Tuesday 16 February 2016

ફ્યુચર ઈવોલ્યુશન : સાયન્સ ફિક્શનનો રીઆલીટી શૉ


અનોખા પર્યાવરણમાં મનુષ્યની ઉત્ક્રાંન્તિની 'ફ્યુચર' ઝલક...


આપણે જાણીએ છીએ કે ''પૃથ્વી પરનાં બધા જ સજીવો એક ખાસ પ્રકારની ઉત્ક્રાન્તિ બાદ આજની સ્થિતિએ પહોંચ્યા છે. ઉત્ક્રાંતિનું વિજ્ઞાન સમજાવવાની શરૃઆત ચાર્લ્સ ડાર્વિને કરી હતી. આજે ચાર્લ્સ ડાર્વિન બાદ વિજ્ઞાન રોકેટ ગતિએ આગળ વધ્યું છે. વૈજ્ઞાનિકો ભવિષ્યને નજર સમક્ષ રાખીને, આવનારાં સમય માટે ટેકનોલોજીનો વિકાસ કરે છે. મજાની વાત એ છે કે ભવિષ્યની ટેકનોલોજી કેવી હોવી જોઈએ? એ બાબતે આપણે સજાગ છીએ. ભવિષ્યનાં માનવી કેવાં હોવા જોઈએ તે વાત આપણે વિચારતા નથી. માની લો કે પૃથ્વી પર મનુષ્યની સંખ્યા એટલી વધી ગઈ કે તેને નજીકનં ગ્રહ ઉપર વસવાટ માટે જવાનું થાય તો મનુષ્ય શરીરમાં કેવાં ફેરફારો થાય? માની લો કે કોઈ વિશાળ ઉલ્કાપીંડ પૃથ્વી સાથે ટકરાય છે અને... તેનાં પરીણામે 'હિમયુગ' આવે છે! તો મનુષ્ય શરીરમાં કેવાં ફેરફારો જરૃરી બની જાય? છેલ્લો સિનારીયો-ગ્લોબલ વાર્મિંગના કારણે ઉત્તર અને દક્ષિણ ધુ્રવનો બરફ ઓગળી જાય છે. મનુષ્યને હવે જમીનનાં બદલે 'વોટર વર્લ્ડ'માં વસવાટ કરવાનો છે? તો તેનું શરીર કેવું હોવું જોઈએ? આ બધી પરિસ્થિતીમાં મનુષ્યની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય? આ રહ્યું મનુષ્ય ઈવોલ્યુશનનું 'ફ્યુચર વિજ્ઞાન'

