Showing posts with label evolution. Show all posts
Showing posts with label evolution. Show all posts

Monday, 27 November 2017

ચાર્લ્સ ડાર્વિનનાં પગલે પગલે...

Pub-Date:19.11.2017

આધુનિક સંશોધન સાબિતી આપે છે...

ભૌતિક શાસ્ત્ર જેમ આલ્બર્ટ આઈનસ્ટાઈનનાં ઉલ્લેખ વગર અધુરુ છે. એ રીતે જીવવિજ્ઞાાન એટલે કે બાયોલોજી ચાર્લ્સ ડાર્વીનનાં ઉલ્લેખ વગર અધુરૃં ગણાય. ચાલ્સ ડાર્વીનની થિયરી ઓફ ઈવોલ્યુશન એટલે કે ''ઉત્ક્રાંતિવાદ'' એ ધર્મ દ્વારા આપેલ સજીવ ઉત્પતિની સંકલ્પનાને ખોટી પાડે છે. આજે બે સદી બાદ પણ, ધર્મ અને ચાર્લ્સ ડાર્વીનની થીયરી વચ્ચેનો વિગ્રહ દૂર થાય તેમ નથી. આમ છતાં ચાર્લ્સ ડાર્વિને ''બિગલ'' નામનાં જ્હાજમાં દરીયાઈ મુસાફરી કરીને, વિવિધ ટાપુઓ ઉપર રહેલાં સજીવોનાં નમુના એકઠા કર્યા. આ ઉપરાંત અનુભવજન્ય અને અવલોકનજન્ય તારણોનો સમન્વય કરીને એક ક્રાન્તિકારી, ઉત્ક્રાંતિની થિયરી આપીને દુનિયાને આશ્ચર્યચકિત કરી હતી. આ પ્રકારની થિયરી આલ્ફેડ વોલેસ રસેલે પણ શોધી કાઢી હતી. ચાર્લ્સ ડાર્વીને રસેલનું સંશોધન પણ વાંચ્યું હતું. જોકે પોતાનાં સંશોધનને પહેલાં રજુ કરીને ઉત્ક્રાંતિવાદની ક્રેડીટ પોતાના નામે કરવામાં ચાર્લ્સ ડાર્વીન સફળ રહ્યાં હતાં. આજનાં આધુનિક સંશોધન પણ ચાર્લ્સ ડાર્વિન સાચા હોવાની સાબીતી આપે છે. ચાર્લ્સ ડાર્વિનનું વિરાટ કદ જોઈને, યુનિ. ઓફ કનેક્ટીક્ટ દ્વારા, મિ. ડાર્વિન - બિગ મેન ઓન કેમ્ચસ નામનું લેકચર ગયા ઓક્ટોબર મહિનાની ૨૮ તારીખે ગોઠવાઈ ગયું હતું. 

ચાર્લ્સ ડાર્વિન : અધૂરી કહાની... 

