવા અનેક મહાન ખગોળશાસ્ત્રીઓનાં ખભા પર બેઠેલ માનવી બ્રહ્માંડમાં ઘણે દૂર સુધી નજર નાખી ચુક્યો છે. બિગબેંગ, ડાર્ક મેટર, ડાર્ક એનર્જી, ગ્રેવીટી વેવ્ઝ, બ્લેકહોલ્સ જેવી અનોખી બાબતો પર નવું જ્ઞાાન વિજ્ઞાાને મેળવ્યું છે કારણ કે મનુષ્યની બેઝિક વિચારસરણીને વોટ ફોર ચેન્જ બનાવવાનું બહુમુલ્ય કામ ગેલેલીયો સદીઓ પહેલાં કરી ગયો છે.

વિલીયમ હાર્વે - શરીરમાં રક્તભ્રમણની સમજણ

આજે મનુષ્ય જાણે છે કે માનવ શરીરમાં સેકડો કી.મી.લાંબી રક્તવાહીનીઓ માંથી લોહી પરીભ્રમણ કરતું રહે છે. આજે શરીરમાં રક્ત પરીભ્રમણની થિયરી સામાન્ય માણસ પર સ્વીકારી ચુક્યો છે. ખરેખર ૧૬૯૮ સુધી કોઈ એમ માનતું નહોતું કે માનવ શરીરમાં રહેલ ''લોહી'' મનુષ્ય શરીરમાં પોતાનાં પ્રદક્ષીણા માર્ગે કરતું રહેતું હશે. જુની માન્યતા એવી હતી કે ખોરાકમાંથી યકૃતમાં લોહીનું સર્જન થાય છે. જેને હૃદયમાં સીધો પ્રવેશ મળે છે. હૃદયમાં લોહી ગરમ થાય છે. અને નસોમાં લોહીને મોકલવામાં આવે છે.
વિલીયમ હાર્વે નામનો તબીબ, જેમ્સ પહેલાંનો ડોક્ટર હતો. જેણે મનુષ્ય શરીરનો સંપુર્ણ અભ્યાસ શરૃ કર્યો હતો. છેવટે તે એવાં નિર્ણય પર આવ્યો કે 'હૃદય મનુષ્ય લોહીને ગરમ કરતુ નથી' હૃદય લોહીને રક્તવાહીનીઓમાં ધકેલવાનું એટલે કે લોહીનું 'પમ્પીંગ'કરવાનું કામ કરે છે. વિલીયમ હવે જાણી ચુક્યા હતા કે રક્તવાહીનીઓની એક અનોખી સરકીટ માનવ શરીરમાં છે. જે પુરી કરી એે લોહી હૃદયમાં પાછુ ફરે છે. વિલીયમ હાર્વેનાં સમયમાં માઇક્રોસ્કોપની શોધ થઈ ન હતી.છતાં તેણે બહુ 'બોલ્ડ'વિચારબીજ ને જન્મ આપ્યો હતો. ધમની અને શીરા દ્વારા સુક્ષ્મ રક્તવાહીની 'કેપેલરી'માં રકત કઈ રીતે પહોચે છે. એ વાત વિલીયમ હાર્વે જાણીતા ન હતાં છતાં ખુબજ પરફેક્ટ અંદાજ તેમણે બાંધ્યા હતો. જો વિલીયમ હાર્વે દ્વારા લોહીનાં ચોક્કસ દીશામાં પરીભ્રમણની થિયરી રજુ થઈ ન હોત તો શું થાત જરા વિચારી જુઓ ?
આધુનિક વિજ્ઞાાન એ જાણી ન શક્ત કે સર્જરીમાં કઈ નસ કપાઈ જતાં કેટલું લોહી નિકળશે. તબીબી સારવાર માટે ઇન્જેક્શન કયાં મારવું ? હૃદય લોહીને પમ્પીંગ કરે છે એ વાતની ખબર નહોત તો હૃદયરોગની સંપુર્ણ માહીતી પણ મનુષ્ય મેળવી શક્યો ન હોત.
૧૬૨૮માં વિલીયમ હાર્વેએ પુસ્તક લખ્યુ જેનું નામ હતું 'ઓન ધ મોશન ઓફ હાર્ટ એન્ડ બ્લડ'. પુસ્તક અને તેની થિયરી એ વિલીયમ હાર્વેની કારર્કિદીને પુર્ણ વિરામ લગાવી દીધું કારણકે તે સમયે તબીબો જુની સંકુચીત વિચારસરણીને માન આપતા હતાં નવાં વિચારોનાં બદલાવને પસંદ કરતાં ન હતો. અને મહત્વની બાબત, તબીબો કોઈ નવી વૈજ્ઞાાનિક શોધ કરતાં ન હતાં. આ પરીસ્થિતી બદલવા માટે વિલીયમ હાર્વેએ કોશીશ જરૃર કરી હતી. વોટ ફોર ચેન્જ, મેડીકલ સાયન્સ માટે એક માઈલ સ્ટોન બની ગયો છે.