'સાયફાય' ચેનલ કનેક્શન

ફ્લોરિડામાં મિશેલ રૃબેન સ્ટેઈન અને લોરી સિલ્વરને ૧૯૮૯માં એક સ્પેશીયલ સાયન્સ ફિક્શન માટેની 'સાયફાય' ચેનલનો આઈડીયા આવ્યો હતો. જેને ૧૯૯૦માં તેમને કાર્યાન્વિત કરવાનું ટાર્ગેટ રાખ્યું હતું. છેવટે નાણાંના અભાવે 'ચેનલ' શરૃ થઈ શકી નહીં. ૧૯૯૨માં મિશેલ અને લોરી સિલ્વરનો 'કોન્સ્સેપ્ટ' યુએસએ નેટવર્ક, પેરેમાઉન્ટ પિક્ચર્સ અને યુનિવર્સલ સ્ટુડિયોએ ઉઠાવીને 'સાયફાય' ચેનલ શરૃ કરી હતી. જેમાં ડ્રેક્યુલા, ફેન્કેસ્ટેઈન વગેરે ક્લાસીક ફિલ્મો અને નાઈટ ગેલેરી તેમજ સ્ટારટ્રેક જેવી ટી.વી. સીરીઅલ્સ બતાવવાનો આઈડીયો હતો. ચેનલનો સલાહકાર સમીતીમાં સ્ટારટ્રેકનાં લેખક જેન રોડેનબરી અને ખ્યાતનામ લેખક આઈઝેક આસીમો હતાં. ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૨માં ચેનલ શરૃ થઈ ત્યારે બંને વ્યક્તિનાં અવસાન થઈ ચુક્યા હતા.
ચેનલ શરૃ થઈ ત્યારે પ્રથમ ફિલ્મ 'સ્ટાર વોર્સ' દર્શાવવામાં આવી હતી. સાથે સાથે આઝીમો અને જેન રોડેનબરીને શ્રધ્ધાંજલી પણ આપવામાં આવી હતી. ૨૦૦૭માં ચેનલને હાઈડેફીનેશનનું સ્વરૃપ મળ્યું હતું.આપણાં પુર્વજોનાં ઈતિહાસને વિજ્ઞાાનનાં એરણ ઉપર ચડાવીને ચકાસવાની અલગ મજા છે. મનુષ્યને શા માટે એલર્જી થાય છે ત્યાંથી માંડીને મનુષ્યની પ્રજાતિ ક્યાં સુધી બ્રહ્માંડમાં વિસ્તરી શકશે? જેવાં સવાલોનાં જવાબ આપણને પ્રાચીન નૃવંશ શાસ્ત્રનાં અભ્યાસમાંથી મળી શકે તેમ છે. ડૉ. મેથ્યુ સ્કીનર આ વિષયનાં નિષ્ણાંત છે. તેમનું સંશોધન અને પૃથ્થકરણ દાંત અને હાડકાની બનાવટ, શરૃઆતની વૃધ્ધિ અને વિકાસ તરફ રહેલું છે. જેમાં પ્રાચીનકાળથી અત્યાર સુધીનાં માનવીનાં 'ડાયેટ' નામકરણ અને ઉત્ક્રાંતિ ઈતિહાસ આધારે તેઓ વાનરથી માંડી મનુષ્ય સુધીની ઉત્ક્રાંતિની મઝલ તપાસી રહ્યાં છે.
ભુતકાળની ઉત્ક્રાંતિને ભુલીને ભવિષ્યમાં મનુષ્ય ઉત્ક્રાંતિના કયાં માર્ગે ચાલી શકે તેની વાત કહી છે. જો શીતયુગ આવે, મહાસાગરનાં પાણીનું લેવલ ખુબજ ઉચું આવે અથવા, મનુષ્યને અન્ય ગ્રહ ઉપર વસવાટ કરવા જેવું પડે તો માનવ શરીર કેવું થઈ જાય? આ સવાલનાં જવાબરૃપે તેમણે જે આગાહી કરી છે તે 'સાયફાય' બ્રિટનની ચેનલ પર એક્સલેન્ટ સીઝન-૨માં દર્શાવવામાં આવશે. ભવિષ્યનો રોચક ઉત્ક્રાન્તિકારી આગાહીઓને અહીં આલેખવાનો પ્રયત્ન થયો છે.

શીતયુગમાં ટકી રહેવા માટે જરૃરી- 'મનુષ્ય શરીર'
પૃથ્વી પરનો છેલ્લો શીતયુગ આજથી ૧૨ હજાર વર્ષ પહેલા સમાપ્ત થયો હતો. આ સમયે મનુષ્ય પત્થર યુગમાં જીવતો હતો. હોમોસેપીયન 'આફ્રીકા' ખંડની બહાર નિકળ્યો ન હતો. યુરોપ ખંડમાં 'નિએન્ડરથાલ' પોતાનું રાજ જમાવીને બેઠા હતા. જ્યારે શિતયુગ પુરો થયો ત્યારે આજનો મેધાવી માનવી/ હોમોસેપીયન આફ્રીકા છોડી યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ જવાની શરૃઆત કરી હતી. માની લોકે કોઇ વિશાળ ઉલ્કાંપીંડ પૃથ્વી પર આવીને ટકરાય છે. ટકરામણના કારણે પૃથ્વીના પેટાળમાં ખદબદતા લાવારસને, ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ વડે બહાર નિકળવાનો મોકો મળે છે. પૃથ્વીના આકાશમાં ધુળ અને રજકણોના વાદળ છવાઇ જાય છે. સુર્ય મહીનાઓ સુધી દેખાતો નથી. પૃથ્વીનું તાપમાન ઘટી જાય છે. પાણીના સ્થાને બરફ જામવા લાગે છે અને એક નવો ''આઇસ એજ'' શીતયુગ શરૃ થાય છે. મનુષ્ય એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેવાં શારીરીક ફેરફારો કરવા પડશે ?
સુર્યપ્રકાશની ગેરહાજરીમાં મનુષ્યની ફીક્કી પડી જશે. જેના કારણે શરીરમાં વિટામીન ડી નું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. ઠંડીથી રક્ષણ મેળવવા શરીર ઉપર વાળ વધારે ઉગાડવા પડશે. ઠંડીથી બચવા, વધારે શ્રમ કરવો પડશે. શારીરીક બંધારણ તેના કારણે વધારે સ્નાયુબધ્ધ બનાવવું પડશે. શરીરમાં તાત્કાલિક ઉષ્મા અને ઉર્જા મેળવવા માટે ચરબી સ્વરૃપે ખોરાકનો સંગ્રહ કરી રાખવો પડશે. શરીરને હુફાળી ગરમ દવાની જરૃર પડશે. જેના નાક અને ચહેરાનું કદ વધી જશે. આવા સમયે મનુષ્યનું શારીરીક બંધારણ, ગોરીલા જેવું બની જશે. સ્ત્રીઓ, પુરૃષોની પસંદગીમાં બુધ્ધીક્ષમતાને બાજુમાં રાખીને શારીરિક મજબૂત બાંધાને પ્રથમ પસંદગી આપશે. મનુષ્ય માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો, કુદરતી ઉત્ક્રાંતિ કરતાં મનુષ્ય પોતાના આધુનિક વિજ્ઞાાન ઉપર વધારે આધાર રાખશે.