ચાર્લ્સ ડાર્વિન વિશે લખીએ તો, પુસ્તકો ભરાઈ જાય. અને સાચે જ... ચાર્લ્સ ડાર્વિને લખેલ સાહીત્ય કરતાં, ચાર્લ્સ ડાર્વિન વિશે વધારે પુસ્તકો લખાયા છે. ૧૮૩૧માં ચાર્લ્સ ડાર્વિન યુની. ઓફ કેમ્બ્રીજમાંથી ગ્રેજ્યુએટ થયા હતાં. સામાન્ય ડિગ્રી મેળવનારાં ૧૭૮ વિદ્યાર્થીઓમાં ચાર્લ્સ ડાર્વિન દસમા ક્રમે હતો. એમણે પોતાના વક્તવ્યમાં એક વાર કહ્યું પણ ખરૃં કે, ''મારો અભ્યાસકાળ એ સમયની બરબાદી હતો.'' આવો સામાન્ય વિદ્યાર્થી આખરે તેના યુગનો મહાન વૈજ્ઞાાનિક કઈ રીતે બની ગયો ? વૈજ્ઞાાનિક તરીકેની કારકીર્દીને તેમણે કઈ રીતે વ્યવસાય બનાવી લીધો ? તે સમયે શાળા-કોલેજો અને યુનિવર્સીટીઓ તો ચાર્લ્સ ડાર્વિન વિશે શું અભિપ્રાય હતો ? આ બધા સવાલોનાં જવાબ મેળવવા માટે ચાર્લ્સ ડાર્વિન વિશે ખૂબ વાંચવું પડે. તેમણે ખેડેલી HMS  ''બિગલ''ની દરિયાઈ સફરે તેનાં જીવનમાં આમુલ પરીવર્તન લાવી દીધું હતું. ૧૮૫૯માં તેમણે લખેલ ''ઓન ધ ઓરીજીન ઓફ સ્પીસીઝ'' મુખત્વે પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરે છે. જ્યાં ઈવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ માટે ''ટ્રાન્સમ્યુટેશન'' જેવો શબ્દ વપરાયો છે. ૧૮૩૮માં તેમણે જાહેર કર્યું હતું કે ''મનુષ્યનું મૂળ/ઉત્પતિ રહસ્ય હવે પકડાઈ ગયું છે. 
૧૭૫૮માં વૈજ્ઞાાનિક નામોની વિશિષ્ટ પ્રણાલી આપનાર કાર્લ લીનસ દ્વારા ''પ્રાઈમેટ'' (અથવા પ્રિમેટ) શબ્દ વપરાયો હતો. લેટીન ભાષામાં તેનો અર્થ થાય ''પ્રથમ ક્રમાંક દરજ્જાનું'' જેમાં વાનરથી માંડી નર મનુષ્ય સુધીનો સમાવેશ થતો હતો. ચાર્લ્સ ડાર્વિને ''પ્રિમેટ''ને પણ પોતાનાં અભ્યાસનું સાધન બનાવ્યા હતાં.'' મનુષ્યનાં હાવભાવ, લાગણીઓની સાથે સાથે મુખાકૃતિ કઈ રીતે બદલાય છે તેનું દસ્તાવેજી કરણ કઈ રીતે કરવું ? આ સવાલનો જવાબ મેળવવા માટે નવજાત શિશુનું અધ્યઅન કરવું જરૃરી હતું. પોતાના સાળા હેન્સલે વેડવુડનાં તાજા જન્મેલાં સંતાન અર્નેસ્ટ પર તેમણે અધ્યન ચાલુ કર્યું હતું. જેનો જન્મ ૧૮૩૮માં થયો હતો. ૨૯ જાન્યુઆરી ૧૮૩૯માં ચાર્લ્સ ડાર્વિનનાં ઘરે પારણું બંધાયું અને વિલીયમ ઈરાસ્મસનો જન્મ થયો. જે ડાર્વિનનાં દસ સંતાનોમાં પ્રથમ હતો. અને ''આંખનું રતન'' પણ તેનાં ઉપર ડાર્વિને અભ્યાસ શરૃ કર્યો. ઈરાસ્મસ ડાર્વિન પણ આગળ જતાં બેન્કીંગ ધંધામાં ઝંપલાવે છે. પરંતુ ચાર્લ્સ ડાર્વિન માટે તે ઈન્ફત્ટ સાયકોલોજી સમજવા માટેનું હથિયાર હતો. તેનાં શરૃઆતનાં ત્રણ વર્ષનાં તેના ચહેરાના હાવભાવ અને શારીરિક હલન ચલનની ડાયરી ડાર્વિને રાખી હતી. 

પક્ષીઓનો પાંખોનો ફફડાટ 

૧૫૦ વર્ષ પહેલાં ચાર્લ્સ ડાર્વિન કહી ગયા હતાં કે, પક્ષીઓ તેની પાંખોનો ઉપયોગ માત્ર ઉડવા માટે કરતાં નથી. સંદેશાવ્યવહાર માટે પણ પાંખોનો ફફડાટ ઉપયોગમાં લે છે. આ વાત તે સમયે કોઈએ માની ન હતી કારણ કે દરેક પક્ષી પાસે વિશિષ્ટ પ્રકારનો પોતાનો ગળાનો અવાજ હોય છે. શા માટે પછી પંખી બીજી પ્રકારનાં કોમ્યુનીકેશનને ઉપયોગમાં લે ? જોકે આધુનિક સંશોધને ચાર્લ્સ ડાર્વિનને સાચો ઠેરાયો છે. રોબર્ટ મેગાર્થ નામનાં સંશોધકે પોતાનું સંશોધન કબુતર પર સ્થીર કર્યું છે. સંશોધન દરમ્યાન જાણવા મળ્યુંછે કે કલગીવાળા કબુતર, તેની ઉડવાની મુખ્ય પાંખોનાં પીછાનો ઉપયોગ, હાઈ પીચ વોર્નીગ સાઉન્ડ આપવા માટે કરે છે. જેથી કરીને તેની સાથે ઉડનારા અન્ય કબુતરને ખતરાની જાણ થાય અને ખતરાવાળા સ્થાનથી તેઓ દુર ચાલ્યા જાય. શરૃઆતમાં વૈજ્ઞાાનિકોને લાગ્યું કે પાંખોનાં ફફડાટનો તીણો અવાજ એ એક સાઈડ ઈફેક્ટ છે. પરંતુ ઉડાં ઉતરતાં જાણવા મળ્યું કે ''ઉડવા માટેનો અલગ અલગ પ્રકારનાં પીંછા જ્યારે ખતરો જોવા મળે ત્યારે જ, આઠમું નાનું પીછુ કબુતર વાપરે છે.'' 
અત્યારનું પક્ષીઓનાં સંદેશાવ્યવહારનું વિજ્ઞાાન મોટા ભાગે પક્ષીઓનાં અવાજને કેન્દ્રમાં રાખીને ફોક્સ થયેલું હતું. જેમાં ગળાનાં અવાજને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. સંશોધકોએ જોયું કે પક્ષીઓ તેમની પાંખોનો ઉપયોગ સંગીત પેદા કરવા માટે પણ કરે છે. જેમાં કબુતર મોખરે છે. કબુતરની પાંખોનો અવાજ, જ્યારે ખતરો હોય ત્યારે વધારે તીણો બની જાય છે. હાઈ સ્પીડ વિડિયોમાં કબુતરની પાંખોનાં પીછા અલગ કરીને પણ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારે ખતરાની સીટી વાગી ન'હતી. જેમ જેમ પક્ષી વધારે ઝડપથી પાંખો વિઝે છે તેમ તેમ વધારે અલગ પ્રકારનો અવાજ પેદા થાય છે. પક્ષીનું આઠમુ પીછું. ''હાઈ નોટ'' અવાજ પેદા કરે છે. જ્યારે નવમું પીછું ''લો નોટ'' અવાજ પેદા કરે છે. શાંત બેઠેલા પક્ષીઓ પાસે આ અવાજનું રેકોર્ડીંગ વગાડતા, પક્ષીઓ ભયના માર્યા ઉડી જતાં હતાં. જે પક્ષીનું આઠમું પીછું દુર કરી નાખ્યું હોય તેવાં કબુતરનો અવાજ અન્ય શાંત કબુતરને સંભળાવવામાં આવ્યો ત્યારે કબુતર ભયનાં માર્યા ઉડવાને બદલે શાંત બેસીને, આમતેમ માત્ર જોતા રહે છે. ચાર્લ્સ ડાર્વિનના પગલે પગલે ચાલતાં, વૈજ્ઞાાનિકોને અનોખુ રહસ્ય જાણવા મળ્યું હતું. 