માઈક્રો રિવોલ્યુશન- સુક્ષ્મ દુનિયામાં ડોકીયું

માઇક્રોસ્કોપ અને ટેલીસ્કોપ એ સતરમી સદીમાં, મેળામાં વેચાતાં રમકડા હતા. તેનો વૈજ્ઞાાનિક ઉપયોગ કરવાનું લોકોને સુઝ્યુ ન હતું. સુક્ષ્મ જીવાણુઓની આગવી દુનિયા હોય એવું કોઈની કલ્પનામાં પણ ન હતું.
૧૬૬૫માં રોબર્ટ હુકે સજીવ શરીરનાં પ્રારંભીક એકમ 'કોષ'એટલે કે 'સેલ'ની શોધ, માઇક્રોસ્કોપ વડે કરી અને માઈક્રોસ્કોપનાં દિવાના બનેલ રોબર્ટ હુકે પુસ્તક પ્રકાશીત કર્યું જેનું નામ હતું : ''માઈક્રોગ્રાફીયા''. ઘડીયાળ રિપેર કરનાર જેમ સુક્ષ્મ દર્શક કાચ લગાવીને આખી ઘડિયાળ ખોલી શકે છે, તેમ માઇક્રોસ્કોપની મદદથી સુક્ષ્મ જીવાણુઓની આંખી દુનિયા ખોલીને જોઈ શકાય છે. આજના મોર્ડન માઇક્રોસ્કોપ ખુબ જ પાવરફુલ બની ગયા છે.
માઈક્રોસ્કોપની મદદથી આધુનિક વિજ્ઞાાન અને ટેકનોલોજી જ્યાં પહોંચી છે. તેનાંથી આગળની સરહદો પાર કરવાનું સામર્થ્ય પણ માઈક્રોસ્કોપમાં છે. વિવિધ પ્રકારની એકસરે માઇક્રોસ્કોપી, અલ્ટ્રાવાયોલેટ માઇક્રોસ્કોપી અને લેસર માઈક્રસ્કોપી જેનો મુખ્ય આધાર છે. માઈક્રોસ્કોપ, માઈક્રોસ્કોપની શોધનો શ્રેય કોને આપવો ? ૧૯૫૦માં ઝાકેરીપાસ જાન્સેને 'માઈક્રોસ્કોપ'માટે દાવો કર્યો હતો.
ટેલીસ્કોપની પેટન્ટમાં અરજી કરનાર હાન્સ લીપરસે પણ 'માઈક્રોસ્કોપ'તેની શોધ હોવાનું જણાવે છે. કેટલાંક લોકો મેલેલીયોને કંમ્પાઉન માઇક્રોસ્કોપનાં શોધક માને છે. શરીર, વિજ્ઞાાન માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ ૧૬૪૪ પહેલાં થયેલો જોવા મળતો નથી. ઇટાલીઅન વૈજ્ઞાાનિક માર્સેલો મેલપીંધીને, કેટલાંક ઇતિહાસકારો, હીસ્ટોલોજી એટલે કે કોષ, વિજ્ઞાાનનાં 'ફાધર'ગણાવે છે.તેમણે માઇક્રોસ્કોપ વડે ફેફસાનું બંધારણ જાણવાની કોશીશ કરી હતી. માઈક્રોસ્કોપને જીવવિજ્ઞાાનની જીવાદોરી રૃપે વાપરવાનું કામ રોબર્ટ હુકે કર્યું. એન્ટોન લિવોન હોકનું નામ લીધા વગર માઈક્રોસ્કોપનો ઇતિહાસ અધુરો ગણાય. સામાન્ય સીમ્પલ સીંગલ લેન્સ માઇક્રોસ્કોપ વડે તેમણે ૩ ગણુ 'મેગ્નીફીકેશન'મેળવ્યુ હતું.રેકોર્ડ ગણાય. લીવોનહોર્કે રક્તકણો અને શુક્રકોષોને પણ માઈક્રોસ્કોપ નીચે ચકાસ્યા હતા. ત્યારબાદ, સુક્ષ્મ જીવાણુ અને વિષાણુની સુક્ષ્મ દુનિયામાં વૈજ્ઞાાનિકો ડોકીયુ કરી શક્યા હતો. આજે મેડીકલ સાયન્સ 'માઇક્રોસ્કોપ 'વગર ગરીબ અને પાંગળું બની જાય. જીવવિજ્ઞાાનની મનુષ્યની સમજને સાચો માર્ગ માઈક્રોસ્કોપે બતાવ્યો છે. માઇક્રોસ્કોપ પણ વોટ ફોર ચેન્જનું એક અનોખુ મુકામ છે.