ગ્લોબલ વોર્મિંગનાં 'વોટર વર્લ્ડ'માં મનુષ્યની સંભવિત ઉત્ક્રાંતિ
ડૉ. મેથ્યુ સ્કીનર પ્રાચીન નૃવંશ વિદ્યા વિશારદ છે. તેઓ મનુષ્યની ઉત્ક્રાંતિ ઉપર કામ કરે છે. આવનારી સંભવિત પરિસ્થિતીમાં માનવીનું શરીર કેવું હોવું જોઈએ? માનવીની જરૃરિયાત મુજબ ઉત્ક્રાંતિનું કઈ રીતે ચાલે? આ બધાનાં જવાબ તેઓ આપી શકે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે મહાસાગરની સપાટી વધી જાય. જમીન ડુબમાં જાય. આવા સંજોગોમાં મનુષ્યને જળચર પ્રાણી જેવાં ગુણધર્મો મેળવવા પડે. પાણીમાં રહેવા માટે એટલે કે 'વોટર વર્લ્ડ' માટે મનુષ્યમાં કેવા ફેરફાર થાય? અથવા એમ કહી શકાય કે જીનેટીક્સ અને ડિએનએ ટેકનોલોજી વડે કેવા મનુષ્ય પેદા કરવા પડે? આ રહ્યો જવાબ.
મનુષ્યને પાણીમાં તરવા માટે બતકનાં પગ જેવાં, આંગળા સાથે જોડાયેલી ચામડીવાળા પગ અને હાથનાં પંજા હોવા જોઈએજેને 'વેલ્ડ ફીટ એન્ડ હેન્ડ' કહે છે. મનુષ્યની ઉત્ક્રાંતિ જળચર પ્રાણીમાંથી થઈ છે. આ પ્રકારનાં જોડાએલા આંગળા માટે જરૃરી જીનેટીક મ્યુટેશન કે 'જનીનીક ફેરફાર'વાળા જનીન મનુષ્ય જેનોમમાં છે. તેને એક્ટીવ કરવાની જરૃર છે. ભવિષ્યની ઉત્ક્રાંતિમાં તેને કુદરત ફરીવાર સક્રિય બનાવી શકે છે. સામાન્ય રીતે મનુષ્ય શરીરમાં કુદરતી રીતે બદલાવ લાવવા માટે ''પ્રાકૃતિક પસંદગીનાં સિધ્ધાંત મુજબ'' સેંકડો પેઢીઓ બાદ ઉત્ક્રાંતિ બાદ આવું બની શકે. અથવા મનુષ્યને જીનેટીક એન્જીનીયરીંગનો સહારો લેવો પડે. મનુષ્યએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ ભવિષ્યમાં જીનેટીક એન્જીનીયરીંગનો સહારો લેવાની જરૃર પણ પડે.
પાણીની અંદર પ્રકાસ ઓછો હોય છે. ઓછાં પ્રકાસમાં જોવા માટે 'બિલાડી જેવી આંખો' મનુષ્યએ વિકસાવવી પડે. પુખ્ત વયનાં મનુષ્યએ લાંબા સમય સુધી પાણીમાં રહેવું હોય તો, ઉષ્મા અવાહક તરીકે 'બેબીફીટ'નું આવરણ મનુષ્યનાં શરીર પર સાચવી રાખવું પડે. પાણીમાંથી સીધો જ ઓક્સીજન મેળવવા માટે, માછલી માફક 'ચુઈ' જેવું શ્વસન અંગ વિકસાવવું પડે. આંખનાં રક્ષણ માટે 'પારદર્શક પડ' આંખ ઉપર વિકસાવવું પડે. મનુષ્યને પાણીમાંથી સીધો ઓક્સીજન મેળવવા માટે 'ચુઈ' જેવું અંગ વિકસે ત્યારે, ફેફસાંની ક્ષમતા ઘટી જાય જેનાં કારણે મનુષ્યનું ફેફસા ઉપરનું પાંસળીઓનું પિંજરુ સંકોચાઈને નાનું બની શકે છે. મનુષ્યને ઉત્ક્રાંતિ આપવાનું કામ સદીઓ બાદ, કુદરત કરી શકે છે. અથવા એકાદ સદીમાં મનુષ્ય પોતે જ કરી શકે.