પરગ્રહવાસી ''એલીયન્સ''નાં આકાર વિશે... 

સ્ટાર ટ્રેક જેવી સીરીઅલ્સ શરૃ થઈ અને લોકોનાં મનમાં વિચિત્ર પ્રકારનાં ''એલીયન્સ''નો આકાર ઉભરતો રહ્યો હતો. માની લો કે સુર્યમાળાની બહાર કોઈ ગ્રહ પર સજીવ સૃષ્ટિની શરૃઆત થઈ ગઈ છે ! તો તેમનો દેખાવ કેવો હોઈ શકે ? આ સવાલનો જવાબ યુનિ. ઓફ ઓક્સફોર્ડનાં પ્રાણીશાસ્ત્રનાં વૈજ્ઞાાનિકો આપે છે ! પરગ્રહવાસીઓનો દેખાવ જોવો હોય તો, પૃથ્વી પર વિકસેલાં સજીવો તેનાં આકાર અને અંગો, જેવા કે ચહેરો, આંખ, હાથપગ વગેરેને લક્ષમાં રાખીને કલ્પના કરશો નહીં. ગ્રહની કેમેસ્ટ્રી ઉપર પણ આધાર રાખશો નહીં. અહીં તમને માત્ર એક થિયરી કામ લાગશે. ચાર્લ્સ ડાર્વિનની થિયરી ઓફ ઈવોલ્યુશન અને નેચરલ સિલેકશન એટલે કે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત. વૈજ્ઞાાનિકો માને છે કે ચાર્લ્સ ડાર્વિનની થિયરી માત્ર પૃથ્વી ગ્રહ પુરતી જ નહીં અન્ય ગ્રહનાં સજીવો માટે પણ વાપરી શકાય તેમ છે. જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ સજીવ તેનો પર્યાવરણને વધારે અનુકૂળ થવાની કોશીશ કરે છે. જેમાંથી તેનાં અંગોને ઉત્ક્રાંન્તિનાં માર્ગે પસાર થવું પડે છે. 
જે કુદરતી પરીબળોનો સામનો કરી ટકી જાય છે તે વધારે લાંબુ જીવે છે અને વધારે સંતાનો પેદા કરે છે. પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત, સજીવથી માંડી વ્યક્તિગત સેલ એટલે કે પ્રારંભીક કોષ લેવલ સુધી લાગુ પડે છે. ટીમ લીડર સેમ્યુઅલ લેવીન કહે છે કે ''ડાર્વિનનો ઉત્ક્રાંન્તિવાદ જટીલ કોષો, મલ્ટીસેલ્યુલર સજીવ, પ્રાણી અને છેવટે સામાજીક માળખું પેદા કરે છે.'' આ હિસાબે લીલા રંગનો માનવી, વધારે મોટા દાંત જેવી કલ્પનાઓ કરવી વ્યાજબી નથી. વૈજ્ઞાાનિકો અલગ અલગ પ્રકારનાં સજીવોની મુખ્ય ખાસીયત રિપ્રોડકશન એટલે કે સંતાનોત્પતિ છે. માત્ર સંતાન ઉત્પન્ન કરતાં સજીવો જ જીવી શકે તે વ્યાખ્યા ખોટી છે. ઘોડા અને ગધેડાનાં મિશ્રણ જેવી પ્રજાતિ ''ખચ્ચર'', જૈવિક રીતે સ્ટરાઈલ એટલે કે સંતાન પેદા કરવા લાયક નથી છતાં પોતાની જીંદગી તો જીવે જ છે. કાર્બન આધારીત 'ડિએનએ'ની કલ્પના કરી નવા ગ્રહનાં સજીવોની કલ્પના કરવી પણ વ્યાજબી નથી. સીલીકોન પણ કાર્બન જેવી કેટલીક ખાસીયતો ધરાવે છે. આમ સીલીકોન આધારીત જીવન સંભાવના પણ વિચારવી જોઈએ. 

ગાલાપેગોસ ટાપુની જીવ સૃષ્ટી, જીનેટીક એન્જીન્યરીંગ વડે બચાવી શકાશે ? 

૨૫ સપ્ટેમ્બર ૧૮૩૫નાં રોજ HMS બીગલનો કાફલો ગાલાપેગોસ આર્કીપેલાગોએ પહોંચ્યો હતો. જ્યાં ચાર્લ્સ ડાર્વિને પ્રથમવાર પગ મુક્યો તે ટાપુ ''ચાર્લ્સ'' ટાપુ તરીકે ઓળખાય છે. અહીં ૨૦૦ થી ૩૦૦ લોકોની વસ્તી દ્વારા મનુષ્યએ પ્રકૃતિને ખરાબ કરવાનું કામ શરૃ કર્યું હતું. આ ટાપુ પર ઈકવેડોરમાં બળવો પોકારનાર લોકોને ચાર્લ્સ ટાપુ પર કાળા પાણીની સજારૃપે ધકેલવામાં આવ્યા હતાં. નિચાણવાળો ભાગ ચાર્લ્સ ડાર્વિનને આકર્ષી શક્યો ન'હતો. ૨૫ ઓગસ્ટ ૨૦૧૭માં કાર્લ કેસ્પબેલ નામનો જીવવિજ્ઞાાની ટ્વીન એન્જીનવાળી બોટ દ્વારા આ ટાપુ પર પહોંચે છે જેનું નામ ''ફલોરીના'' છે. તે પહોંચ્યો ત્યારે અહીં માત્ર ૧૪૪ માણસો હતો. ચાર્લ્સ ડાર્વિનનાં સમય કરતાં માત્ર અડધા. 
છેલ્લા ૨૦ વર્ષથી કાર્લ કેમ્પબેલ ગાલાપેગોસ ટાપુઓ પર વસવાટ કરતો રહ્યો છે. જેનો મુખ્ય મકસદ અહીંની જીવસૃષ્ટિનું નિકંદન નિકળી ન જાય અને ભવિષ્ય માટે સજીવ પ્રજાતીઓને બચાવી લેવાનો રહ્યો છે. ફલોરીનાની પ્રજાતિ નિકંદનનો દર ખૂબ ઉંચો છે. અહીં એન્ડેન્નર સ્પીસીઝની સંખ્યા પણ ખૂબ વધારે છે. અહીં ઉંદરોની સંખ્યા પુષ્કળ વધી ગઈ છે. જેને મારવા માટે ૪૦૦ ટન ઉંદર મારવાનું ઝેર લોકો વાપરી ચુક્યા છે. જેની અસર સ્થાનિક પક્ષીઓ અને સરીસૃપ પ્રાણીની વસ્તી ઉપર થઈ રહી છે. ઉંદર મારવાની દવાની અસર એ થઈ છે કે બાકીનાં ઉંદર પણ ઝેર સામે પ્રતિરક્ષા કેળવી રહ્યાં છે. આમ લુપ્ત થતી પ્રજાને હવે માત્ર જીનેટીક એન્જીન્યરીંગ વડે જ બચાવી શકાય તેમ છે. ઉંદરો માત્ર નર પેદા કઈ રીતે કરે છે તે માહિતી ઉંદરનાં તાજેતરમાં થયેલ જીનેટીક મ્યુટેશનથી જાણી શકાય તેમ છે. આધુનિક ''ક્રિસ્પર'' ટેકનીક વાપરીને સજીવોનું સંરક્ષણ વધારી શકાય તેમ છે. ઉંદરોની પ્રજાતિને નિયંત્રણમાં લેવા માત્ર પુરૃષ ઉંદર પેદા થાય તેવી જીનટેકનીક વાપરવાથી સરવાળે માદા રહીત ટાપુ પરથી ઉંદરોની પ્રજાતી ખતમ કરી શકાય તેમ છે. આમ ઝેર કે બુલેટ કરતાં રામબાણ ઈલાજ સાબીત થાય તેમ છે. ચાર્લ્સ ડાર્વિને જોયેલા વિશાળકાય કાચબા પણ હવે લુપ્ત થવાની અણી પર આવી ગયા છે. ફલોરીના ટાપુ પર તેમની વસતી ખતમ થઈ જવાથી બે ડઝન કાચબા અન્ય ટાપુ પરથી અહીં લાવવામાં આવ્યાં છે.

Sunday, 24 July 2016

મનુષ્ય ઉત્ક્રાંતિનાં ઈતિહાસને ગુંચવતાં ચાઇનીઝ ફોસીલ્સની સમસ્યા...

 Pub. date. 24.07.2016
 
'ડાયનોસૌરનું નિકંદન નિકળી ગયું નથી. તેમનાં વારસો મનુષ્યની માફક આપણી દુનિયામાં જીવી રહ્યાં છે.' આ શબ્દો સાયન્સ ફિકશન નવલકથાની જાહેરાત જેવા લાગે છે. હકીકતમાં આ શબ્દો ચીનનાં પ્રાચીન પ્રાણી વિશારદ્ (પેલેયોન્ટોલોજીસ્ટ) યાંગ ઝુન્થીનાં વિજીટીંગ કાર્ડ પર ચીતરેલાં છે. શબ્દો ખરેખર તો છેલ્લાં પાંચ દાયકામાં ચીનમાંથી મળી આવતાં વિવિધ પ્રાચીન ફોસીલ્સ / અશ્મીઓ માટે આધારસ્થંભ જેવા છે. છેલ્લાં એક દાયકામાં ચાઇનીઝ સંશોધકોએ શોધેલ અશ્મીઓ અને રજુ થયેલાં રિસર્ચ પેપરો 'ઈવોલ્યુશન'ને નવો વળાંક આપે છે. ચીનનો ભૌગોલીક વિસ્તાર જટીલ ટેકટોનિક પ્લેટ પર આવેલો છે. વિશ્વનાં અન્ય ક્ષેત્રો કરતાં અહીં અધિક માત્રામાં 'ફોસીલ્સ' મળી આવ્યા છે અને... મળી રહ્યાં છે. જેનો ભેદ ઉકેલવા 'ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ' કટીબધ્ધ છે. જે દેશની સર્વોચ્ચ વૈજ્ઞાાનિક સંશોધન સંસ્થા છે. પેલેયોન્ટોલોજીસ્ટ યાંગ ઝુન્થી આ સંસ્થા સાથે સંકળાએલાં છે. ચીનનો ગિન્ઝોઉ પ્રાંત, ચીનનો સૌથી નબળા લોકોનો વિસ્તાર છે. છતાં અહીં એકવીસમી સદીનાં બેજોડ કહેવાય તેવાં ફોસીલ્સ મળી આવ્યાં છે. જેનાં કારણે આ વિસ્તાર ''કિંગ્ડમ ઓફ ફોસીલ્સ'' તરીકે ઓળખાય છે. કહે છે કે મુર્દા જુઠ નહીં બોલતો. આખરે પ્રાચીન મુર્દાઓ ફોસીલ્સ કયું સત્ય કહી રહ્યાં છે ?

''પેકીંગ મેન'':- પ્રથમ પ્રકરણ

બીજીંગની સીમાઓ નજીક ડ્રેગન બોન હીલ આવેલી છે. તેની ઉત્તર તરફનો માર્ગ એક ગુફા તરફ જાય છે. આ ગુફાની મુલાકાતે વર્ષે ૧.૫૦ લાખ લોકો આવે છે. જેમાં નિશાળીયાઓથી માંડી નિવૃત્તિ ગાળતાં લોકો હોય છે. ૧૯૨૯માં આ સ્થળેથી એક સંપૂર્ણ માનવ ખોપરી અને અશ્મીઓ મળ્યા હતાં. સમય નિર્ધારણ કરતાં આ ખોપરી પાંચ લાખ વર્ષ પ્રાચીન માલુમ પડી હતી. સંશોધકોએ તેનું નામ ''પેકીંગ મેન'' રાખ્યું હતું. આ અવશેષો મળતાં વૈજ્ઞાાનિકો માનવા લાગ્યા હતાં કે માનવ સભ્યતા / મનુષ્ય સર્જનની શરૃઆત ''એશિયા'' ખંડથી થઇ હતી. ''પેકીંગ મેન'' ઈવોલ્યુશન / ઉત્ક્રાંતિનાં ઈતિહાસનું  મહત્વપૂર્ણ અંગ બની ચૂક્યું હતું.

સમય જતાં 'પેકીંગ મેન' કરતાં વધારે પ્રાચીન અવશેષો ''આફ્રિકા'' ખંડમાંથી મળવા લાગ્યા. જે ૭.૮૦ લાખ વર્ષ જેટલાં પ્રાચીન હતાં. હવે પેકીંગ મેનનું મહત્વ ઘટવા લાગ્યું હતું. વૈજ્ઞાાનિકો મનુષ્યનાં મળેલાં અવશેષો ચકાસીને એકમતે નિષ્કર્ષ પર આવ્યા કે વાનરમાંથી મનુષ્યનું સર્જન ''આફ્રિકા'' ખંડમાં થયું હતું. આધુનિક થિયરી અવશેષો પરથી વિકસી ચુકી હતી. જોકે દાયકાઓથી ચાઇનીઝ સંશોધકો આધુનિક મનુષ્ય સાથે 'પેકીંગ મેન'નોસંબંધ સમજવાની કોશિશ કરી રહ્યાં છે. તેમનાં મતે ''પેકીંગ મેન'' એક અંત વિનાની વાર્તા છે. ચાઇનીઝ વૈજ્ઞાાનિકોને એક સવાલ મુઝવે છે કે ''પેકીંગ મેનનાં સમકાલીનો અને તેનાં વારસદારો જેવાં હોમો-ઈફેક્ટસની પ્રજાની સંપૂર્ણ નિકંદન પામી ચુકી હતી કે તેમનું ઉત્ક્રાંતિ ચક્ર ફરતાં, વધારે આધુનિક ગણાતાં મનુષ્યનાં પૂર્વજોમાં રૃપાંતર થયું હતું ?

શું ''પેકીંગ મેન'' અને મળેલાં અન્ય ફોસીલ્સ અને હાલનાં ચીનાઓ વચ્ચે ખરેખર કોઇ સંબંધ છે ખરો ? આવા અનેક સવાલોનો ઉત્તર મેળવવા માટે, ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સની શાખા, કાર્યરત બની છે. જેનું નામ છે ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી  (IPP). જે બીજીંગમાં આવેલી છે. સરકાર દ્વારા દસ લાખ ડોલરનાં ખર્ચે નવી લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. જે પ્રાચીન અવશેષોમાંથી ડિએનએ મેળવીને, આજનાં ચાઇનીઝ લોકોનાં ડિએનએ સાથે સરખામણી કરશે. વાનર અને મનુષ્યનો વિભાગ 'હોમીનીન્સ' તરીકે ઓળખાય છે. એશિયામાંથી એટલાં બધાં અલગ અલગ વેરાઇટીનાં 'હીમોનીન્સ'નાં અવશેષો મળ્યાં છે જે બતાવે છે કે ''એશિયા ખંડમાં એક જ સમયે મનુષ્યની અલગ અલગ પ્રજાતી વસવાટ કરતી હતી. ચાઇનીઝ વૈજ્ઞાાનિકો માને છે કે આફ્રિકા અને યુરોપમાંથી મળેલાં, અશ્મીઓને ત્યાંના સંશોધકો વધારે મહત્વ આપી રહ્યાં છે. એશિયા ખંડની  ઉપસ્થિતિ તેઓ  ઈવોલ્યુશન સમજવા  માટે અવગણી રહ્યાં છે.

મનુષ્ય ઉત્ક્રાંન્તિ: એક ટુંકી વાર્તા



ઉત્ક્રાંતિની વાર્તાની શરૃઆત વૈજ્ઞાાનિકો અલગ અલગ રીતે કરે પરંતુ, વાર્તાનું શિર્ષક એક જ હોય, મનુષ્યની ઉત્ક્રાંતિ આફ્રીકામાંથી શરૃ થઈ છે. જેને 'આઉટ ઓફ આફ્રીકા' થિયરી કહે છે. વૈજ્ઞાાનિકોનાં સર્વમાન્ય મત પ્રમાણે, હોમો-ઈરેકટસ એટલે બે પગે ઉભો રહેનાર મનુષ્ય, આફ્રીકામાં આજથી ૨૦ લાખ વર્ષ પહેલાં પેદા થયો હતો. આજથી ૬ લાખ વર્ષ પહેલાં તેમનામાંથી નવી પ્રજાતી હોમો-હેઈડેલબર્જેનસીસ પેદા થઈ હતી. જેનાં અવશેષો ઈથોપિઆમાંથી મળી આવ્યા હતાં. ચાર લાખ વર્ષ પહેલાં, હોમો-હેઈડેનબર્જેનસીસ આફ્રીકા ખંડ છોડીને બહાર નિકળ્યો. જેમાંથી બે ફાટાં પડયા. એક પ્રજાતી મધ્ય પુર્વ તરફ ગઈ. જ્યારે બીજી પ્રજાતી યુરોપ ખંડ તરફ ગઈ. આ બે ફાંટાની મનુષ્ય પ્રજાતી નિએન્ડર થાલ તરીકે ઉત્ક્રાંન્તિ પામ્યા.

હોમો-હેઈડેલબર્જેનસીસનાં સભ્યો, પુર્વનાં દેશો તરફ ગયા. જે 'ડેનીસોવેન્સ'માં રૃપાંતર પામ્યા હતો. જેના અવશેષો ૨૦૧૦માં સાઈબીરીયામાંથી મળ્યા હતાં. હવે આફ્રીકામાં જે હોમો-હેઈડેલબર્જેનસીસનાં સભ્યો બાકી રહ્યાં,તેઓ બે લાખ વર્ષ પહેલાં હોમો-સેપીઅન નામનાં આજનાં મોર્ડન ''મેધાવી માનવી''માં રૃપાંતર પામ્યા હતાં. આફ્રીકામાંથી હોમો-સેપીઅન્સ ૬૦ હજાર વર્ષ પહેલાં યુરોપ-એશીયા ખંડમાં ફેલાઈ ગયા હતાં. અહીંની સ્થાનીક મનુષ્ય પ્રજાતી સાથે (નિએન્ડર થાલ અને ડેનીસોવેન્સ) અલ્પ પ્રમાણમાં આંતર-કુળ સંબંધો બંધાયા હતાં. મનુષ્ય ઉત્ક્રાંન્તિની આટલી ટુંકી વાર્તા છે. આધુનિક વિજ્ઞાાન પ્રમાણે આજના મોર્ડન મનુષ્ય, નિએન્ડરથાલ અને ડેનીસોવીન્સનાં મુખ્ય પુર્વજ તરીકે 'હોમો-હેઈડેલબર્જેન્સીસ' માનવામાં આવે છે. જેમની ખોપરીનું ભ્રમર પાસેનું હાડકુ ઉપસેલું હતું. જ્યારે હડપચીનું હાડકુ ઉપસેલું ન હતું. હોમો-સેપિઅન સાથે તેમની સરખામણી કરીએ તો, હોમો-હેઈડેલબર્જેનસીસનાં દાંત આજનાં મનુષ્ય માફક નાના હતાં. 'મગજ' સમાવવા માટે ખોપરીમાં જગ્યા વધારે હતી. આ કારણે નિષ્ણાંતો હોમો-હેઈડેલબર્જેનસીસને એચ. ઈરેક્ટસ અને એચ. સેપીઅન (એચ-હોમો) વચ્ચેનો ઉત્ક્રાન્તિકાળ માને છે.

માનવ નુવંશશાસ્ત્રનાં કરમની કઠણાઈ એ છે કે આ સમયગાળાનાં ફોસીલ અવશેષો ઓછા અને ગુચવી નાખે તેવાં છે. આ ગુંચવણમાં ચીનમાંથી મળેલાં અવશેષો ફરી પાછો વધારો કરે છે. હોમો-ઈરેક્ટસથી હોમો-સેપીઅન વચ્ચેનો સીધી લાઈનનો સંબંધ, નવ લાખ વર્ષથી સવા લાખ વર્ષ પહેલાંનો છે. પુર્વ એશીયામાંથી મળેલાં મનુષ્ય ફોસીલ્સ ઉપરનાં સમયગાળા છે. છતાં આધુનિક લક્ષણો ધરાવતાં ફોસીલ્સને કોઈ એક પ્રજાતી વર્ગમાં વર્ગીકરણ કરવું મુશ્કેલ બનાવે છે.

સમસ્યા પેદા કરતાં 'ચાઈનીઝ' અશ્મી

હુબાઈ પ્રાંતનાં યુંન્ઝીઆન સ્થળેથી બે પ્રાચીન ખોપરી મળી આવી હતી. જે નવ લાખ વર્ષ જેટલી પ્રાચીન છે. છતાં હોમો-હેઈડેલબર્જેનસીસ કરતાં અલગ રચના ધરાવે છે. નિષ્ણાંતોને હવે મત બદલવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. ચાઈનીઝ ફોસીલ્સ જોઈને સ્ટ્રીન્જર જેવાં નિષ્ણાત કહે છે કે, ''હોમો-હેઈડેલબર્જેનસીસની ઉત્પતિ એશીયામાં થઈ હોવી જોઈએ. અહીંથી તેઓ અન્ય ખંડ તરફ ગયા હોવા જોઈએ. જોકે ચાઈનીઝ સંશોધકો તેનો વિરોધ કરીને કહે છે કે, આફ્રીકા અને યુરોપમાંથી મળેલાં નમુના કરતાં, ચીનમાંથી મળેલ નમુનાનું મટીરીઅલ અલગ પ્રકારનું છે. બનાવટમાં સરખાપણું હોવા છતાં મટીરીઅલ્સ અલગ છે તેનો શો અર્થ કાઢવો ?''
શાનાક્ષી પરગણાનાં ડાબી સ્થળેથી ૨.૫૦ લાખ જુની ખોપરી મળી આવી છે. જેમાં મગજ માટેની જગ્યા વધારે, ચહેરો ટુકો, હડપચીનું હાડકુ થોડું નીચે છે. જે એચ. હેઈડેલબર્જેનસીસ કરતાં વધારે સુધારેલ રચના ધરાવે છે. આ પ્રકારનો બદલાવ હજારો વર્ષોથી જોવા મળ્યો છે. ૨૦૦૭માં મળેલ એક લાખ વર્ષ જેટલાં પ્રાચીન અશ્મી ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી દ્વારાં ખોદી કાઢવામાં આવ્યા હતાં. નિષ્ણાંતો તેને હોમો-સેપીઅન ગણે છે. જો હોમો-સેપીઅન આજથી ૬૦ હજાર વર્ષ પહેલાં ઉત્ક્રાન્તિ પામ્યો હોય તો, ચીનમાં એક લાખ વર્ષ પહેલાંના હોમો-સેપીઅનનાં અવશેષો મળી આવ્યા છે. તેનો શો અર્થ કરવો ? હોમો-સેપીઅન 'આફ્રીકા'માંથી સ્થળાંતર પામીને અન્ય સ્થળે ગયા ન હતાં ? મનુષ્યનું  ઉત્પતિ સ્થાન ખરેખર 'એશીયા' ખંડ છે ?

એક લાખ વર્ષ પ્રાચીન અશ્મીનાં જડબાનો ભાગ આજનાં મનુષ્ય જેવો છે. જ્યારે શરીરનું બંધારણ 'પેકીંગમેન' જેવું છે. નિષ્ણાંતો હવે માને છે કે એશીયાનાં લોકોનાં પુર્વજો 'પેકીંગમેન'નો સમુદાય હોવો જોઈએ. આ મોડેલને 'મલ્ટીરીઝનાલીઝમ' તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રમાણે એશીયાનાં હોમો-ઈરેકટસ, આફ્રીકા અને પુરેશીયાનાં આદી-મનુષ્ય સાથે આંતર-સમકાલ પામીને આધુનિક મનુષ્યનાં પુર્વજોને 'એશીયાખંડ'માં પેદા કર્યા હતાં. આ વાતને સમર્થન આપે તેવાં અન્ય પ્રાચીન અવશેષો ચીનમાંથી મળ્યાં છે. ૧૭ લાખ વર્ષથી માંડી દસ હજાર વર્ષ સુધીનાં સમયગાળામાં મનુષ્ય પત્થરોનાં ઓજાર વાપરતો આવ્યો છે. ટુંકમાં આ સમયકાળ અહીંના મનુષ્ય માટે 'પાષાણયુગ' હતો. ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી નાં નિષ્ણાંતો માને છે કે એશીયા ખંડના 'હોમીનીન્સ' બાહ્ય પ્રજાતીનાં નામ માત્ર જેનાં પરીબળોની અસર જાણીને સતત ઉત્ક્રાંન્તિ પામતાં રહ્યાં હતાં.
ઉત્ક્રાંન્તિનું ચિત્ર ધુંધળુ છે ?


કેટલાંક નિષ્ણાંતો કહે છે કે 'ચાઈનીઝ સંશોધકોની માનસીકતા, રાષ્ટ્રવાદ પ્રેરીત છે. જેઓ માનવા તૈયાર નથી કે હોમો-સેપીઅન્સ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યા હતા. જોકે તેમની વાતમાં વધારે વજન નથી કારણ કે, ચાઈનીઝ ફોસીલ્સ અલગ દીશા સુચવે છે. ચીનમાં હોમો-ઈરેકટસથી માંડીને હોમો-સેપીઅન્સ સુધીનાં ફોસીલ્સ મળી આવ્યા છે. ચાઈનીઝ લોકોનાં ડિએનએને મનુષ્યનાં પ્રાચીન પુર્વજો જેઓ 'આફ્રીકા'માં હતાં તેમની સાથે સરખામણી કરતાં ૯૭.૪૦ ટકા સરખાપણું જોવા મળ્યું છે. તેથી પ્રજાતીનાં નિષ્ણાંતો કહે છે કે 'ચાઈનીઝ ફોસીલ્સ'નો પુર્વજો પણ આફ્રીકાનાં હોમો-ઈરેકટસ જ હતાં.'

શાંઘાઈનાં ફુદાન યુનીવર્સિટીનાં લી-હુઈ નામના પોપ્યુલેશન જીનેટીસ્ટ કહે છે કે ''ચીનમાંથી મળેલ પ્રાચીન ફોસીલ્સમાંથી ડિએનએ અલગ તારવવામાં આવ્યું નથી. જેની સાથે સરખામણી કરી ચોક્કસ તારણ પર આવી શકાય. ચીનનાં હુંવાન પ્રાંતનો ડાઓજીઆંગ સ્થળેથી ૪૭ જેટલાં દાંતનાં નમુનાઓ મળ્યાં છે. જેમનો સમયકાળ ૮૦ હજાર વર્ષથી ૧.૨૦ લાખ વચ્ચેનો છે. જેને વિશ્વનાં અન્ય પાંચ હજાર કોસીલ્સ દાંત સાથે સરખાવતા અલગ વાત જાણવા મળે છે. ચીનનાં દાંતનાં નમુના પુરેશીયાનાં દાંતને મળતા આવે છે. આફ્રીકાનાં દાંતને મળતા આવતાં નથી. જેનાં ઉપરથી અલગ થિયરી વિચારવા નિષ્ણાંતો પ્રેરાય છે.''


૧૮ લાખ વર્ષ પહેલાં આફ્રિકામાંથી નિકળ્યા હતાં. જેમનાં વારસદાર મધ્યપુર્વમાં વસી ગયા હતાં. ત્યાંથી અલગ દીશામાં ગયા હતાં. એક ગ્રુપ ઈન્ડોનેશીયા તરફ ગયું. જેમાંથી નિએન્ડર થાલ અને ડેનીસોવાન્સ ઉત્ક્રાંન્તિ પામ્યા હતાં. આમાનું એક ગુ્રપ આફ્રીકા પાછું ફર્યું. જેમાંથી હોમો-સેપીઅન્સ સર્જન પામ્યા અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા. આ થિયરી પ્રમાણે આધુનિક મેધાવી માનવીનું સર્જન આફ્રિકામાં થયું હતું. જ્યારે હોમો-ઈરેક્ટસથી હોમો-સેવીઅન વચ્ચેની પ્રજાતિ મધ્યપુર્વમાં ઉત્ક્રાંન્તિ પામતી રહી હતી. આ નવીન થિયરી સાથે બધા સહમત નથી. કદાચ હયુમન ઈવોલ્યુશન સમજવામાં સમય લાગશે.