રોયલ સોસાયટી : 'સાયન્ટીફીક એજ'ની શરૃઆત

૧૬૬૦માં ઇગ્લેન્ડમાં રાજા ચાર્લ્સ દ્વિતીય રાજગાદી પર બેઠેલો હતો. કેટલાંક સમજુ માણસોએ ભેગા થઈને નક્કી કર્યુ કે પ્રયોગો કરીને સાબીત મેળવે તેવી એકાદ વૈજ્ઞાાનિક સંસ્થા હોવી જોઈએ. જેનો બીજો અર્થ થતો હતો. બ્રહ્માંડ અને પ્રકૃતિનાં રહસ્યોને માનવ અવલોકનો વડે, પ્રયોગાત્મક સ્વરૃપે બતારણ મેળવીને સ્વીકારવા.
આ વિચારબીજ માંથી ખ્યાતનામ, સંસ્થા રોયલ સોસાયટીનો જન્મ થયો. યુરોપમાં રાષ્ટ્રીય કક્ષાએ શરૃ થયેલ આ પ્રથમ ઓર્ગનાઇઝેશન હતું. આ કોઈ સજ્જનોની વિચારસભા કે ચર્ચા માટેનું જુથ ન હતું. અહીં લોકો આવતાં ભારે તેમનાં મગજમાં કોઈ વૈજ્ઞાાનિક વાત ધુમરાતી રહેતી હતી. અહી તેઓ પ્રયોગો પણ કરતાં. સંશોધનો કરતા હતા. નવી થિયરી ને જન્મ આપતા હતાં, સાથે સાથે તેનાં પુરાવા રૃપી સાબીતીઓ પણ એકઠી કરતાં હતા.
થોડા સમયમાં પેરીસમાં પણ આવી જ સંસ્થાની શરૃઆત થઈ. વૈજ્ઞાાનિક સંશોધન માટે આવાં ઓર્ગેનાઈઝેનશ સ્થાપાયા તેનો ફાયદો માનવજાતીને જરૃર થયો. નવાં વિચારો અને થિયરીને લઈને 'જીનીયસ'લોકો અહી આવતા થયા. કોઈ પણ ડર વગર નવી વાત કરવાં તેઓ મક્કમ બન્યાં હતાં. નવાં વિચારયુધ્ધનું રણમેદાન બદલવાનું સૌભાગ્ય 'રોયલ સોસાયટી'ને મળ્યું.
બેન્જામીન ફેકલીને અહી વિધૃતને લગતા પ્રયોગો કર્યા. આઈઝેકન્યુટન આ સોસાયટીનાં પ્રમુખ બન્યા ત્યારે રોયલ સોસાયટીની ખ્યાતી અને વિશ્વસનીયતા બંને પર ચાર ચાંદ લાગી ગયાં. કલનશાસ્ત્રનાં કેટલાંક સંશોધનો માટે લેબેનીઝા સાથે ન્યુટનને વાંધો પડયો ભારે, તટસ્થ સમીતીની રચના કરવાનો દાવો કરવામાં આવ્યો. સંસ્થાનો પ્રમુખ હોવાનો ન્યુટને લાભ ઉઠાવ્યો અને કમીટીનાં નામે, પોતે લખેલો રિપોર્ટ પ્રસિધ્ધ કરાવી દીધો.
ચાર્લ્સ બાળેજને લાગ્યુ કે રોયલ સોસાયટીનાં કારણે 'પ્યોર મેથેમેટીકસ'ને નુકસાન થઈ રહ્યુ છે. રોયલ સોસાયટી વિરુધ્ધ લખાણો પણ ચાર્લ્સ બાળેજે લખ્યા હતાં.

આ ચાલ્સ બાજને આધુનિક કોમ્પ્યુટરનો જન્મદાતા ગણી શકાય. રોયલ સોસાયટીનાં 'ફેલો'હોવું સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયું. રોયલ સોસાયટીની સ્થાપના ૧૬૬૦ થી લઈને ૧૯૪૫ સુધી પુરૃષોનું વર્ચસ્વ રહ્યું. ૧૯૪૫માં પ્રથમવાર મહીલા 'ફેલો'ને રોયલ સોસાયટીમાં ચુટવામાં આવ્યા. વિજ્ઞાાનને સમર્પીત સોસાયટીએ કેટલીય નવી થિયરી અને વ્યકિતઓને પોતાની નવી ઓળખ ઊભી કરવાનું પ્લેટફોર્મ પુરૃ પાડયું છે.