એલિયન  પ્લેનેટ, એલીયન લાઇફ અને ભવિષ્યમાં હોમોસેપીઅન..
જગતનો અબજોપતિ વૈજ્ઞાાનિક યુરી મિલ્નરે પરગ્રહવાસીઓના સિગ્નલ શોધવા માટે 'બેક્યુલિસન' પ્રોજેક્ટ શરૃ કર્યો છે. જેની સામે ઓસ્ટ્રેલિયાની સ્વાઇનબર્ન યુનિ. ઓફ મેલબોર્નનાં વૈજ્ઞાાનિક મેથ્યુ બેઇલીઝે ચેતવણી ઉચ્ચારી છે. પરગ્રહવાસી સાથે પ્રથમવાર સંપર્ક રાખતા પહેલા બે વાર વિચાર કરવો પડશે. જે પરગ્રહવાસી આધુનિક સિગ્નલો વડે આપણો સંપર્ક કરવા માંગતા હોય તે લોકો ટેકનોલોજીકલી આપણા કરતાં વધારે આગળ પણ હોઇ શકે છે. તેઓ મનુષ્ય જાતીને ખતમ પણ કરી શકે છે. અથવા મનુષ્ય પ્રજાતીને અન્ય ગ્રહ પર વસવાટ માટે આમંત્રણ પણ આપી શકે છે. માનીલો કે મનુષ્યને કોઇક કારણસર પૃથ્વી છોડીને અન્ય ગ્રહ ઉપર વસવાટ કરવા જવાનું થાય તો તેનાં શરીરમાં કેવા ફેરફારો કરવા પડે જેથી તે અન્ય ગ્રહ પર જીવી શકે અથવા અન્ય ગ્રહ પર ગયેલ માનવી પર ઉત્ક્રાંતિની કેવી અસર થાય ?
બીજાગ્રહનાં વાતાવરણ અને પર્યાવરણને અનુકુળ થવા માટે મનુષ્ય શરીરમાં અસંખ્ય અવનવા ફેરફારો આવી શકે છે. જેનું મુખ્ય કારણ નિમ્ન લેવલનું ગુરૃત્વાકર્ષણ હોઇ શકે છે. જેનાં કારણે હાથ લાંબા અને પગ ટુકા થઇ શકે છે. તો ગ્રેવીટીમાં પ્રયત્ન પૂર્વક ચાલવાની વધારે જરૃર પડશે નહિ. ઉટાંગ ઉટાંગ જેમ હાથ ઉપર ડાળીએ લટકીને હિચકો ખાતા હોય તેમ એક જગ્યા એથી બીજી જગ્યાએ જાય છે. કદાચ મનુષ્ય પણ આવી ટેવ વિકસાવી શકે છે. પગનાં આગળા લાંબા અને મોટા બની શકે જેથી વસ્તુઓ પકડવામાં આસાની રહે. સોલીડ ખોરાકની જગ્યાએ પ્રવાહી ખોરાક વધારે ઉપલબ્ધ હોય તો મનુષ્ય તેના દાંત અને જડબા ગુમાવી શકે છે. જેના કારણે ચહેરો નાનો બની શકે છે. જો મનુષ્યને ખતરારૃપ 'શિકારીઓ'ની સંખ્યા અન્ય ગ્રહ ઉપર ન હોય તો મનુષ્યનું શરીર અને કદ પણ ઘટી શકે છે. જેને આઇલેન્ડ ડવાર્ફિંગ કે 'ટાપુ પરની કીગુતા' કહી શકાય. હાલના તબક્કે આ વૈજ્ઞાાનિક કલ્પના છે. ડૉ.મેથ્યુ સ્કીનરે તાજેતરમાં ''સાયફામ'' ચેનલનાં લોંયીગ માટે તૈયાર 'એક્સટેન્ટ' પ્રોગ્રામ માટે ઉપરોક્ત આગાહીઓ કરી છે. ફરક એટલો છે કે જો ઉપરોક્ત પરિસ્થિતિનું નિર્માણ થાય તો, મનુષ્ય શરીરમાં આગાહી કરેલ ફેરફાર કુદરત 'ઉત્ક્રાંતિ'ની ભેટ સ્વરૃપે હોમોસેપીઅનને સોંપી શકે છે.

No comments: